Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 76
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪ જીવનને અરુણોદય છે કે માનવ ભૂતકાળની ભૂલને જોઈ શકે છે. આગળપાછળને વિચાર કરી શકે છે, ભૂલોને સુધારવાનો પ્રયત્ન કરી શકે છે, વળી માનવ જેવું જીવન બનાવવા ઇચછે તેવું બનાવી શકે છે, જ્યારે પશુ આ કશુંય કરી શકતાં નથી. ગંદાં કપડાં કે ગંદુ શરીર જેટલું દુઃખ આપતાં નથી, તેવી વધુ દુઃખ મલિન આત્માની મલિનતા કળે ત્યારે પ્રાપ્ત થયેલ સાધનસામગ્રી કાર્યગત બને છે અને આત્મા સુખશાતાને અનુભવ કરી શકે છે. માટે આત્માને લાગેલી કર્મરૂપી ગંદકી દૂર કરવા પ્રયાસ કરવો જોઈએ. નાનામાં નાની વસ્તુની પણ ઘણી કિંમત હોય છે. અને તે ઘણું ભયંકર પરિણામે પણ લાવે છે. નાનામાં નાની અગ્નિની કણી આખા ગામને બાળીને રાખમાં ફેરવી દે છે. નૌકામાં નાનકડું છિદ્ર નૌકાને ડુબાડી દે છે, નાના એવા બીજમાંથી વડ બને છે તેમ આત્મામાં પડેલે નાનકડે ગુણ ઘણુ ગુણોને લાવનાર બને છે. જે ગરીબ હોવા છતાં પિતાના એક રેટલામાંથી અડધો ભાગ ભૂખ્યા પડેશીને આપીને ખાય છે તે જ માનવ છે, તેનામાં માનવતા છે પણ પિતાના હાથમાં બે રોટલા હોવા છતાં ભૂખ્યાને આપતું નથી અને ગરીબને ચૂસે છે તે દાનવ છે. માણસને ધર્મથી મળતું સુખ જોઈએ છે અને અધર્મથી મળતું દુઃખ જોઈતું નથી. પણ ધર્મને કર નથી અને અધર્મને છોડ નથી તે ક્યાથી દુખ ટળવાનું હતું ને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84