Book Title: Kavikulkirit Yane Suri Shekhar
Author(s): Labdhisuri Jain Granthmala
Publisher: Labdhisuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 446
________________ અશિખર t૩૮૫ સેનેરી કિરણઓથી પૃથ્વીતલને ઓપતે, સમગ્ર ચીજોને સ્પષ્ટ બનાવતે, અને બતાવત, ઉન્નતદશાને પ્રાપ્ત કરતે અને કરાવતે વિશાળ ઍમપથની મુસાફરીમાં નીકળી પડે હતો. રાત્રિના પ્રશાંત વાતાવરણથી સૌ ભક્તોના હૃદયમાં ગુરુસત્કારની ધુન એકમેક થઈ રહી હતી. ઇડરના સીમાડામાં આચાર્ય દેવેશ સપરિવાર પધાર્યા, અખિલ જૈન જનતા અદમ્ય ઉત્સાહથી હર્ષઘેલી બની આવી પહોંચી અને ચરિત્રનાયકનું દબદબા ભર્યું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જયજયનાદની ગર્જને સાથે પૂ. આચાર્ય દેવેશ વ્યાખ્યાનપીઠ ઉપર બીરાજ્યા. વિશાળ માનવમેદની સમક્ષ બુલંદ અને મધુર ધ્વનિએ મંગલાચરણ કર્યા બાદ માનવ જન્મની સાચી સાર્થકતા ઉપર હૃદય સ્પશી પ્રવચન આપ્યું હતું. પ્રતિદિન જુદા જુદા વિષય ઉપર ચરિત્રનાયકના વ્યાખ્યાને ચાલતા. માનવમેદની પણ મહાસાગરની જેમ ઉમટતી, નવા નવા વિષયો, નવા નવા દષ્ટાંતે અને કદીપણ ન સાંભળેલી એવી આકર્ષક દલીલે સાંભળતા ખરેખર શ્રોહવૃન્દ ચિત્રાલેખિત બનવા સાથે ધર્મ પ્રવૃત્તિઓમાં ખૂબ જા. વડાલીની વિનતિ– ઈડરથી પાંચ કોશ દૂર વડાલી ગામના અગ્રગણ્ય શ્રેષ્ટી વર્ગ આચાર્ય દેવેશને ત્યાં ધર્મ મહોત્સવ પ્રસંગે પધારવાની વિજ્ઞપ્તિ કરવા આવ્યો. દીર્ધદષ્ટી આચાર્ય દેવેશ ધર્મ અને શાસન પ્રભાવનાની વૃદ્ધિ વિચારી તેમની વિનતિ સ્વીકારી સસ્વાગત વડાલી પધાર્યા. ચરિત્રનાયકને અત્રેની જનતાને ખાસ પરિચય ન હતું. પરંતુ પ્રભાવસંપન્ન પુરૂષોના અતિશય એવા હેય છે, કે અપરિચિતે પણ દર્શન અને વાણું શ્રવણ માત્રથી અમાપ ઉત્સાહી અને અસાધારણ ભક્તિવાલા બને છે. વડાલીની જૈનજનતા ચરિત્રનાયકને ધર્મઉપદેશ સાંભળવા સહર્ષ

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502