________________
G0
[ મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર
કેટલાક વાચકેને “પ્રતિભાને દોષ વર્ણવતે અર્થ નવીન લાગશે, પણ ગમાર્ગમાં આ અર્થ પ્રચલિત છે. મ.ભાને જે અધ્યાયમાં ઉપરને શ્લેક આવે છે તેમાં યોગાચાર કથન છે. “પાતંજલ યોગસૂત્ર (અ. ૩, સત્ર ૩૪ થી ૩૮) પણ આ અર્થનું સમર્થન કરે છે.
શાંતિ. સ. ૩૨૧ માં વ્યાસ ઋષિ શુકદેવને સમગ્ર વેદનું અધ્યયન કરાવ્યા બાદ ઉપદેશ આપે છે તેમાં અપ્રમત પણે ધર્મ આચરવાનું કહેતાં (શ્લેક ૪ થી ૧૭ સુધી)
ऐहलौकिकमीहन्ते मांसशोणितवर्धनम् । पारलौकिककार्येषु प्रसुप्ता भृशनास्तिकाः ॥
શાંતિ. ૩૨૦ જેઓ કાર્યોમાં નિદ્રાધીન અને નાસ્તિક હોય છે, તેવાઓ માંસ અને શેણિત વધારનારા આ લોકના ભેગેની કામના કરે છે.
અહીં વિષયીઓને નિદ્રાધીન અને નાસ્તિક કહ્યા છે.
ઉ. નું દસમું અધ્યયન “કુમપત્રક' જીવનની અને ઈહલોકના ભોગોની ક્ષણિકતાનું વર્ણન કરતાં પ્રમાદ ન કરવાનું કહે છે. મ.ભાના ઉદ્યોગપર્વમાં મ. ૪૨માં પણ પ્રમાદ ન કરવાનું કથન છે મુખ્યત્વે પ્રમાદથી મૃત્યુ અને અપ્રમાદથી બ્રહ્મભાવ–અમૃતનું કથન છે. વળી વમેલાનું પાન ન કરવા'ની ઉપમા બનેમાં થોડી જુદી રીતે મૂકી હોવા છતાં એક વિચારપદ્ધતિ-મનનપદ્ધતિને ખ્યાલ આપે છે.
चिच्चाण धणं च भारियं पवइओ हि सि अणगारियं । मा वन्तं पुणो वि आइए समयं गोयम मा पमायए ॥
૩, ૫, ૨૦–૨૬ ધન અને ભાર્યાનો ત્યાગ કરીને તે અનગાર તરીકે દીક્ષા લીધી છે. એ વમેલાનું ફરી પાન કરીશ નહિ. હે ગૌતમ! એક પળને પણ પ્રમાદ ન કર.
૧. “મૃત્યુ ના સ્વાધ્યાય લેખમાં પૂ. પર જુએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com