________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૫ ] ભગવાને બધું જાણી લીધું હોય તો જીવોએ કોઇ પુરુષાર્થ કરવો રહેતો નથી તેવી ઊંધી માન્યતાઓ પણ કેટલાક ધરાવે છે. પરંતુ જે જીવ સ્વસમ્મુખ થઈ પોતાના સ્વરૂપનો જ્ઞાતા થાય તેને ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય થઇ શકે; અને તેવો નિર્ણય યથાર્થ પુરુષાર્થ વિના થતો નથી એ વાત તેમને લક્ષમાં આવતી નથી. તેથી આત્માનો મૂળ જ્ઞાતા સ્વભાવ તેમના જાણવામાં નહિ આવતો હોવાથી “ણમો અરિહંતાણં' પદનો પણ સત્ય અર્થ તે જાણી શકતા નથી અને આત્મસ્વભાવના અજ્ઞાત રહે છે.
વસ્તુનો સ્વભાવ એવો છે કે તેમાં ક્રમબદ્ધ પર્યાય થાય જ; તથા કેવળજ્ઞાની પણ વસ્તુસ્વરૂપના પરિપૂર્ણ જ્ઞાતા છે. તેમના જ્ઞાનમાં બધું જાણવામાં આવેલ હોવાથી દરેક દ્રવ્યના ક્રમબદ્ધ પર્યાય થાય છે એમ માન્યા વગર કેવળજ્ઞાનનું સ્વરૂપ યથાર્થપણે જાણવામાં આવતું નથી, માટે દરેક દ્રવ્યના પર્યાય ક્રમબદ્ધ થાય છે તેમ જિજ્ઞાસુઓએ નક્કી કરવું જોઈએ. ૬. અભાવ:
આ “પ્રશ્નોત્તરમાળામાં અભાવ નામનું પ્રકરણ જુદું રાખવામાં આવેલ છે તેનો અભ્યાસ કરવાથી માલૂમ પડશે કે એક વસ્તુનો બીજી વસ્તુમાં દ્રવ્ય, ક્ષેત્રે, કાળે અને ભાવે ખરેખર અભાવ હોવાથી બીજાનું કાંઇ પણ કરી શકતું નથી; અને આવું નક્કી કર્યા સિવાય, અનાદિથી ચાલી આવતી પર દ્રવ્યની કર્તબુદ્ધિ ટળે નહિ, નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વ્યવહાર સંબંધ છે. નિમિત્ત-નૈમિત્તિકનો પરમાર્થ અર્થ એ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com