________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્કર્મો જિદ્દીપણામાં ક્રોધ સાથે જે અવિવેક પણ ભળે તે. ભયંકર વિનાશ સર્જે છે. વાત વાતમાં જીદ ચાલુ થાય તે. ડાહ્યા માણસેએ મૌન ધારણ કરી નમતું આપી દેવું હિતાવહ છે.
જે વ્યક્તિ નમતું આપી દેવાની વૃત્તિ કેળવે તે મહાન બને છે.
ફોધમાં લીધેલ નિર્ણય અને કાર્ય ઘણી વાર એવું ભયંકર પરિણામ લાવે છે કે જેને પશ્ચાત્તાપ જિન્દગી પર્યત રહે છે.
જે વ્યક્તિ પોતાની જિહુવા પર સયંમ રાખી શકે છે તેનું દરેક સ્થળે માન – સન્માન થાય છે.
જિવાનું વહેણ બંધ થતાં જ હૈયાનું વહેણ ખૂલી જાય છે. મૌનથી સંકલ્પબળ વધે છે.
જે વ્યક્તિ સત્કાર્યો કરે છતાં જાહેરમાં દર્શાવવા ઈચ્છે નહીં તે મહાપુરુષ. આથી જે કંઈ સત્કર્મો કરે તે ગુપ્ત કરે અને યશેષણ ન રાખે.
સત્કર્મો એ કલ્યાણરૂપી વૃક્ષનાં મૂળ છે. જેમ વૃક્ષનું મૂળ ગુપ્ત હોય તેમાં જ વૃક્ષની સલામતી છે તેમ સત્કર્મોની ગુપ્તતા કલ્યાણની સલામતી છે.
બીજાને સુધરવાને ઉપદેશ દેનાર પંડિતને પિતાને
For Private And Personal Use Only