Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 62
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્યને સ્વીકાર ધર્મ કઈ સંપ્રદાયમાં, સંઘર્ષમાં કે વાદવિવાદમાં નથી. પરંતુ કેઈ પણ ઈરછાઓના અભાવમાં ધર્મ સમાય છે. જે સત્યને સ્વીકાર કરી શકે તે જ ધર્મને લાયક માનવ છે. ધર્મ એટલે અંતઃકરણની શુદ્ધિ અને અંતઃકરણની શુદ્ધિ શુદ્ધ વિચારો વડે થાય છે. આ વિચારે દ્વારા જ જગત છેડીને પરમાત્માને પામવાનું શક્ય બને છે. જેના જીવનમાં સદાચારની સુગંધ હશે તેમનું જીવન મહેકી ઊઠશે. સદાચારથી આચરણ શુદ્ધ બને છે. અને આ આચરણ શુદ્ધ રાખવા સદાય જાગ્રત રહેવું પડે છે. આત્માની સુખ-શાંતિ આત્મામાંથી જ પ્રાપ્ત થશે. બહાર શેધવાથી મળશે નહીં. જેવી રીતે ઘરમાં ખોવાયેલી વસ્તુ ઘરમાં જ શોધવાથી મળે છે, બહાર બજારમાં શોધવાથી નથી મળતી. જેમ મકાન માટે તેના પાયાની મજબૂતાઈ જરૂરી છે તેમ સદાચાર રૂપી પાયો મજબૂત હશે તે જ તેના પર સાધના રૂપી ઈમારત ખડી કરી શકાશે. તમે જો એક વાર રામાયણને પરિચય કરી લો તે ક્યાંય ભટકવું નહીં પડે. રામાયણના પરિચય વગરનો દુનિયાને પરિચય નકામે છે. તમને રામાયણના પરિચય વગર સિદ્ધિ પ્રાપ્ત થવાની નથી. દરેક પુરુએ રામને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84