Book Title: Jain Adarsh Prasango Part 11
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 33
________________ -- --(૩૧) નિર્ણય કર્યો કે અંતિમ સમયે શત્રુંજયની યાત્રા કરી છે, તો એમની પાછળ બેસણા કે પ્રાર્થના સભા કે પૂજા રાખવાને બદલે શત્રુંજય ગિરિરાજની સંગીત સાથે ભાવયાત્રા રાખવી છે. સવારે ૮ થી ૧૨ સુધી અને ભાવિકો ગિરિરાજના રંગે રંગાઈને અનંત કર્મોનો ક્ષય કરી શક્યા. નિમિત્ત એ જ કે પરિવારે લીધેલો ઉત્તમ નિર્ણય... કોઈના મૃત્યુ બાદ પ્રાર્થના સભા કે પૂજાને બદલે વ્યાખ્યાન કે ભાવયાત્રા ગોઠવવાથી સહુને જ્ઞાન મળે... અને ૧૬. પતિદેવ, એક સાધ્વીજી ભગવંતે જણાવેલ પ્રસંગ ખૂબ મનનીય છે. પૂ. સાધ્વીજીના શબ્દોમાં જ એ માણીએ... મોટા શહેરમાં ચોમાસુ હતું. સંઘ ખૂબ મોટો, આરાધક વર્ગ ઘણો સારો. ઉપાશ્રય ભર્યો ભર્યો જ રહે. સામાયિક મંડળ, પ્રતિક્રમણ મંડળ, પૂજા મંડળ હોવાથી અવસરે અવસરે અનુષ્ઠાન ચાલ્યા કરે. ઘણી આરાધક બહેનોનો નીકટથી પરિચય થયો. એકવાર ૩-૪ બહેનો સામાયિક કરી ઘરે જતાં મળવા આવી. સહેજે વાત વાતમાં પુછયું કે ધર્મિષ્ઠાબેન કેમ દેખાણાં નહિ ? એક બેન બોલ્યા કે બહાર ગયા લાગે છે. મારાથી બોલાઈ ગયું, “શું આરાધક શ્રાવિકા છે. મૌનપૂર્વક દરેક આરાધનામાં અનુષ્ઠાનોમાં હોય જ. વળી, મુખ હંમેશા હસતું જ હોય, કયારેક કોઈની સાથે ઉંચે અવાજે બોલતાં સાંભળ્યા નથી.” એક બેન બોલ્યા. “ખરેખર આરાધક, સમતાધારી અને હસમુખા જ છે. પણ.. સાહેબજી! એમને એક મોટું દુઃખ આપમતિ એપાપમત છે. - - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52