Book Title: Mahabharat ane Uttaradhyayan Sutra
Author(s): Upendrarai Jaychand Sandesara
Publisher: Bhogilal Jaychand Sandesara

View full book text
Previous | Next

Page 88
________________ સ્વાદયાય ] यथा स्वं वान्तमश्नाति श्वा वै नित्यमभूतये । एवं ते वान्तमश्नन्ति स्ववीर्यस्योपसेवनात् ॥ ૩ . ૪૨–૨૩ શ્વાન જેમ પિતાના અકલ્યાણને માટે નિત્ય વમેલું ખાય છે તેમ જે (સંન્યાસી-બ્રાહ્મણ) પિતાનું વીર્ય—પાંડિત્ય દર્શાવીને ઉપજીવિકા મેળવે છે તે વસેલું ખાય છે. એકમાં ધન-ધારાને ત્યાગ કર્યા પછી, ફરી ગ્રહણ કરવાને વમેલાનું પાન કરવાનું કહ્યું છે, તે બીજામાં સંન્યાસી પિતાના પાંડિત્ય છે. વડે આજીવિકા કરે—લુબ્ધની રીતે—એને વમેલું ખાનાર કહ્યો છે. ઉ. ના અહીં મૂકેલા લેકમાં ભાચુંડ પક્ષી વિશે કહ્યું છે. એ બે છવ, બે ચાંચ અને ત્રણ પગવાળું એક પ્રચંડ કાલ્પનિક પક્ષી છે. જીવ બે અને શરીર એક તેથી એને અત્યંત અપ્રમત્તપણે નિર્વાહ કરવાને હાય છે. જરા પણ પ્રમાદ થાય તે અવશ્ય મૃત્યુ થાય. આથી જૈન શાસ્ત્રો અપ્રમાદના વિષયમાં વારંવાર ભાર્ડનું ઉદાહરણ આપે છે. “કલ્પસૂત્ર'માં ભગવાન મહાવીરને માપવી ૩ સપૂન-ભાચુંડ પક્ષી જેવા અપ્રમત્ત, કહ્યા છે (ઉં. અનુ. ડો. સાંડેસરા, પૃ. ૩૫). ઉ. અને મ.ભા.ના અહીં મૂકેલા પ્લે સાથે સરખા ધમ્મપદ ની ગાથાઓ, अप्पमत्तो पमत्तेसु सुत्तेसु बहुजागरो। अबलसं व सीघस्सो हित्वा याति सुमेधसो ॥ २९-९ જે પ્રમોમાં અપ્રમત્ત છે, સૂતેલામાં બહુ જાગનાર છે. તે સુમેધ, શીવ્રઅશ્વવાળો બલહીન અશ્વવાળાને છેડીને (આગળ ચાલ્યા જાય તેમ) જાય છે. सदा जागरमानानं अहोरत्तानुसिक्खिनं । निब्बाणं अधिमुत्तानं अत्थं गच्छन्ति आसवा ॥ २२६-६ સદા જામર રહેનારને, અહોરાત્ર શીખનારાઓના, નિર્વાણમાં શ્રદ્ધા રાખનારાઓના આસો (નૃણાસંબંધી વાસનાઓ . પ. પૂ.૧૩૯) અસ્ત પામે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114