Book Title: Mahabharat ane Uttaradhyayan Sutra
Author(s): Upendrarai Jaychand Sandesara
Publisher: Bhogilal Jaychand Sandesara

View full book text
Previous | Next

Page 91
________________ ७४ [ મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર કોઈએ ઉપદેશ આપ્યો છે?' જવાબમાં “જાતે જ પ્રવ્રજિત થયો છું. ઉપદેશ આપ્યો હોય તે એક કેરીથી લચી પડતા આમ્રવૃક્ષે જેની કેરીઓ લોકેએ ખાઈ જવાથી સાફ થઈ ગયું હતું. તેને જોઇને સંપત્તિની ક્ષણિક્તાને ખ્યાલ આવ્યો.” (૧૩૮/૧૪૩ થી ૧૪૯) (સરખા નમિ “સ્વયંસંબુદ્ધકહેવાય છે એ.) આગળ જતાં શીવલી રાણીને પાછી વાળવા માટે એક કુમારીની ચૂડીઓના ખખડાટને દાખલ નજરે બતાવે છે. અને કમારીના મોઢે બે ભેગાં થતાં વિવાદ થાય છે એ જણાવતી ગાથાઓ રાણીને સંભળાવે છે (૫૩૯-૧૫૬ થી ૧૬૧) તેય શીવલી પાછી નથી જતી. તેથી આગળ જતાં એક કહુ આણુ બનાવનારને ત્યાં એકાગ્રતા માટે દાખલ નજરે બતાવે છે તથા બાણ બનાવનારની પાસે એકાગ્રતા માટેની ગાથાઓ બોલાવે છે (૫૩૯/૧૬૪ થી ૧૬૭), પણ રાણુ શીવલી પાછી જતી નથી ત્યારે છેવટે એક વન આવતાં રાણુને મૂકીને જનક અંદર ચાલ્યા જાય છે અને પછી પાછો આવતો નથી. પાછળને કન્યાની ચૂડીઓ તથા ૩૩ વાળો ભાગ શાંતિ. સ. ૧૭૮ સાથે સરખાવવા જેવો છે, જેમાં ધર્મરાજને તૃષ્ણાત્યાગને ઉપદેશ આપતાં અત્રે મૂકેલા શ્લેક જેવો બ્લેક “જનકે ગાયેલા ઈતિહાસ ” માં મૂકેલે છે: अनन्तमिव मे वित्तं यस्य मे नास्ति किञ्चन । मिथिलायां प्रदीप्तायां न मे दह्यति किञ्चन शांति.१७८।२ મારું ધન અનંત જેવું છે, પણ એમાં મારું કંઈ નથી. મિથિલા બળતી હોવા છતાં એમાં મારું કંઇ બળતું નથી. આગળ ચાલતાં એમાં શાન્તમૂર્તિ બેન્ચે (“બેધ્ય” નો અર્થ અહીં “બધિસત્વ” થઈ શકે એ લક્ષ્યમાં રાખવા જેવું છે) ઉપદેશનું લક્ષણ નહુષને કહેતાં પોતાના છ ગુરુઓ વિશે જણાવ્યું છે. એમાં પુર (બાણ બનાવનાર) અને કુમારીની ચૂડીઓ એ બે છે. અસલ તે મૈત્રેય નામના એક જ બોધિસત્વ બૌોમાં હતા. પાછળથી ઘણા ઉમેરવામાં આવ્યા (Monier Williams : Buddhism 134, 188, 189; MWD 734) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114