Page #1
--------------------------------------------------------------------------
________________
ભાગ - ૧૧
અપ્રાતિહાર્યયુક્ત પરમાતા નો વિહાર
पंन्यास (भद्रेश्वरचिय
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી વાસુપૂજ્ય સ્વામિને નમ: IIથી સુમતિનાથસ્વામિને નમ: II
| માતૃ વંદના ..
અરિહંત શરણ તા. ૧૫-૦૧-૨૦૧૨ રવિવાર, પોષ વદ-૭, સં.૨૦૬૮ શ્રી જયંતીલાલ મણીલાલ શાહ - મુદરડાવાળા ના ધર્મપત્ની
સ્વ.પુષ્પાબહેને જયંતલાલ શાહ ની સ્મૃતિમાં પરિવારજનો તરફથી શ્રદ્ધાસુમન. સ્વ. શ્રી મણીલાલ છગનલાલ શાહ પરિવાર - મુદરડાવાળા સ્વ. શ્રી હીરાલાલ કાળીદાસ શાહ પરિવાર - માણેકપુરવાળા શ્રી હિતેન્દ્ર જયંતીલાલ શાહ શ્રીમતિ ગીરા હિતેન્દ્ર શાહ
શ્રી પરેશ જયંતીલાલ શાહ શ્રીમતિ દીપા પરેશ શાહ શ્રી પિયુષકુમાર અમૃતલાલ શાહ શ્રીમતી ફાગુની પિયુષકુમાર શાહ
| દર્શક, વૈશલ, ફોરમ, દીયા, ધ્રુમિલ, મીત એમ-૧/૨, આનંદ ફલેટ, અંગીતા સોસા. સામે, પ્રગતિનગર ગાર્ડન પાસે, નારણપુરા, અમદાવાદ-૧૩.
મોબાઈલ ૯૨૨૭૨ ૦૬૭૦૩, ૯૮૭૯૦ ૦૨૯૫૫ (રહે.) ૯૨૨૮૫ ૮૦૨૫
For Personal & Private Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
ૐ હું અહં નમઃ આ પ્રેમ-ભુવનભાનુ-જયઘોષસુરીભ્યો નમઃ - જેન આદર્શ પ્રસંગો ( સત્ય, વર્તમાન, શ્રેષ્ઠ, ધાર્મિક દૃષ્ટાંતો)
( ભાગ - ૧૧ ) પ્રેરક : પંન્યાસ ભદ્રેશ્વરવિજય ગણિ
સંપાદક : મનિ યોગીરત્ન વિ. મ. સા. આવૃતિઃ પ્રથમ છે. તા. ૧૨-૯-૨૦૧૨ | કિંમત પ નકલ ૧૦,000
રૂા. ૨-૦૦ પ્રાપ્તિ સ્થાન: અમદાવાદ : છે મિતેશભાઈઃ ૧, સુકલડુપ્લેક્ષ, નવા વિકાસગૃહપાસે, પાલડી, અમદાવાદ
ફોન : ૨૬૬૧૧૫૮૨ મો. : ૯૪૨૭૬૧૩૪૭૨
(ઃ મુંબઈઃ નાગદેવી પ્રબોધભાઈ યુમેકો, ૧૦૩, ૧લોમાળ, નારાયણ ધ્રુવ સ્ટ્રીટ, મુંબઈ
ફોનઃ ૨૩૪૩૮૭૫૮ મો. : ૯૩૨૨૨૭૯૯૮૬ ( પ્રકાશિત થયેલા અન્ય પુસ્તકો પંન્યાસ ભદ્રેશ્વરવિજય )
જૈન આદર્શ પ્રસંગો ભાગ ૧થી૮ ભેગુ પુસ્તક રૂા. ૩૦
જૈન આદર્શ પ્રસંગો ભાગ ૧થી૮ છૂટા દરેકના રૂા. ૩. જૈન આદર્શ પ્રસંગો ભાગ ૯, ૧૦ અને ૧૧ દરેકના રૂા. ૨ પર્યુષણ, આયંબિલની ઓળી, પૂજા, પૂજન, તીર્થયાત્રા પ્રવાસ, પ્રવચન, આદિ ધર્મ પ્રસંગે પ્રભાવના કરવા યોગ્ય સાવ સસ્તુ અને સુંદર પુસ્તક મુદ્રકઃ આશિષભાઈ શાહ, અંકુર, નારણપુરા, અમદાવાદ.
મો. : ૯૮૭૯૦૮૮૬૭૮
For Personal & Private Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
BE GENTLE, BE GREAT
કલિકાલમાં ચોતરફ ભોગવાદ, વિલાસવાદ વધી રહ્યો છે. “આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા” આ સૂત્ર મોટા ભાગના મનુષ્યોનો જીવનમંત્ર બની ચૂક્યું છે, તેવા કાળમાં પણ સત્વશાળી જીવો પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન રૂપી F. D. એકઠી કરી પરલોકથી પરલોક ના સૌંદર્ય માટેના પ્રયત્નો કરી રહ્યા છે. દુર્જનતા દુનિયામાં સુલભ છે, સજ્જનતા દુર્લભ છે. ચાલો, એવા ઉત્તમ જીવોના ગુણોની અનુમોદના કરતા પ્રમોદભાવના પ્રભાવે આપણે પણ એ ગુણોના માલિક બનવા પ્રયત્ન કરીએ એ જ શુભ અભ્યર્થના. અનેક ગુરૂભગવંતો તથા આરાધકોએ પ્રસંગ મને આપ્યા છે, જણાવ્યા છે, તેઓનો પણ ઋણી છું. અંતે પ્રભુની આજ્ઞાવિરુધ્ધ કાંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે મિચ્છામિદુક્કડમ્. - પં. ભદ્રેશ્વરવિજયના શિષ્ય મુનિ યોગીરત્નવિજય
OPEN BOOK EXAM “આત્મ ગ” પુસ્તકમાં આઠ કર્મના દ્રવ્ય-રુ-કાળ-ભાવ-ભવથી સુંદર ચિંતન મુક્ત છે. પુસ્તકની કિંમત રૂા. ૨૦ પેપરના રૂા. ૫ કુલ રૂા૨૫ જૈિન આદર્શ પ્રસંગો ભાગ - ૧૧ના સૌજન્યદાતા શ્રુતપ્રેમીઓ) શ્રીમતી ઈલાબેન અશોકભાઈ ઘેલાભાઈ - જૈન મર્ચન્ટ શાહ આહના જીગરભાઈ - આંબાવાડી શ્રીમતી સ્વાતિબેન પ્રફુલભાઈ શાહ - આંબાવાડી વોરા અહમ્ હાર્દિકભાઈ - સકિરણ આંબાવાડી શારદાબેન દીપકભાઈ પરિવાર
- દીપકલા હેમેન્દ્રભાઈ મણીલાલ તથા કીર્તીભાઈ ભોગીલાલ - તુલસીશ્યામ શ્રીમતી સુલોચનાબેન હસમુખભાઈ ફુલચંદ - નારણપુરા શ્રીમતી દિપ્તીબેન કમલેશભાઈ શાહ - દેશના, મીરામ્બીકા શ્રીમતી કલાબેન ચંપકલાલ શાહ - કલ્પતરૂ ચીનુભાઈ પ્રેમચંદ શાહ
- રૂપલપાર્ક શ્રીમતી શોભનાબેન જીતેન્દ્રભાઈ સોલારોડ પરીન સમકભાઈ
- સોલારોડ શ્રીમતી શોભનાબેન યતીશભાઈ - અમર, ઓપેરા શ્રી અરવિંદભાઈ શાંતિલાલ શાહ - શુકન-૪, મિરામ્બીકા સ્વ. વાર્તિક સંજયભાઈ શાહ - જિનેશ્વર ટેના. રન્નાપાર્ક
For Personal & Private Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
જ જીજે-
( 3 ) ૪૯ - - * જ ૧. જૈન બાળકની ખુમારી
મુંબઈના ભાયંદર પરાનો એ બાળક. પૂર્વભવની જૈન ધર્મની આરાધના અને આ ભવમાં મળેલા જૈન ધર્મના સંસ્કારના પ્રભાવે નાની ઉંમરમાં તેની ખુમારીની વાતો તેના જ શબ્દોમાં
વાંચીએ...
હું ગુજરાતી મીડીયમમાં ભણતો, એ વખતે સાતમા ધોરણમાં હતો. મારા કલાસ ટીચરને મારા માટે સારો એવો સ્નેહ... પણ પ્રીન્સીપાલના પત્ની કે જેમને અમે બધા મેડમ કહેતા, એમને મારા તરફ અણગમો થઈ ગયેલો. એનું કારણ માત્ર એટલે કે પર્યુષણમાં ૬૪ પ્રહરી પૌષધ કરવા માટે મેં રજા માંગેલી. મેડમે મને પુછયું.. “આઠ આઠ દિવસની રજા કેમ ચાલે? કેટલું ભણવાનું બગડે? એવો કેવો ધરમ તમારો.” પણ મેં જીદ પકડી રાખી, ..હું મારું ભણવાનું પાછળથી વાળી લઈશ. વળી મારું વર્ષ બગડે કે સુધરે એ તો મારે જોવાનું છે...
હું એમની વાત ન માનું, એટલે એ ગુસ્સે ભરાય એ સ્વાભાવિક છે. એ ખૂબ અહંકારી... સ્કુલમાં ઘણી વધુ સત્તા.. તુમાખી વાળા.. બધા એમનાથી ગભરાય, એટલે જ બધા એમની વાત તરત જ માની લે., એમાં મારા જેવા ના પાડે, એટલે એમને ખાર ચડે એ સ્વાભાવિક છે.
