________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર ઃ ૭ એના કાર્ય ને વિચારમાં નુક્તચીની કરનાર આપણે પામર કોણ?
અને દોષ દેખનાર તો ચંદ્રમાં ને સૂરજમાં પણ દોષ જુએ છે ! ઘુવડને દિવસને રાજા સૂરજ કદી ગમ્યો નથી. એ વીતેલાં કષ્ટોની કહાણ અલ્પ કરું. સારાંશમાં જે જેનું તે -તેને અર્પણ કરી આ ગ્રંથ પ્રકાશિત થાય છે.
એ પરમ કલ્યાણમૂર્તિ, મહાનગી , સમાજ, દેશ ને -ધર્મના સાચા હિતસ્વી ગનિષ્ટ સૂરિરાજના ભક્તોને આ પ્રસંગે
એક વાતે ચેતાવી દેવા માગું છું કે આજે એક દેહના જ અનેક અંગો વચ્ચે તે જોષ જાગે છે અંગઉપાંગે દેહથી અલગ અસ્તિત્વ માગે છે. પીંછાંને મેર ગમતો નથી. એ મહાન ગુરુદેવની સુકીર્તિના સ્તંભેને પિલા ને જમીનદોસ્ત કરવાના પ્રયત્નો પૂરજોશે ચાલુ થયા છે. આપણે સદા કાળ જાગ્રત રહીએ, કુહાડાના હાથા ન - અનીએ ને સૌને બુદ્ધિ વાંછીએ.
અંગત થઈને અંતરના ઘા કરનાર પર ભાવ-દયાની દષ્ટિ રાખી, ટૂંકમાં મહાન ક્રાંતિકાર ને અબધૂત ઓલિયા સ્વ. સૂરિજીએ જે કહ્યું હતું તે અમે તેઓના જ શબ્દમાં ફરી કહીએ છીએ,
યોદ્ધો સારો અભિમુખ રહી, શસ્ત્રનો ઘાવ મારે,
પોતાના થઈ હદય હણતા, તે મળે ના જ કથાશે.' પ્રાતે આ ગ્રંથપ્રકાશનમાં હજાર હાથ રળિયામણું બન્યા છે. અનેક શ્રદ્ધેય આત્માઓ પાસેથી અણધારી મદદ મળી છે. એ બધું દેવ-ગુરુની કૃપા માની, એ સહુને આભાર માની મારું વક્તવ્ય પૂરું કરું છું.
ગુરુચરણોપાસક સંઘ સેવક મુનિ દુર્લભસાગર ગણિ
For Private And Personal Use Only