________________
આજ અપૂર્વ સવે શણગાર, સુગુણ મણિ સરિખો પરિવાર; જિન ધમી ગુરૂભકતો જેહ, યશ સૌભાગ્ય લહે વળી નેહ. આદિ નગર એ ઉત્તમ કામ, દિન દિન દીપે શોભા ધામ;
ઈમ અનેક ગુણમણિની ખાણ, કેના કરીએ અવર વખાણુ. ઉપસંહાર
એકવાર પાખીના સમયે સલખણુપુરનિવાસી વેદાશાહ વિરમદેને જીવદયાપ્રતિપાળ પુત્ર કેચરશાહ આવી ભરી સભામાં સૂરિને વદેિ છે અને કહે છે કે બહુચરાજીના દેવી મંદિર આગળ થતે જીવવધ અટકાવવા યત્ન કરવો જોઈએ, એ વેળા દેશળ શાહના વંશજ અને સમરસિંહના પુત્ર સાજણસિંહ ખંભાતમાંજ વસતા હતા, જે ઋદ્ધિ સિદ્ધિમાં અગ્રપદ ધરાવતા હતા અને સુલતાનના કૃપાપાત્ર હતા. કાચશાહની વાત શ્રવણ કરતાં, ગુરૂશ્રીને ઉપદેશ થતાં વધ બંધ કરાવવા તેમણે નિશ્ચય કર્યો. કચરશાહને માનપૂર્વક સ્વગૃહે તેડી જઈ તેમનું આતિથ્ય કરી તેમને સાથે લઈ એવી મધુરી વાણીમાં વસ્તુસ્થિતિ સમજાવી કે સુલતાને તરતજ જુના અધિકારીને બદલી સલખણુપુરનો અધિકાર કાચશાહનેસે. કેચરશાહે પણ બહુચરાજી પ્રમુખ બાર ગામમાં થતો વધ અટકાવી અહિંસાને વિજ્ય વાવટો ફરકાવ્ય.
શ્રી. શેત્રુંજય તીર્થના ઉદ્ધારક અમરસિહ રાસમાં જણાવ્યું છે કે સંઘવી દેશળ વિમળાચળ પર ચડ્યા ન હતા તેવામાં ખંભાતથી સંધ સાથે સાહણ આવ્યાની વધામણું મળી. ખંભાતના સંધમાં આચાર્યો હતા તેમને સમરાશાહે વન્દન કર્યું. પાતાક મંત્રીના ભાઈ મંત્રી સાંગણ, વંશપરંપરાગત સંધપતિત્વને પ્રાપ્ત કરનાર સં૦ સિંહભટ્ટ, શ્રાવક ઉત્તમ, મંત્રી, વસ્તુપાળના વંશજ મંત્રી વિજલ
તથા મદન મોહાક, રત્નસિંહ વગેરે અસંખ્ય શ્રાવક ઉત્કંઠિત થઈ Sh 241 adet HDMI41041 adla, Surat www.umaragyanbhandar.com