પણ એ બધી પરવા હું કરતો ન હતો, મેં તો આઠ દિવસની રજા પાડી, પૌષધ કર્યા, આઠ દિવસ સુધી મારી ગેરહાજરી જોઈને એ સિયાવિયાં થઈ ગયા. આખી સ્કુલમાં, વિશેષથી અમારા કલાસમાં એમનું નાક કપાવા બેઠું હતું, કેમકે મેં એમની ઉપરવટ જઈને નિર્ણય લીધો હતો....
નવમા દિવસે પારણાં બાદ દસમા દિવસે સ્કુલે ગયો, - જીવન વધારવાનો પ્રયન સુધારવાનો પ્રયા?
For Personal & Private Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
-----(૪) ૯-૯-૦૯-૪૨૯-૯-૯ અને મને જોઈને એમને દાઝ ચડી. આટલા દિવસનો બધો જ બળાપો મારા પર કાઢવા માટે જૈન ધર્મની વિરૂદ્ધમાં બધાની વચ્ચે જ જેમ તેમ બોલવા માંડયા, “આ જૈનો બસ માત્ર પૈસા ખર્ચો કરે, ખાધા-પીધા કરે, ભણવાનું ય બાજુ પર મૂકીને ધરમના પૂંછડા બની ને જીવે...”
એ જેમ જેમ બોલતા ગયા તેમ તેમ મારો આવેશ વધતો ગયો, પણ હું શું કરી શકું ? હું માત્ર ૧૨-૧૩વર્ષનો વિદ્યાર્થી એ ૪પ વર્ષના આખી સ્કુલના મેડમ.. પ્રીન્સીપાલના પત્ની. છતાં મારો મિજાજ ગયો, મેં હિંમત કરીને મોઢા પર કહી દીધું કે “મેડમ. તમારે મને જે કહેવું હોય તે કહો, પણ મારા ધર્મની વિરુદ્ધમાં કશું બોલવાનું નહિં. મારાથી એ સહન નહિં થાય.”
આ પણ એમનું ઘોર અપમાન હતું, એમની સામે આજ સુધી બધા “હા જી જ કરનારા આવ્યા હતા, જયારે મારા જેવા નાનકડા વિદ્યાર્થીએ એમની સામે આજે માથું ઉચક્યું હતું.
એ પણ ગુસ્સે થઈ ગયા. “તું મને કોણ અટકાવનારો... હું જે ઈચ્છું તે બોલું. તારા જેવો છોકરો મને સંભળાવી જાય, એ કદી હું સહન નહીં કરું...”
એ દિવસે તો ભારેલા અગ્નિ સાથે બધા છૂટા પડ્યા, પણ મને લાગ્યું કે આ વાત આટલેથી અટકવાની નથી. મેડમ પોતાના અપમાનનો બદલો લેશે જ, મને નક્કી હેરાન કરશે જ....
અને મારી ધારણા સાચી પડી. બીજા દિવસે કલાસમાં પહોંચ્યો, મારી બેંચ પર બેઠો, કલાસ ટીચરનો પીરીયડ શરુ થયો, ત્યાં જ નીચેથી પટાવાળો આવ્યો, “સંભવ કોણ છે... ( અંતિમ સમયે સ્વજન નહિ આત્માની સમજણ કામ આવશે. )
Jain Education interratura
Porrersenaraivate USE OTTY
www.patremorary.org
Page #7
--------------------------------------------------------------------------
________________
-૯-૦૯૯-૯૦૯૯(૫)ક ૦૯-૦૯-૦૯-૦૯ મેડમ નીચે બોલાવે છે...” બધાએ મારી સામે જોયું, મને થયું કે આજે મારા ઉપર મોટી આફત આવવાની, મેં કહી દીધું કે “હું નીચે નહીં આવું...”
પટાવાળો તો સ્તબ્ધ થઈ ગયો. કોઈ છોકરો આવી રીતે જવાબ આપે...
કલાસટીચર પણ ગભરાઈ ગયા, એમને મારા માટે લાગણી હતી, “સંભવ તું જઈ આવ, માફી માંગી લે...”
ના ટીચર .. હું નહિ જાઉં, મેં કશું ખોટું કર્યું નથી, પછી મારે શું કામ માફી માંગવી ...”
“જો, આમાં તારું ભવિષ્ય બગડશે, મેડમ તારા પર કડક પગલા લેશે...” “એમણે જે કરવું હોય તે કરે...”
અમારા વચ્ચે રકઝક ચાલી, મારા મિત્રો પણ મને સમજાવવા લાગ્યા, બધા સમજતા હતા કે હું સાચો છું, પણ મેડમ સાથે બાથ ભીડીને નકામું નુકસાન શા માટે વેઠવું... એ જ એ બધાનો વિચાર .. એમની દષ્ટિએ એ સાચા હતા, પણ મારું સત્વ, ખુમારી મને નમવા દેતા ન હતા.
આ બધામાં ઘણો સમય લાગ્યો, પટાવાળો નીચે ન પહોંચ્યો, એટલે ગુસ્સે ભરાયેલા મેડમ સીધા ઉપર આવ્યા, મારા કલાસમાં જ પ્રવેશ્યા, બધા એમને આદર આપવા ઉભા થઈ ગયા, પણ હવે હું દઢ બની ગયેલો, “આવી વ્યકિતને બીલકુલ દાદ આપવી નથી.” અને હું એકલો બેસી રહ્યો.
સંભવ .. ઉભો થઈ જા..” ટીચરે મને પ્રેરણા કરી.
“એ નહિ ઉભો થાય. આ જૈનો બધા એવા જ છે” હું કઈક પણ બોલું એ પહેલા તો મેડમ ધમધમાટ બોલવા લાગ્યા. એ સીધા મારી પાસે જ આવી ગયા, આખો કલાસ સ્તબ્ધ બની ( વકીલ કહે છે કે લડાઈ તમારી મલાઈ અમારી.
For Personal & Private Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
એક જ
( ૬ ) એક ક ગયો, “એ લોકોને આટલો વિનય નથી શીખવાડાતો કે, “વડીલો, શિક્ષકો આવે ત્યારે ઉભા થવું જોઈએ, આ લોકોનો ધર્મ આવી ઉદ્ધતાઈ, સ્વચ્છંદતા જ શીખવે છે...”
એ મેડમના આગ ઝરતા શબ્દોએ મને અંદરથી સળગાવી નાખ્યો, મારુ ખુન્નસ વધી ગયું, “મારા ધર્મ માટે આ રીતે જેમ તેમ બોલે, એ મારે સાંભળ્યા કરવાનું..”
અને મારો જુસ્સો આસમાનને આંબો, કલ્પના પણ ન થઈ શકે એવો નિર્ણય મેં લઈ લીધો, “નિર્ણય લીધો” એમ નહીં, પણ સીધો અમલ જ થઈ ગયો...
અચાનક ઉભા થઈને મેડમ કે બીજા બધા કશું સમજે - વિચારે, એ પહેલા તો મેં મેડમના ગાલ પર કચકચાવીને એક જોરદાર લાફો મારી દીધો.
લાફો એટલો જોરદાર હતો કે મેડમના ચશ્મા ઉછળીને પાંચ-સાત ફૂટ દૂર જઈને પડયા, આખો કલાસ એક ઝાટકે આંચકા સાથે જગ્યા પર ઉભો થઈ ગયો, હું પોતે પણ ગુસ્સાથી ધ્રુજતો હતો, મેડમના ગાલ પર રીતસર ચાર આંગળા ઉપસી આયા.
“હવે શું પરિણામ આવશે... એની માત્ર કલ્પના કરવાની હતી. મેડમ હેબતાઈ ગયા. એમની જીંદગીમાં આ પ્રથમ પ્રસંગ હતો, એક અક્ષર પણ બોલ્યા વિના એ સડસડાટ નીચે ઉતરી ગયા, પણ એમના મનમાં જ ભડભડતો ક્રોધાગ્નિ સૌએ અનુભવ્યો.
“સંભવ... તે આ શું કર્યું..” ટીચર માત્ર એટલું જ બોલી શક્યા. મારા મિત્રો મને ઘેરી વળ્યા. પણ શું બોલવું. કોઈને કશી સુઝ ન પડી.
ક્વલજ્ઞાન નહી કેવલજ્ઞાન માટે પ્રયત્ન કરો. ]
For Personal & Private Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
મેં મારા માટે કશું કર્યું નથી, પણ જૈનશાસન માટે ઘસાતું બોલાય એ સાંભળી લેવું એ આપણા માટે નાલાયકી કહેવાય. મને કદાચ સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવે, પણ હું તમને બધાને પૂછું છું, શું તમે આ બધું જોયા કરશો. તમને ધર્મની અવહેલના ગમશે.”
મારી આગઝરતી ભાષાએ બધાને શૂરાતન ચડાવી દીધું. બધાએ જોઈ લીધું કે સત્વશાળી માણસ સામે ભલભલાઓએ ઝૂકી જવું પડે છે. મેડમ જેવા મેડમની હાલત એમણે જોઈ લીધી હતી.
