Book Title: Jain Adarsh Prasango Part 11
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 16
________________ ૨. દુખ માં સમરો સુરતના બેલાબેનના જીવનમાં બનેલો ચમત્કાર તેમના જ શબ્દોમાં વાંચીએ... ૧૯૯૦ની વાત છે. ઈલેકશન હોવાથી ત્રણ દિવસની રજા હતી. દુકાનો બંધ હોવાથી અમે પાલીતાણા જવાનો પ્રોગ્રામ બનાવ્યો. અમે ગાડી લઈને નીકળ્યા. હું, શ્રાવક, નાનો બે વર્ષનો બાબો, નણંદ, નણદોઈ અને તેમનો ૧૫ વર્ષનો પુત્ર. સરસ જાત્રા થઈ ગઈ. જાત્રા કરી બપોરે અમે સુરત તરફ પરત નીકળી ગયા. વોટીંગ નું કાઉન્ટીંગ ચાલતું હતું એનું રીઝલ્ટ આવી ગયું હોવાથી અંકલેશ્વરની પહેલાં આમોદમાં ધમાલ ચાલુ થઈ ગઈ હતી. અમે આમોદ પાસે આવ્યા ત્યારે ૧૦૦થી ૧૫૦ માણસોના ટોળાએ તલવાર, લાકડી, ગુપ્તી વગેરે લઈને અમારી કારને ઘેરી લીધી. મારા શ્રાવક ડ્રાઈવીંગ કરતા હતા. ટોળુ સખત ગુસ્સામાં હતું. અમારી ગાડી પર જોર જોર થી લાકડીઓ મારવા લાગ્યા. એક જણે ગાડીનો કાચ ખોલવાનું કહી શર્ટની અંદરથી લાંબુ ચપ્પ નીકાળ્યું અને બહાર નીકળવા ધમકાવવા લાગ્યો. અમે બધા ખૂબ જ ડરી ગયા. બધા આદીશ્વરભગવાનને યાદ કરી સતત નવકારમંત્રનું સ્મરણ કરવા લાગ્યા. ત્યાં જ વચ્ચે ટોળામાંથી જાણે ભગવાને મદદ કરવા મોકલ્યા હોય તેમ એક વૃધ્ધ કાકા આગળ આવી બધાને અટકાવી કહેવા લાગ્યા, આ લોકોને જવા દો આ લોકો તો આપણાવાળા છે. અને અમને કહ્યું આગળ પણ ૧૦૦થી ૨૦૦ માણસોનું ટોળું મળશે. તેમને મારૂ નામ આપી ને કહેજો કે, અમે તેમના સગા છીએ. તો જ તમને જવા દેશે. અમારી કારની આગળ એક ટ્રક ડ્રાઈવરનું દુિર્જનને વખાણવાની જક્શનથીતોવખોડ્વાની પણ જક્શનથી.. Jain Education mernauonal For PersonalPhvate use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52