Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४८ જીવનને અરુણદય, ચડતું તે પિતાની હવાઈપટ્ટીમાં આગળ ને આગળ પિતાના નિશ્ચિત સ્થાન તરફ ઊડતું રહે છે. આ પ્રક્રિયામાંથી વિમાનને પસાર થવું જેટલું અનિવાય છે તેટલું જ વિમાનની સાધન-સામગ્રી, તેનાં વિવિધ યંત્રો બરાબર હોય તે પણ અનિવાર્ય છે જ. મુક્તિ-મંજિલ પણ ઊંચે. અતિ ઊંચે, અનંત આકાશને પેલે પાર છે. ત્યાં પહોંચવા માટે સાધકે આ વિમાનની જેમ ઉડ્ડયન કરવાનું છે. સાધકે પણ આધ્યાત્મિક ગગનમાં ઊડવાનું છે. જીવનના રન-વે પર મનના પંખા જોરથી ઘુમાવી વિષયકાષાયરૂપી હવાને બહાર છોડવાની છે. જીવનમાં વિવેક અને વૈરાગ્યનું પ્રેશર લાવવાનું છે. - વિવેક અને વૈરાગ્યનું પ્રેશર મળતાં જ આંતરિક જીવન ઊંચે ઊડવા લાગે છે. વચમાં આવતાં પ્રલોભને અને અવરોધે માંથી પાર થઈ ઊંચે ને ઊંચે સતત જતા જ રહેવાનું છે. અને જે એટલી ઊંચાઈએ પહોંચે છે ત્યારે તેને મુક્તિને ચોક્કસ માર્ગ આપોઆપ મળી જાય છે અને પછી તે સરળતાથી આ માર્ગે આગળ થે જાય છે. પણ આ પહેલાં જીવનની યંત્રસામગ્રીને બરાબર કરવાની અને રાખવાની જરૂર છે. વિચાર, વાણી અને વર્તનને શુદ્ધ અને અલગ રાખવાં પડશે અંતઃકરણને નિર્મળ અને નિર્વિક૯પ બનાવવું પડશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84