સંભવ. તું ચિંતા ન કર. અમે બધા એક સાથે સ્કુલ છોડી દઈશું, હવે અમે પણ આ ધર્મની અપભ્રાજના-નિંદા ચલાવી નહિ લઈએ.” બધા જૈનમિત્રો એકી અવાજે બોલ્યા (મારા કલાસમાં ઘણા ખરા જૈન હતા, બધા મારા મિત્રો હતા. જૈનેતરોને પણ મેં સમજાવેલું કે આ નિંદા આવતીકાલે તમારા ધર્મની પણ થવાની જ...)
એક પછી એક પિરીયડ પસાર થતા ગયા. અને અચાનક એક ચાલુ પિરીયડે મને આમંત્રણ આવ્યું. “સંભવ કોણ છે, પ્રિન્સીપાલ તાત્કાલિક બોલાવે છે...”
અમને જેનો અંદાજ હતો, એ જ બની રહ્યું હતું. પણ આ વખતે હું એકલો નહિ, મારી સાથે મારા તમામ મિત્રો, લગભગ આખો કલાસ નીચે ધસી ગયા, પ્રિન્સીપાલે બધાનો શોર-બકોર સાંભળ્યો, પટાવાળા દ્વારા બધાના વિદ્રોહની વાત પણ જાણી લીધી. બધા જ વિદ્યાર્થીઓ સંભવની તરફેણમાં છે, એ જાણી લીધું. વર્ષોનો મેડમ તરફનો આક્રોશ મારા નિમિત્તને પામીને મારી આગેવાની હેઠળ પ્રગટ થતો પ્રિન્સીપાલ જોઈ
( જિનવાણી કમલમાં નહી અમલમાં મૂક્વાને યોગ્ય છે. ]
Jain Lercatore
random
Personal & Private use only
www.jainenbrary.org
Page #10
--------------------------------------------------------------------------
________________
# #( ૮ )
: ** * રહ્યા.
પ્રિન્સીપાલ શાન્ત, અનુભવી, ન્યાયી હતા. મને એકલાને અંદર બોલાવીને પૂછયું, “સંભવ.. તે મેડમને લાફો માર્યો...”
“હા..” “એ મોટો ગુન્હો છે, એ ખબર છે..”
“હા.. પણ શરુઆત મેં નથી કરી, મેડમે મોટી ભૂલ કરી છે, માટે નાછૂટકે મારે લાફો મારવો પડ્યો, લાફો મરાઈ ગયો.”
શું ભૂલ કરી ?”
એ તમે મેડમને જ પૂછો ને? એ મારા ધર્મ માટે જેમ તેમ બોલે, એ શું યોગ્ય છે? મારી કોઈ ભૂલ હોયતો ભલે મને ઠપકો આપે, પણ મારી કોઈ ભૂલ નથી, અને પાછું મને ઠપકો આપવાને બદલે ધર્મને ગાળો દે, એ મારાથી સહન નથી થતું
પ્રિન્સીપાલ પોતાની પત્નીના સ્વભાવથી વાકેફ તો હતા જ, અનેકવાર પરોક્ષ રીતે ફરીયાદ પણ સાંભળેલી, અત્યાર સુધી કોઈ સ્પષ્ટ કહેનાર મળ્યું નહી હોય, પણ આજે મારા સરળ મનની રજૂઆત એમને સ્પર્શી ગઈ. મારી સામે જ મેડમને બોલાવીને પૂછી લીધું કે, “તું આવું બોલેલી ખરી..' મેડમ ઝંખવાણા પડી ગયા, બધાની હાજરીમાં બોલેલા, એટલે શી રીતે ના પાડે.. એમણે વાત સ્વીકારી...
આ ખોટું કહેવાય, આપણે કોઈના પણ ધર્મની નિંદા કરીને એમની ભાવનાને ઠેસ પહોંચાડવી ન જોઈએ.”
“અને જો સંભવ.. મેડમની ભૂલ હોય, તો પણ આમ ( દુનિયાને દબાવે તે મહાન કેક્રોધને દબાવે તે મહાન? )
For Personal & Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
------(૯) ૨૯૯-૪૯-૯૦૯૯ લાફો મારી દેવો એ ગંભીર ભૂલ કહેવાય. તારે મને કહેવું જોઈએ, તું જાતે જ આવું જલદ પગલું ભરી બેસે, એ ન ચાલે. મેડમની આમન્યા જાળવવી જોઈએ. ચાલ, માફી માંગી લે, અને મેડમ હવે આવું નહિ કરે, એની જવાબદારી મારી...”
મેં પગે પડીને માફી માંગી લીધી, “મારી ભૂલ થઈ મેડમ.. મેં આપનું અપમાન કર્યું...” મેડમ ગમે તેમ તો ય એક સ્ત્રી હતા, લાગણી એમનો સ્વભાવ હતો, અહંકાર ઘવાયેલો, એટલે વીફરેલી વાઘણ જેવા બનેલા, આજે અહંકાર પોષાઈ ગયો, એટલે મૂળ સ્વભાવ પ્રગટ થયો. 2 જો, હવે આને તારો દીકરો સમજીને માફી આપી દે, કેટલો સરસ વિનયી છોકરો છે....” પ્રિન્સીપાલે હસતાં હસતાં વાતાવરણને હળવું બનાવી દીધું.
મેડમે મારા માથે હાથ મૂક્યો, “દીકરા... મારી ભૂલ થઈ ગઈ.” આટલું બોલતાં તો એમની આંખમાં પાણી ભરાઈ આવ્યા. “ચાલ આખા કલાસ સામે તારી માફી માગું અને ફરી આવું નહિ કરવાનો સંકલ્પ જાહેર કરું.” મેડમ બોલ્યા. પ્રિન્સીપાલ પોતાની પત્નીના આ અદૂભૂત પરિવર્તનથી ખૂબ જ આનંદ પામ્યા અને ખરેખર જયારે મેડમે બહાર આવી બધા જ વિદ્યાર્થીઓ સામે પોતાની ભૂલ કબુલ કરી, મારી માફી માંગી, ત્યારે તો સૌની આંખોમાં ઝળઝળીયા આવી ગયા.
આ બાજુ મારા ભાવી ગુરુજીના પરિચયથી હું ધર્મ માર્ગે વધુ ને વધુ આગળ ધપવા લાગ્યો. બીજી બાજુ પપ્પાનું મૃત્યુ થયું, પરિવારનો આધાર સ્તંભ તૂટી ગયો. પણ મારો વૈરાગ્ય મજબૂત બનતો ગયો. અને પંદરેક વર્ષની ઉંમરે મેં દઢ સંકલ્પ કરી લીધો, “મારે દીક્ષા લેવી છે...” અલબત ત્યારે હું [ આપતિના વમળ વચ્ચે જ આત્માનું કમળ ઉગાવું છે.]
For Personal & Private Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
જk - - ૯ ૯ -૪૯(૧૦)--૯-૯૯૦૯૯ પરિવારને આર્થિક રીતે સહાયક ન હતો, છતાં મમ્મીને તો મારા પર જ ભવિષ્યની આશા હોય ને? અત્યારે તો મોટી બહેન બધી જવાબદારી નિભાવતી હતી, પણ વહેલા-મોડા એના લગ્ન થવાના, એ સાસરે જવાની, પછી શું...
એ બધા કરતાં ય મોટી વાત એ કે માતાનું વાત્સલ્ય દીકરાને દીક્ષા માટે રજા આપી દેવા શી રીતે તૈયાર થાય ..
પણ મે કહ્યું તેમ મારો ભાગ્યોદય ડગલે ને પગલે મારી સહાય કરી રહ્યો હતો, મારા ગુરુજીએ પરિવારને સમજાવ્યો અને મમ્મીએ- બહેને મને કહી દીધું, “સંભવ.. તું તારે દીક્ષા લઈ લે, આ સંસાર અળખામણો છે, આ તો અમે અભાગ્યા છીએ કે અમને દીક્ષાની ભાવના થતી નથી, પણ તને આ ભાવના પ્રગટી છે. તો અમે તને હવે નહિ રોકીએ. તું તારે સન્માર્ગે આગળ વધ. આત્માનું કલ્યાણ કર, કુળદિપક બન, શાસન દિપક બન..”
મારો માર્ગ મોકળો બની ગયો, મમ્મી અને બહેન મારા માટે કેટલો ભોગ આપી રહ્યા છે, એટલું તો હું સમજી શકતો હતો. બંનેને માત્ર ભય એટલો જ હતો કે, “મારો ક્ષયોપશમ ઓછો છે, તો આ દીક્ષા લીધા બાદ ભણશે શી રીતે.” પણ છતાં “માત્ર જ્ઞાનપ્રાપ્તિ થી જ મોક્ષ નથી, અનેક યોગો દ્વારા જીવ આત્મવિકાસ સાધી શકે છે....” એ પદાર્થ વિચારીને એમણે રજા આપી.
મને સુંદર મઝાનો સમુદાય, સદ્ગર, દાદાગુરૂ મળ્યા.
અંતે પપ્પાની ગેરહાજરીમાં ૧૫ વર્ષની વયે દીક્ષાની જય બોલાઈ. વૈશાખ વદ ૪ નો દિવસ નક્કી થયો. (સંવત ૨૦૬ ૨) ( જીવનપંથ ઉજાલ્વાને બદલે ઉજાળવાનું ચાલુ કરી દો. તે
For Personal & Private Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
(૧૧) “સંભવ .. તારું જીવન નિર્મળતમ બની રહે, એ માટે આપણે કુળદેવી પાસે દર્શન વંદન કરવા જઈ આવીએ...” મમ્મીએ મને વાત કરી. સૌરાષ્ટ્રમાં ચોટીલા ગામની પાસે મોટી ટેકરી પર આવેલ ચામુંડા માતાનું મંદિર એ જ અમારી કુળદેવીનું સ્થાન... મમ્મી મને ભગવાન, સદ્ગુરુ અને જૈનધર્મ સિવાય કયાંય નમવાનું મન નથી થતું. મને કંઈ કુળદેવી ઉપરષ નથી, પણ મારે એને શા માટે નમન કરવા ..”
