Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 74
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨ જીવનને અરુણોદય પર્યાયે આત્માના ગુણોમાં ફેરફાર કરે છે, ક્ષણેક્ષણ પર્યાય બદલાયા કરે અને તે પર્યાય પ્રમાણે આપણે બધું બેલીએ છીએ, કરીએ છીએ, માટે બધો આધાર પર્યાય ઉપર છે. ‘હું મને જડતો નથી આ વાત ખુદ આપણે જ વિચારીએ છીએ. આત્માનું અસ્તિત્વ છે. એટલે જ આત્માને વિચાર આવે છે. જેમ માને કદી વાંઝણી કહેવાતી નથી, તલમાં તેલ છે, દૂધમાં ધી છે. લાકડામાં અગ્નિ, ફૂલમાં સુગંધ છે, તેમ શરીરમાં આત્મા રહેલો છે, અરૂપી રૂપીમાં છુપાઈને બેઠેલે છે, જ્ઞાનના મંથનમાંથી આત્મા મળે છે. જ્યાં સુધી વાસના છે ત્યાં સુધી મુક્તિ મળતી નથી. એકલું તપ કામ નહીં લાગે પણ જ્ઞાનના પ્રકાશથી કરવાનું છે. તપ, જ્ઞાનનું મેળવણુ, શાંતિ, મનન પછી જ આત્મજ્ઞાન થાય છે. તું કેમ છે? કયાંથી આવ્યો છે? ક્યાં જવાનો છે? અહીં શા માટે આવ્યા છે ? તારે ધ્યેય પર પહોંચવા માટે તૈયારી કરવાની છે. નિષ્કામ ભક્તિ મભૂમિમાં ભયંકર તડકો પડતો હોય તે વખતે આપણને ભ્રમ થતું હોય છે કે સામે પાણી છે. આપણે આગળ જઈને જઈ એ તે પાણી મળતું નથી. તેમ આ સંસારમાં માણસ અર્થપ્રાપ્તિ માટે ઘણા પ્રયત્ન કરે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84