Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુપાત્રે દાન ભગવાન તે આપણું છે માટે આપણે જ હાથે તેની પૂજા કરવાની છે. વ્રત માં પણ પ્રસાદ આપી જાય છે, ધામધૂમમાં હાજર રહીએ અને સાચી ભીડમાં ઊભા રહેતા નથી. આજકાલ વિવેક ચાલ્યો ગયો છે. તેને પાછો લાવવાને છે. આપણું શાસન તે ભાવનાઓથી રંગાયેલું છે. ભાવના ભવનાશિની છે. પૂજાના નિમિત્તથી દાન દેવાને પ્રવાહ ચાલે છે, હજારમાં એકબે વિરલા જ આચાર્યો થાય છે અને તેમનાથી શાસન ચાલે છે. જેમ હીરાની સાચી કિંમત ઝવેરી સાચી કરશે ત્યારે બીજાઓને ઝવેરીની સાચી. કિંમત હોતી નથી તેમ હીરાની પણ સાચી કિંમત તેઓ કરી શકતા નથી. જિનેશ્વર ભગવાનની વાણીને પહેલાં સાંભળવાની છે, કમળ સરોવરમાં ખીલી ઊઠશે અને ઉકરડામાં કરમાઈ જશે. ખીલેલાં કમળને જવાની શુભ ભાવના રાખવી. ખેડૂતે બીજને લઈ વાવવા માટે ભૂમિને ઉત્તમ બનાવે છે. અને બીજ પણ સડેલું લેતા નથી. ઉતમ વાણી ઉત્તમ હૃદયમાં પહોંચીને સુંદર ફળ આપે છે. પાંચમા આરામાં દાન પણ અગ્યતામાં દેવાશે. દાન પ્રામાણિકતાનું નહીં હોય તેથી સારાં ક્ષેત્રમાં દાન નહિ. દેવાય. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84