જો સંભવ . દીક્ષા પછી આખી જીંદગી તારે ક્યાં કુળદેવી પાસે જવાનું છે? તું અમારા સંતોષ ખાતર પણ એકવાર ત્યાં અમારી સાથે ચાલ... અમને ભવિષ્યનો ભય ન રહે!!”
મમ્મીએ કહ્યું અને એ બધાના સંતોષ ખાતર હું એમની સાથે ચોટીલા પહોંચ્યો, ટેકરી ચઢીને ચામુંડામાતાના મંદિરે પહોંચ્યા, મમ્મી – મામા – બહેન બધાએ ભાવથી નમસ્કાર કર્યા, શ્રીફળ ચડાવ્યું, ભંડાર પૂર્યો... આ બધું મેં જોયા કર્યું, પણ મેં હાથ પણ ન જોયા કે માથું પણ ન નમાવ્યું... મમ્મી ગભરાઈ ગઈ, મારા પર જરાક ગુસ્સે પણ થઈ. પણ હવે હું મુમુક્ષુ હતો, થોડાક જ દિવસોનો મહેમાન હતો, એટલે એ ગુસ્સો તરત જ ઓગળી ગયો. “દીકરા.. એકવાર નમી લે ને .. પ્રાર્થના કરી લે ને..”
ના.. મમ્મી.. હવે આ મસ્તક નમે માત્ર ભગવાનને .. આરઝૂ કરે માત્ર પ્રભુ સામે ..... મારી મક્કમતા જોઈ મમ્મી કશું ન બોલી, પણ ત્યાં બેઠેલો સંન્યાસી મારું આ વર્તન જોઈને બેબાકળો બની ગયો. “ કોણ છે આ છોકરો ? કેમ નમતો નથી? ”
માલની કમાલ કરતાં ક્લમની કમાલશ્રેષ્ઠ છે.
For Personal & Private Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
૯૯ ૨૯(૧૨)૯ - - - - મમ્મીએ શાંતિથી મારી દીક્ષા વિગેરેની વાત કરી.
“એમ એ જૈન સાધુ બનવાનો છે? તો છોકરા.. ચાલ . આ મંદિરના મુખ્ય મહંતના આશિર્વાદ લઈ લે.. હજારો લોકો એમના શરણે આવે છે. અને એ સંન્યાસી, આખા પરિવારને ૭૦ વર્ષના, મોટી દાઢીવાળા, ભયાનક દેખાતા મહંત પાસે લઈ ગયા. ત્યાં પણ ચામુંડામાતાની દેરીમાં બનેલા પ્રસંગનું પુનરાવર્તન થયું. બધા મહંતના પગે લાગ્યા, હું અક્કડ બની ને ઉભો રહ્યો, મમ્મીએ પગે લાગવા કહ્યું, મેં સ્પષ્ટ ના પાડી, મહંતે આ બધુ જોયું..
“કેમ છોકરા? મને કેમ પગે નથી લાગતો?”
“મહંતજી ! એણે તો માતાજીને પણ નમન નથી કર્યા. એ જૈન સાધુ બનવાનો છે.” પેલા સંન્યાસીએ સીધો ધડાકો કર્યો. મહંતના મોઢા પર ક્રોધની રેખાઓ ઉપસી આવી.
છોકરા ! માતાજી કોપાયમાન થશે, તો તારું સત્યનાશ કાઢી નાખશે.” શ્રાપ જેવી ભાષામાં મહંતજી બોલ્યા, મમ્મી વગેરે તો ધ્રુજી ગયા, હું પણ જરાક ગભરાયો તો ખરો, પણ એમ કાંઈ દબાઈ જાઉં થોડો !
“માતાજી કરુણાવાળા હોય હું એમનો બાળક એમને ન નમું એટલે એ મારું સત્યનાશ થોડા જ કાઢે? અને જો એવું કરે તો એ માતાજી ન કહેવાય. એ ચંડાલણ, ડાકણ, ચૂડેલ જ કહેવાય ને..” હું બોલ્યો અને મહંત છોભીલા પડી ગયા. શું જવાબ આપવો એ એમને ન સૂઝયું. અલબત્ત પરિવારવાળા તો સખત ગભરાઈ ગયેલા, મમ્મી મને અટકાવતી હતી, પણ મારું ધ્યાન એ તરફ ન હતું.
પણ તને વાંધો શું છે ? માતાજીને કમને નમન ( વિરાધનાની ધમાલ છોડે,આરાધનાની કમાલ માટે દોડે. )
Jain Education Internatonal
For Personal & Private Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૩
કરવામાં વાંધો કશો નથી. પણ મને માત્ર મારા ભગવાન અને મારા ગુરુ પર જ શ્રદ્ધા છે, તમારા સૌ માટે કોઈ તિરસ્કાર નથી. છતાં નમન કરવાની મારે કોઈ જરૂર નથી.’
સારું, સારું. કંઈ વાંધો નહિ, જા .. મારી તને શુભેચ્છા છે.’ ૭૦-૭૫ વર્ષની ઉંમરના મોટા મહંત ૧૫ વર્ષની ઉંમરના મારી સામે ગમ ખાઈ ગયા, અને અમે ત્યાંથી વિદાય લીધી. જો કે પરિવારે મને ઠપકો આપ્યો, પણ બધા એટલું તો જોઈ જ શક્યા કે ‘આ છોકરો કાચીમાટીનો નથી. એ ભલભલાને ઠંડા પાડી શકવાની પુણ્યાઈવાળો છે. ’
અલબત્ત આ પુણ્યાઈ પ્રભુ પ્રત્યેની અનન્ય શ્રદ્ધાથી જ પ્રગટી છે, એવું હું તો ચોક્કસ માનું છું.
આજે ચમત્કારોની, જંતર-મંતર-તંત્રની વાતો કરનારા અનેક ગૃહસ્થો ચારેબાજુ નીકળી પડયા છે. આપણા રોગશોકાદિના નિવારણ માટે એમના ચરણો ઘસતા થશું, એમના કહેવા પ્રમાણેની વિધિઓ કરશું... તો મને લાગે છે કે આ એક મોટી હોનારત જ ગણાશે. આપણા બધાની શ્રદ્ધા તો મેરુ જેવી અડગ હોય. દેવ તરીકે માત્ર વીતરાગસર્વજ્ઞ ભગવંતો, સદ્ગુરુ તરીકે માત્ર વૈરાગી-જ્ઞાની પંચમહાવ્રતધારી સાધુ-સાધ્વી ભગવંતો અને ધર્મ તરીકે આપણા ચારિત્રના સુંદર મઝાના આચારો... આ સિવાય કોઈની પણ શેહશરમમાં તણાઈ જવાની જરૂર નથી. કોઈના ચમત્કારો સાંભળીને અંજાઈ જવાની જરૂર નથી., કોઈની પાસે દીનતા દેખાડવાની જરૂર નથી... વૈશાખ સુદ ૪ના દિવસે રંગે ચંગે મારી દીક્ષા થઈ, અને મારી સંયમયાત્રા શરુ થઈ.
જિનાલયની ધજા આપે શિવાલયની મજા અને મોહરાજાને સજા.
For Personal & Private Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
૨. દુખ માં સમરો સુરતના બેલાબેનના જીવનમાં બનેલો ચમત્કાર તેમના જ શબ્દોમાં વાંચીએ...
૧૯૯૦ની વાત છે. ઈલેકશન હોવાથી ત્રણ દિવસની રજા હતી. દુકાનો બંધ હોવાથી અમે પાલીતાણા જવાનો પ્રોગ્રામ બનાવ્યો. અમે ગાડી લઈને નીકળ્યા. હું, શ્રાવક, નાનો બે વર્ષનો બાબો, નણંદ, નણદોઈ અને તેમનો ૧૫ વર્ષનો પુત્ર. સરસ જાત્રા થઈ ગઈ. જાત્રા કરી બપોરે અમે સુરત તરફ પરત નીકળી ગયા. વોટીંગ નું કાઉન્ટીંગ ચાલતું હતું એનું રીઝલ્ટ આવી ગયું હોવાથી અંકલેશ્વરની પહેલાં આમોદમાં ધમાલ ચાલુ થઈ ગઈ હતી. અમે આમોદ પાસે આવ્યા ત્યારે ૧૦૦થી ૧૫૦ માણસોના ટોળાએ તલવાર, લાકડી, ગુપ્તી વગેરે લઈને અમારી કારને ઘેરી લીધી. મારા શ્રાવક ડ્રાઈવીંગ કરતા હતા. ટોળુ સખત ગુસ્સામાં હતું. અમારી ગાડી પર જોર જોર થી લાકડીઓ મારવા લાગ્યા. એક જણે ગાડીનો કાચ ખોલવાનું કહી શર્ટની અંદરથી લાંબુ ચપ્પ નીકાળ્યું અને બહાર નીકળવા ધમકાવવા લાગ્યો. અમે બધા ખૂબ જ ડરી ગયા. બધા આદીશ્વરભગવાનને યાદ કરી સતત નવકારમંત્રનું સ્મરણ કરવા લાગ્યા. ત્યાં જ વચ્ચે ટોળામાંથી જાણે ભગવાને મદદ કરવા મોકલ્યા હોય તેમ એક વૃધ્ધ કાકા આગળ આવી બધાને અટકાવી કહેવા લાગ્યા, આ લોકોને જવા દો આ લોકો તો આપણાવાળા છે. અને અમને કહ્યું આગળ પણ ૧૦૦થી ૨૦૦ માણસોનું ટોળું મળશે. તેમને મારૂ નામ આપી ને કહેજો કે, અમે તેમના સગા છીએ. તો જ તમને જવા દેશે. અમારી કારની આગળ એક ટ્રક ડ્રાઈવરનું
દુિર્જનને વખાણવાની જક્શનથીતોવખોડ્વાની પણ જક્શનથી..
