________________
પ્રાંતાંજલિ
આ ચરિત્ર
પ્રાન્ત લેખક તરફથી નમ્ર એટલુંજ સૂચન છે કે આલેખતાં યથાતથ્ય સાચવવા પૂરેપૂરી કાળજી રાખીજ છે એટલું જ નહિ પણ ખાસ અગત્ય ભર્યાં મહત્ત્વના આદર્શો અને ઊપકારક વિષયાનેજ ટાંક્યા છે એમ કહીએ તે પણ બિલકુલ સાચુજ છે. અતિશયાક્તિથી પર રહેવુ એ મ્હારા પેાતાના સિદ્ધાન્તજ છે જેથી તે દોષ પણ અલભ્ય આ અખિલ આલેખનમાં રહે છેજ. બાકી નાના નાના અખિલ પ્રસંગે જીવનવૃત્તમાં આલેખાયા હોત તો ડમ્બલ ગ્રંથ થવા સંભવ રહેતે.
પ્રસંગે પ્રસંગે વૈરાગ્યના વિષય ટૂંકમાં પણ ઊપયોગી કેટલાક ઐતિહાસિક વિષય તેમજ ધર્મદ્રોહક જાણવા જેવી કેટલીક જમાનાની કીયત હૃદય પ્રેરણાના વેગથી પ્રસંગાનુસંગત અવાર નવાર આલેખાયેલ છે, જે ચરિત્ર નાયકના જીવનવૃત્તને સ્પર્શીનેજ એક જાતની સમીક્ષા થઇ છે એથી સુજ્ઞજના ધિટત અને સમુચિતજ ગણશે,
આ જીવનવૃત્ત લખતાં જે મહાત્માઓએ અને મહાશયાએ મ્હારા મન્દ પડતા ઊત્સાહને સતેજ અને સવેગ બનાવ્યો છે, અનેક સ્વાનુભૂત વિવિધ રાચક વિષયાથી મને માહિતગાર કર્યાં છે, મારી મન્તુ પડતી આલેખન વિષયક પ્રવૃત્તિને કેટલાક સાધના દ્વારા ઊપકૃત કરી છે, તેમજ પ્રેસ કાપી વિગેરેમાં હૃદયપ્રેમથી ગુરૂભક્તોએ જે મદદ આપી છે અને પરિશ્રમ ઉઠાવ્યા છે. તે હરેક ઉદારવૃત્તિ સજ્જનેાની હું સુભાવિત અન્તઃકરણથી આ સ્થળે તે પ્રશસ્ત પ્રવૃત્તિઓને પ્રશંસુ છું.
વ્યવસાયની બાહુલ્યતાથી સ્મૃતિ, દૃષ્ટિ અગર પ્રેસદોષથી તેમજ અન્ય કાઇપણ સાધનાની પ્રતિકુલતાથી આ બહાર પડતા જીવનનૃત્તને કોઈપણ સ્ખલના નજરે ચડે તેા સુજ્ઞાને સૂચન છે કે ક્ષન્તવ્ય રાખી સુધારી અવલાકરો.