Jain Education mernauonal
For PersonalPhvate use only
Page #17
--------------------------------------------------------------------------
________________
એક જ છે (૧૫) ગળું ચપ્પાથી ચીરી નાખ્યું હતું. અમે ખૂબ જ ગભરાઈ ગયા હતા. સતત નવકારમંત્ર નું રટણ ચાલતું હતું. આગળ બે મીનીટના અંતરે બીજુ મોટુ ટોળું દેખાયું. તેઓ પણ હથિયાર સાથે જ હતા. અમારી કાર રોકી અમે તેમને તે કાકાનું નામ આપ્યું તો અમને તરત જવા દીધા. તે દિવસથી આદીશ્વરદાદા પર અને નવકાર મંત્ર પર ખૂબ ખૂબ શ્રધ્ધા વધી ગઈ. હવે તો હાલતા ચાલતા, ઉઠતા, બેસતા, ઉંઘમાં પણ જો રાત્રે આંખ ખુલી જાય તો જીભ પર તરત જ નવકારમંત્ર જ આવી જાય.
આપત્તિ આવે ત્યારે નવકારમંત્ર ગણવા કરતાં આપત્તિ પૂર્વે જ સતત નવકારમંત્ર ગણવામાં વાંધો શું.?
૩. શ્રધ્ધાની સરગમ સુરતના હેતલબેહેને જીવનમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ દાદાનો ચમત્કાર અનુભવ્યો. તેમના જ શબ્દોમાં ભાવપૂર્વક વાંચીએ.. મારૂ નામ હેતલ છે. હું સુરતમાં રહું છું. હાલમાં મારે બે જોડીયા બાળકો છે, તીર્થ અને ત્યાગી. આ બંને બાળકોના ડીલીવરી પ્રસંગની આ વાત છે. ૨૩વર્ષની ઉંમરે મારા લગ્ન થયા અને મને બીજા જ મહિને ખબર પડી કે મારે બે બાળકો છે. ત્યારે હું ઘણી ગભરાઈ ગઈ કારણકે મારૂ શરીર સાવ પાતળું, મારી તાકાત ન હતી કે હું બે બાળકને જન્મ આપી શકું અને ડૉકટરે પણ કહી દીધેલું કે બાળકને જો પોષણ નહિ મળે તો બાળકનો વિકાસ ન થાય અને એને કાચની પેટીમાં રાખવું પડે. ત્યારથી જ મેં શ્રી કલિકુંડ પાર્શ્વનાથદાદાના જાપ ચાલુ કરી દીધા. મને એમના પર અતૂટ શ્રધ્ધા હતી. મેં પરમાત્માને પ્રાર્થના કરી કે, મારા શરીરની કોઈ તાકાત નથી. ( વિશ્વાસની સુવાસ સવાસો યોજન સુધી ફેલાય છે. )
For Personal & Private Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૬
મારે તારી કૃપાથી જ પાર ઉતરવાનું છે.
ડિલીવરી માટે મમ્મીના ઘરે ગઈ. આખા શરીરે સોજા ઘણાં રહેતા હતા. ૧૦ મહિના થઈ ગયા ડિલીવરી થતી ન હતી. પણ બી.પી. ઘણું હોવાથી ડૉકટરે કહ્યું કે હવે ડિલીવરી કરાવવી જ પડશે. મને ઘણી બીક લાગતી હતી. હું રોજ નિયમીત સ્થિરાસને એક કલાક દાદાના જાપ કરતી હતી. એ સિવાય આખો દિવસ મનમાં જાપ ચાલુ જ રહેતો હતો. ૧૧વાગ્યે દવાખાને ગઈ અને ૪ વાગ્યે નોર્મલ ડિલીવરી દ્વારા મેં એક બાળક અને એક બાળકીને જન્મ આપ્યો. અને બન્નેનું વજન સરસ બાબાનું ૩ કિલો અને બેબીનું ૨.૫ કિલો. ડૉકટરને પણ આશ્ચર્ય થયું આટલા સરસ વજનના બાળકો છે. પરંતુ બે બાળકો ના કારણે કોથળી એટલી પતલી થઈ ગઈ કે બ્લડનો ફોર્સ બંધ જ ન થાય. ડૉકટર ટાંકા લે ને તૂટી જાય. પ ટકા લોહી થઈ ગયું. ડૉકટરે કહી દીધું કે હવે કેસ અમારા હાથની બહાર છે. એક બાજુ લોહીના બાટલા ચઢે અને બીજી બાજુ ગ્લુકોઝના બાટલા ચઢે. ઘરના બધા રડવા લાગ્યા. પણ મને પરમાત્મા પર શ્રધ્ધા હતી કે તે મારી સાથે જ છે, મારી પાસે જ છે. મારી મમ્મીએ કલિકુંડદાદાના જાપ ચાલુ કરી દીધા. અને ચમત્કાર થયો. હું મોતને ભેટીને પાછી આવી ગઈ. ૮ વાગ્યા અને બ્લીડીંગ બંધ થઈ ગયું. ડૉકટરને પણ આશ્ચર્ય થયું કે આ બહેનને ભગવાને જ બચાવ્યા છે. અને બન્ને બાળકોને લઈને અમે કલિકુંડદાદાના દર્શન કરવા ગયા. ઈમ્પોસીબલને પોસીબલ બનાવવાની તાકાત માત્ર દાદાની શ્રધ્ધામાં જ છે. આપત્તિ આવે પછી દાદાનો જાપ કરવો એનાં કરતાં રોજ જાપ કરીએ તો આપત્તિ જ ન આવે, એ બુધ્ધિશાળીનું કાર્ય છે.
ર્મનો બંધ કરતા અનુબંધ વધુ મહત્વનો છે.
For Personal & Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
- સંતાન જયારે માતાના પેટમાં હોય ત્યારે માતાએ કરેલા શુભ-અશુભ કાર્યોની અસર સંતાન પર પડે છે. તેવા સમયે વર્તમાનની ઘણી શ્રાવિકાઓએ નવલાખ નવકાર જાપ, ઉત્તમ પુસ્તકોનું વાંચન, પરમાત્માની પૂજા, આંગી, ચૌવિહાર, ટી.વી.નો સદંતર ત્યાગ, હોટલ-થીયેટરનો ત્યાગ વિગેરે. અનેક સુંદર આરાધનાઓ કરી છે, જેના પ્રભાવે બાળકના જન્મની સાથે જ રાત્રિભોજનનો ત્યાગ, ભાવિમાં સુંદર આરાધનાઓથી આગળ વધી સંયમ સુધી પહોંચ્યા છે. હે માતાઓ! તમે પણ સંતાનોને મહાન બનાવવા ખૂબ ધર્મ કરો એ જ પ્રેરણા....
|િ ૪. સંયમ જીવનનો લેવો મારગડો |
એક ભયંકર એક્સીડેન્ટ થયો. જુવાનજોધ દિકરાનું એમાં મોત થયું. પ્રસંગ એવો બન્યો હતો કે મા-બાપને બે દિકરા હતાં. બંને દીકરાને નાનપણથી જ જિનપૂજા, ગુરૂવંદન, પાઠશાળા, રાત્રિભોજન ત્યાગ વિગેરે ઉત્તમ સંસ્કારો મા એ સિંચેલા હતા. મોટા દિકરાને ધર્મ કરતાં કરતાં ભાવ જાગ્યો કે મારે ગુરૂભગવંત પાસે રહેવા જવું છે, જ્ઞાનાભ્યાસ કરવો છે. માતા-પિતાએ સંમતિ આપી. ભણતા ભણતા દિકરાને જેમ જ્ઞાન મળતું ગયું, તેમ સંસારની અસારતા, ભયાનકતા, બિહામણાપણું, પાપમયતા, અનિત્યતા વિગેરે સમજાયા અને વૈરાગ્ય ભાવ જાગતા દીક્ષા લેવાના ભાવ જાગ્યા. માતા-પિતાને વાત કરતાં તેમણે સંમતિ આપી અને ધામધૂમપૂર્વકદીક્ષા આપી.
ચાલો ! બીજો દિકરો તો આપણી સાથે જ છે ને, ઘડપણમાં એ તો આપણને સાચવી લેશે. આવી કોઈ વિચારધારા મિાયા, મૂર્છા, માન, મમતા, મૂઢતા એ મોહના જ સ્વરૂપ છે.)
For Personal & Private Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
જે
(૧૮) એ માતા-પિતાને આવી કે નહિ એ તો કોને ખબર... નાનો દિકરો સ્કુલ-કોલેજમાં ભણતા આગળ વધ્યો.
એક દિવસ બહાર ગયેલા આ દિકરાને ભયંકર એક્સીડન્ટ થયો અને સ્થળ પર જ મોત થયું. સૌ વિચારમાં પડી ગયા કે મા ને આ સમાચાર કોણ કહેશે...? મા ને કેવો આઘાત લાગશે? કદાચ માનું મોત તો .....? પ્રથમ દિકરો સાધુ બન્યો અને બીજાનું મોત થયું તો હવે મા-બાપની બાકી જીંદગીનું શું? સગાસંબંધીઓ આવી વિચારણા કરતા કરતા છેવટે ઘરે મા પાસે પહોંચ્યા. ધીમે ધીમે વાત કાઢતાં માને દિકરાના મોત અંગે વાત કરી, મા ધ્રુસ્કે ધ્રુસ્કે રોવા લાગી. સૌને લાગ્યું કે આપણે વિચારતાં હતાં એ જ થયું. મા ને ખૂબ આઘાત લાગે તે સ્વાભાવિક છે. બાકીની જીંદગીનો સાચવનાર કોણ...? - બે ત્રણ બેનો માને શાંત રાખવા લાગ્યા. પાણી આપ્યું માંડ માંડ મા ના ડૂસ્કા ઓછા થતા બહેનો સાંત્વના આપવા લાગ્યા. કે જુઓ જે બનવાનું હતું તે બની ગયું. ગયેલો દિકરો તો પાછો નથી આવવાનો, જે જન્મે છે તેને મરવાનું અવશ્ય નક્કી છે...
બીજા એક બેન બોલ્યા તમે પ્રથમ દિકરાને દિક્ષા ન આપી હોત તો ઘણું સારૂ થાત ! તમને ઘડપણમાં તકલીફ ન પડત ! મા એ તુરંત જ એમને રોક્યા, “ જુઓ પુણ્યશાળી શ્રાવિકાબહેન.. તમે એમ નહી સમજતાં કે હું મારા દિકરાના મોતની આ વાત થી કે અમારા ભવિષ્યની ચિંતાથી રડી રહી છું. મને તો રડવું એનું આવે છે કે મેં મારા બીજા દિકરાને દિક્ષા કેમ ન અપાવી.” સહુ સ્તબ્ધ બની ગયાં. અનુપમા (અનાભોગથી રેલી દેવ-ગુઝી આશાતના દ્ગતિ આપનાર છે.
Jain Education international
TOT Personalitate de om
- www.jamembrary.org
Page #21
--------------------------------------------------------------------------
________________
અને નાગિલા સમાન વર્તમાનની આ શાસનપ્રેમી શ્રાવિકાને લાખ લાખ ધન્યવાદ...
શું તમે તમારા સંતાનને શ્રમણ બનાવી શકશો..? છેવટે શ્રવણ તો બનાવી જ શકશો ને...
| ૫. સંઘ એ જ સર્વસ્વ નારણપુરા વિસ્તાર. સાંજના સાતનો સમય. ગુરૂદેવ ! જલ્દી મારા ઘરે પધારો. માતુશ્રીની તકલીફ વધી રહી છે. ગમે ત્યારે શ્વાસ મૂકી દેશે. માંગલિક સંભળાવીને પાછો ફર્યો અને સમાચાર આવ્યા કે તેમના માતૃશ્રી ચાલ્યા ગયા. અંતિમ સમયે. ગુરૂભગવંતનું માંગલિક સાંભળવાનું એક જોરદાર પુણ્ય કામ કરી ગયું.
સંઘના કાર્યોમાં અદમ્ય ઉત્સાહપૂર્વક લાભ લેનાર એ ભાગ્યશાળી ... જિનાલય-પાઠશાળા માટે ખૂબ દોડધામ કરનાર એ પુણ્યશાળી.. આવતીકાલે સવારે સંઘની સ્થાપનાની જાહેરાત બોર્ડ ઉપર પૂર્વેથી થઈ ચૂકેલ છે અને એમના જમાતૃશ્રી અચાનક માંદગી આવતા પૂર્વની સંધ્યાએ ચાલ્યા ગયા. કાલે સંઘસ્થાપના કરવી કે કેમ...?
ભાગ્યશાળીએ ગુરૂભગવંતને અને સંઘને જણાવ્યું કે તમે સહેજ પણ ચિંતા ને શોક ન રાખતા. અંતિમ સમયે માતૃશ્રીની સેવાનો લાભ ખૂબ મળ્યો. એમના નિમિત્તે સંઘ સ્થાપના બંધ ન જ રહેવી જોઈએ. આવતીકાલે સંઘ સ્થાપના નવકારશી પૂર્ણ થયા બાદ જ હું તમામ સગા-સંબંધીને માતૃશ્રીની ચિરવિદાય અંગેની વાત કરીશ. રાત્રે મોડે સુધી એ ભાગ્યશાળીએ સંઘ સ્થાપનાના જરૂરી કાર્યો સહુની સાથે રહીને
થાંભલાધે છે કેથા ભલા.
For Personal & Private Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
(૨૦)-
૯ કર્યા. સવારે સંઘ સ્થાપના બાદ એક બાજુ નવકારશી ચાલુ થયા બાદ જ સગાસંબંધીઓને માતૃશ્રી ને કાઢવાનો સમય જણાવવાનું ચાલુ કર્યું.
સંઘ અને સંઘ સ્થાપનાની મહાનતા એ પુણ્યશાળીના હદયમાં ઉત્કૃષ્ટભાવે વસી હશે, ત્યારેજ આવું કાર્ય કરી શક્યા. ધન્ય છે એમની સંઘ ભક્તિને... !!
પચ્ચીસમાં તીર્થકર તુલ્ય સંઘની ભક્તિ કરવાનો અવસર કયારેય ચૂકતા નહિ. કેમકે તત્વાર્થસૂત્રમાં પૂજય ઉમાસ્વાતિજી મહારાજે સંઘની વૈયાવચ્ચના પ્રભાવે અનેક આત્માઓએ તીર્થકર નામકર્મનો બંધ બતાવ્યો છે. પરમાત્માની આંગી થી જે પુણ્યબંધ થાય તેના કરતાં અનેક ગણો અધિક પુણ્યબંધ સંઘનો વહીવટ શુધ્ધપણે કરવાથી બંધાય છે. સંઘભક્તિનો લાભ જો જો ચૂક્તા...
અને ૬. એક અજીબો દાસ્તાન
સોનાની મૂરત સમું ગણાતું સુરત શહેર. દાયકાઓ પૂર્વે ત્યાં એક જૈન યુવાન એની માતા સાથે રહે. એ કાળે સુરતમાં લક્ષ્મીજીની કૃપા પામનાર લક્ષ્મીનંદન જૈન પણ વસતા હતાં, તો લક્ષ્મીદેવીની જરા સરખી નજર સુદ્ધાં નહીં પામનાર આવા યુવાનોય વસતાં હતા. માતાએ એકવાર પુત્રને શાણપણસભર વાત કહી કે, લાગે છે કે સુરતમાં તારા નસીબ આડેનું પાંદડું ખસવું મુશ્કેલ છે. તું મુંબઈ જા. તો કદાચ ક્ષેત્ર પરિવર્તનના કારણે ભાગ્ય પરાવર્તન શક્ય બને. પુત્રએ કરમાયેલા પુષ્પ જેવું ફિÉ સ્મીત કરતાં કહ્યું, “મા! પણ મુંબઈ જવા માટે ભાડાના ય પૈસા મારી પાસે ક્યાં છે... ને ત્યાં જઈને મૂડી ( ગાળ આપનારને ગોળ વહેંચતા શીખો તો મહાન બનશો.)
For Personal & Private Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
જ જ જ (૨૧) જત જ એક જ વિના હું પગભર ઉભો પણ ક્યાં રહી શકીશ..” કિંતુ માં હિંમત ન હારી, ગમે તે રીતે એણે પુત્ર માટે ગાડી ભાડાની વ્યવસ્થા કરી, ઉપરાંત મુંબઈના કોઈ જૈન શ્રેષ્ઠિની દુકાને સાવ સામાન્ય પગારે નોકરીની વ્યવસ્થા ય કરાવી. મુંબઈ જવાનો દિવસ આવ્યો. ધર્મનિષ્ઠ માતા પુત્રને કહે : બાજુના જૈન ઉપાશ્રયમાં સાધ્વીજી શ્રી રત્નમાલાશ્રીજી બિરાજે છે. મુંબઈ જતાં પૂર્વે તું એમના મુખેથી માંગલિક શ્લોક પાઠ સાંભળી લે. શુકન થશે. યુવાન માતા સાથે સાધ્વીજીનું માંગલિક સાંભળવા ગયો. ધર્મ માતા જેવા વિચક્ષણ સાધ્વીજીએ માંગલિક પાઠ સંભળાવવા ઉપરાંત ત્રણ માંગલિક નિયમો સ્વીકારવાની યુવાનને પ્રેરણા કરી (૧) પ્રતિદિન એકસો આઠ નવકાર ગણવા. (૨) રાત્રિભોજનનો ત્યાગ કરવો. (૩) મુંબઈની નોકરીમાં જે પહેલો પગાર મળે તે તમામ પગાર કોઈ ગરીબ જરૂરીયાતમંદ જૈન પરિવારની ભક્તિ માટે આપી દેવો. વસ્તુતઃ આમાંના બે નિયમ તો યુવાન માટે હજુ શક્ય હતાં. પરંતુ ત્રીજો નિયમ કોઈ રીતે શક્ય ન હતો. મુંબઈ જવા માટેના ગાડીભાડાની માંડ વ્યવસ્થા કરનાર એ ખુદ ગરીબ સાધર્મિક હતો. આ સ્થિતિમાં દરિદ્રાવસ્થામાં પહેલો પગાર આપી દેવો એ તો દુષ્કર વાત જ હતી. કિંતુ સંસ્કારી ઉદાર દિલ યુવાને ત્રણેય નિયમો પૂરા ઉમંગથી સ્વીકારી લીધા.
મુંબઈ આવ્યા બાદ એનો પ્રથમ માસ કપરો ગયો. ભોજનની કોઈ વ્યવસ્થા થાય તેમ ન હતું. ક્યારેક ભૂખ્યા રહિને, ક્યારેક આયંબિલ કરીને, તો ક્યારેક સામાન્ય વ્યવસ્થા કરીને એણે જેમ તેમ પ્રથમ માસ પૂર્ણ કર્યો. મહિનાના અંતે શેઠે પગાર આપ્યો. એક માસની કામગીરી અને પગાર મળી
ભોળપણ ચાલે ભોસ્પણ નહિ.
Jain
ducation international
ET-1 દીy.org
Page #24
--------------------------------------------------------------------------
________________
૪૯ - ૦૯ (૨૨) ૯ ક. ૦૯ જવાથી હિંમતવાન બનેલા યુવાને સાહસથી કહ્યું : શેઠ.. આ સિવાય દસ રૂપિયા ઉછીના આપોતો મહેરબાની. આગામી માસના પગારમાંથી એ દસ રૂપિયા કાપી લેજો. જેથી હું મારી એક માસની ભોજનની વ્યવસ્થા કરી શકું. આશ્ચર્યચકિત થઈ જઈને શેઠે પૂછ્યું : અરે આ પગાર મળ્યો છે, તેમાંથી તું ભોજન વ્યવસ્થા કરી લે છે. ઉછીના શા માટે માગે છે ? યુવાને દરિદ્રાવસ્થામાં દાનનું દુષ્કર કાર્ય કરતો ઉત્તર આપ્યો : શેઠ !! મેં નિયમ લીધો છે તે પ્રમાણે આ સમગ્ર પગાર તો હું ગરીબ સાધર્મિક પરિવારને આપવાનો છું માટે એમાંથી એક રૂપિયો ય હું મારા ખપમાં લઈશ નહીં.
આ દરિદ્ર વ્યક્તિની ઉંચી દિલેરી નિહાળીને, યુવાન પર ફીદા ફીદા થઈ જતાં શેઠે કહ્યું : તારી ઉદારતા સામે તો મારી શ્રીમંતાઈ ઝાંખી ઠરી છે. ભોજન માટે ઉછીના રૂપિયા લેવાની જરૂર નથી, તારી ભોજન વ્યવસ્થા હું કરી દઈશ.
અને હા, હવેથી તને બધી રીતે આગળ લાવવાની જવાબદારી હું અદા કરીશ. જાણે યુવાને દાખવેલ ઉત્કૃષ્ટ દાનનું તત્કાળ ઉત્કૃષ્ટ ફળ સામે થી મળ્યું. કાળાંતરે આ યુવાન મુંબઈમાં અઢળક સંપત્તિ પામીને અર્વાચીન જૈન શાસનમાં એક અમર નામના વરી જનાર શ્રાવક રૂપે પંકાયો. એ શ્રાવક એટલે શત્રુંજય ગિરિરાજના મહાભિષેક કરાવીને લોકકંઠે વસી ગયેલા પુણ્યાત્મા શ્રી રજનીકાંતભાઈ દેવડી.
છેલ્લે એક વાત : ઉદારતા પર ઈજારો માત્ર શ્રીમંતોનો જ હોવાના ભ્રમમાં કદી રાચશો નહિ. શ્રી રજનીકાંતભાઈ દેવડી જેવાના આવા પ્રસંગો ડંકાની ચોટ પર ઘોષણા કરે છે કે કયારેય ગરીબ વ્યકિત પણ શ્રીમંતોને કયાંય ટક્કર મારે એવી અફલાતૂન
(Before Marriage live love - after late love
For Personal & Private Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
જો
(૨૩) એક જ અદ્ભુત અને અનુપમ ઉદારતા સાવ સહજ પણે દાખવી શકતી હોય છે. આપણે ચાહીશું આવી અનુપમ ઉદારતા ભરી ગરીબાઈ...
૭. પટેલનું પરિવર્તન | “શું આવો મહાન જૈન ધર્મ ! આવા ઉત્તમ એમના પ્રભુજી ! ત્યાગી અને વૈરાગી એમના સાધુ-સાધ્વીજી !” વ્યાખ્યાન સાંભળતા એ પટેલ બહેનને અહોભાવ થયો. આશરે ૪૭ વર્ષની ઉંમર. આમ તો શિક્ષિકા તરીકે ભણાવવાની નોકરી સ્કુલમાં હતી. પ્રસંગે વ્યાખ્યાન સાંભળવા ગયા હતા. નક્કી કર્યું કે હવે જૈન ધર્મ વિશે ખૂબ જાણવું છે. સાધ્વીજી સાથે સત્સંગ વધારતા ગયા. બે પ્રતિક્રમણના સૂત્રો ઉપરાંત સંતિકરમ્, ભક્તામર, સ્નાતસ્યા વિ. સૂત્રો પણ કંઠસ્થ કર્યા છે. અતિચાર વિગેરે કંઠસ્થ કરવાની મહેનત ચાલુ છે. ઘણાં બધા જૈન ધર્મના પુસ્તકો વાંચવાનું ચાલુ છે. આજે એમની ઉંમર આશરે ૬૭ વર્ષ છે. છેલ્લા ૧૦-૧૨ વર્ષથી સવારે ઘરે જાતે અને સાંજે ઉપાશ્રય જઈને પ્રતિક્રમણ કરે છે. પાઠશાળા જાય છે. બે ઉપધાન કર્યા છે. બાવ્રત સમજીને નાણ સમક્ષ ઉચ્ચરાવ્યા છે. રાત્રિભોજન બંધ છે. વિવિધ પુસ્તકો ઉપર ઘરે બેઠા પરીક્ષા પણ આપે છે.
જો પટેલ પણ જૈન ધર્મને પામી પ્રતિક્રમણ આદિ આરાધનાઓ કરી શકે તો આપણે જૈન છીએ. આપણે સૂત્ર અભ્યાસ, પ્રતિક્રમણાદિ કરીને માનવ જન્મ સફળ બનાવવો જોઈએ તેવું લાગતું હોય તો આજથી જ સાધના માર્ગે આગળ વધો એ જ અભ્યર્થના ....
[
ધર્મ માંણ જાણવા જેવો નહિ માણવા જેવો છે.
For Personal & Private Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
જજના - - ૪(૨૪) જનક જજ જ
૮. પુત્રીને બદલે પુત્ર પ્રાપ્તિ ] સુરતના અનિષાબહેનના જીવનમાં થયેલ ચમત્કાર એમના જ શબ્દોમાંવાંચીએ
મારે એક બેબી છે. તેના જન્મ બાદ બે વર્ષ પછી મારે ડીલીવરી સમય હતો. બધા કહેતા કે તારે બીજી પણ બેબી છે. પાંચમા છઠ્ઠા મહિને હું અને મારા પતિદેવ એક દરગાહ પાસેથી પસાર થતા હતા ત્યારે એક મૌલવીએ મને કહ્યું કે તમારે પેટમાં બેબી જ છે. બધા કહે છે કે એ મૌલવીની વાત સાચી હોય છે. મૌલવીએ સંપૂર્ણ વિશ્વાસ સાથે કહ્યું હતું કે તમારે ૧૦૦ ટકા બેબી છે. સોનોગ્રાફી કરાવી ચેક કરી શકો. હું સાચો જ છું.
હું અને મારા પતિદેવ થોડા ઢીલા પડી ગયા કારણકે હું મારા સાસરામાં એકની એક જ પુત્રવધુ છું. એટલે મારા સાસુ સસરા પુત્રને વધારે ઝંખતા હતાં. પછી મેં એમને કહ્યું, “તમે ચિંતા ન કરો. આ દિકરીનો દિકરો હું કરીશ.” અને ત્યારથી અમે બંન્ને એ ખૂબ ધર્મ કરવાનું ચાલુ કર્યું. ચોમાસુ બેસતાં મારે છઠ્ઠો મહિનો બેઠો. બે ટાઈમ પ્રતિક્રમણ તેમજ સવારે આદીશ્વર ભગવાનના મોટા ફોટા સામે પાંચ વાગ્યામાં દિપક-ધૂપ સાથે નવ સ્મરણ નો જાપ કરતી. ત્યારથી મારા પતિદેવે રોજ એક સામાયિક કરવાનો નિયમ કર્યો.
અને ત્યાર પછી અમને ધાર્મિક ચમત્કારો મહિને મહિને મળવા લાગ્યા. જે ઉડે ઉડે પ્રેરણા આપતા હતા કે તમારે બાબો છે. અને મેં ડીલીવરી સુધી સતત મારા નવસ્મરણ ગણવાના ચાલુ રાખ્યા. સાથે સાથે સળંગ ચૌવિહાર પણ કર્યા. તેના પ્રભાવે ૩,૭00 ગ્રામ વજનના નિરોગી શરીરવાળા એક દેદીપ્યમાન પુત્ર ને મેં જન્મ આપ્યો. ( સંસારની ધૂમકમાણી એમરતી વખતની ધૂળ કમાણી છે.)
For Personal & Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૫
૯. સળંગ વર્ષીતપમાં ૧૦૮ ઉપવાસ
મલાડના મૃદુલાબહેનના લગ્ન બાદ થોડા જ સમયમાં તેમના પતિને લક્વો થઈ ગયો. આવક બંધ થતા પોતે ખાખરામઠીયા કરી પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યા અને પતિની સેવા કરવા લાગ્યા. લગભગ ૨૫ વર્ષ પતિની ખડેપગે સેવા કરી છતાં તેમના પતિ મૃત્યુ પામ્યા. આથી તેમનું મન ધર્મ તરફ વળ્યું. વ્રત-પચ્ચખાણ કરવા લાગ્યા. ૨૫ જેટલા સળંગ વર્ષીતપ થયા. જેમાં અલગ અલગ વર્ષીતપમાં તેમણે ૮-૧૧૧૫-૧૬-૨૧-૪૧-૬૮-૭૨ સળંગ ઉપવાસ કર્યા. ઈ. સ. ૨૦૦૯માં ૧૦૮ ઉપવાસ કર્યા તે પણ મૌન સાથે બધી ક્રિયા પણ કરતાં. નવ નવ્વાણું કરી. ૧૭ વાર ચૌ. છઠ કરી સાત જાત્રા કરી. અનુમોદના કરતાં આપણે પણ વર્ષીતપાદિ આરાધનાના ભાવ કરીએ. આજે પણ સળંગ વર્ષો સુધી વર્ષીતપ કરનારા કેટલાય ભાગ્યશાળીઓ આપણી વચ્ચે છે જ .....
• ૧૦. આદિશ્વર અલબેલો રે
ખંભાતમાં રહેતા અલ્પેશભાઈ ધંધાના કામ માટે અવાર-નવાર દિલ્હી જતાં હતાં. એકવાર દિલ્હી ગયા હતાં ત્યારે ત્યાંથી જયપુર જવા માટે રાત્રે બાર વાગ્યે નિકળ્યા ત્યારે તેમને બસ મળી નહીં, તેથી તે ટેક્સીમાં બેઠા. ટેકસી થોડે દૂર ગઈ પછી તેમાં બીજી બે વ્યક્તિ બેઠી. ત્યાંથી લગભગ ૨૦૨૫ કી.મી. દૂર ગયા પછી ડ્રાયવરની બાજુની સીટ વાળી વ્યકિત એ અલ્પેશભાઈને પિસ્તોલ બતાવી અને કહ્યું, “ તમે કિડનેપ થઈ ગયા છો. જરા પણ અવાજ કરતાં નહિ.'' અને અલ્પેશભાઈ ની બાજુમાં બેઠેલી વ્યક્તિએ તેમના હાથ પકડી લીધા અને ઘરમાં ધર્મની ચોપડી પર ચોક્ડી ક્યારેય ન મૂક્તા.
For Personal & Private Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
કાકા (૨૬) કહ્યું, “જરા પણ અવાજ કરશો તો તમને મારી નાખીશું.”
અલ્પેશભાઈ એ આદીશ્વરદાદાના જાપ ચાલુ કરી દીધા. અને મનમાં વિચારવા લાગ્યા, હે આદીશ્વરદાદા હું વર્ષોથી તમારી પાસે આવું છું. જો કયારેક પણ મેં ભાવથી તમને પૂજયા હોય, તમારી સેવા-પૂજા કરી હોય તો આપ મને બચાવશો. જાપ કરતાં કરતાં અચાનક ત્યાં પોલીસ ની એક ગાડી આવી, પોલીસવાળાએ ડ્રાયવરને કાચ ખોલવાનું કહ્યું છતાં તેણે કાચ ખોલ્યો નહિ. અને ગાડી સ્પીડમાં ચલાવી. પોલીસે તેનો પીછો કર્યો અને આગળ બધા સ્ટોપ ઉપર નાકાબંધી કરાવી લીધી અને અંતમાં બધા કિડનેપર પકડાઈ ગયા અને દાદાના જાપથી અલ્પેશભાઈ બચી ગયાં.
જીવનમાં ક્યારે પણ આપત્તિ આવે ત્યારે તેને વધાવી લેજો અને દાદાના નામનું સ્મરણ કરજો. દાદા જરૂરથી તમને કોઈપણ રસ્તો બતાવશે. શ્રધ્ધા રાખજો. “દુઃખને વધાવી લેવું એ સમકિતીનું લક્ષણ છે.”
ન ૧૧. આયંબિલનો પ્રભાવ નડીયાદનો જીગ્નેશ. ઉંમર ૨૮ વર્ષ. ૨૦૦૪માં તેણે વર્ધમાન તપનો પાયો નાખેલ. મુંબઈથી તેના કાકાનો દિકરો અભય આવેલ. છેલ્લી બારીના છેલ્લા ઉપવાસે એટલેકે પાયાના છેલ્લા દિવસે રાત્રે ૧૦ વાગ્યાની લોકશક્તિ એક્સપ્રેસમાં તેને મુકવા માટે સ્ટેશન ગયેલ. ટ્રેન આવી. તેમાં ચઢવા જતાં જીગ્નેશ ટ્રેન નીચે પડી ગયેલ. ટ્રેન ચાલુ હતી. બાકીના ડબ્બા તેના ઉપરથી પસાર થઈ ગયા. પરંતુ તેને કોઈ ગંભીર ઈજા ન થઈ. માત્ર તેના પગની પાની કપાઈ ગઈ. ( ચોપડી છો પડી એમ નહિ ચોપડી બદલે ખોપડી.
For Personal & Private Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
(૨૭) પાસેની હોસ્પીટલમાં તાત્કાલિક દાખલ કર્યો. સારવાર ચાલુ થઈ. ડૉકટરે દવા લેવા માટે આપી. પરંતુ તેણે મોં વાટે કશું પણ લેવાનો ધરાર ઈન્કાર કર્યો. અને કહ્યું કે, “મારે આજે ઉપવાસ છે તેમજ કાયમ માટે ચૌવિહાર કરું , જેથી સુર્યાસ્ત બાદ કશું જ લેતો નથી. જેથી કાલે સવારે નવકારશી બાદ જ હું દવા ગોળી લઈશ. જેથી તમારે જે ઈજેક્શન આપવા હોય તે આપો.”
કેવી દઢધર્મિતા... સગવડિયા ધર્મવાળા ચેતજો... દોઢ મહિનાની સારવાર બાદ પગે સારૂ લાગતાં દાદાની ૯૯ યાત્રા પણ એવા પગે કરી આવ્યો અને તે પછી બે એક વર્ષ બાદ ફરી વાર દાદાની ૯૯ યાત્રા કરી. અત્યારે તેને વર્ધમાન તપની ૧૫ ઓળી પૂર્ણ થઈ ચૂકી છે.
૧૨. મહામંત્ર છે મોટો જગમાં,
સ્વતંત્રતા ચળવળની આ વાત છે. વલ્લભભાઈ પટેલે દરેક રાજ્યને પોતાનું રાજ્ય ભુલી એક થવા વિનંતી કરી. હૈદરાબાદના નિઝામ આ વાત માનવા તૈયાર ન હતા. હૈદરાબાદમાં હિન્દુ-મુસલમાનોનુ તોફાન શરૂ થયું. રતનબેન તેમના પતિ તથા ચાર પુત્રો-પાંચ પુત્રી સપરિવાર હૈદરાબાદમાં હતા. તેમના મુસલમાન પાડોશીએ ઘર છોડી સોલાપુર જવાની સલાહ આપી. રાત્રીના સમયે બળદગાડામાં બેસી સૌ સોલાપુર જવા નીકળ્યા. રતનબેન ધાર્મિક પ્રવૃતિવાળા. સમજ્યા ત્યારથી ચૌવિહાર, કંદમૂળ ત્યાગ હતા. તપસ્યા કોઈ બાકી નહી. ગામની સ્ત્રીઓને ધાર્મિક શિક્ષણ આપનાર. દિવસભર સમય મળતા નવકારમંત્રનો જાપ કરતાં, નવકારમંત્ર પર ખૂબ શ્રધ્ધા,
આરાધકોને મોત નહિ મોક્ષની ચિંતા હોય.
Jain Education Internationa
For Personal & Private Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
(૨૮)
એક બાળકોને પણ એ જ ધાર્મિક શિક્ષણ, રાત્રિના સમયે રસ્તો પસાર કરતા વચમાં જંગલ આવ્યું. અંધારી રાત, પશુઓનો ભય, લુંટારૂઓનો ભય, આગળ વધતા છુપાયેલા ૭-૮ લોકો તલવાર સાથે હિન્દુકુટુંબને મારવા આવ્યા. અચાનક લોકોને જોઈ બધા ગભરાયા પણ રતનબેને સૌને નવકારમંત્રનો જોર થી જાપ કરવા જણાવ્યું ત્યારે અચાનક એક કદાવર વ્યક્તિ હુમલાખોર અને બળદગાડાની વચ્ચે આવી તેનું તેજ અને વ્યક્તિત્વ જોઈ હુમલાખોર ડરીને ભાગી ગયા. રતનબેન કાંઈક કહે તે પહેલા à 24€24 4855141. Who is he?
ક ૧૩. જાત્રા નવ્વાણું કરીએ | રમીલાબેન એક ધર્મિષ્ઠ શ્રાવિકા.....
ગમે તે કામ કરતાં રોટલી કરતાં ધાર્મિક અભ્યાસ તો ચાલુ જ હોય. ગમે ત્યાં જાત્રા કરવા જવાનું હોય કે બહારગામ જવાનું થાય ત્યારે ગાડીમાં બેસતાં જ ભગવાનની જય બોલાવવાની અને સાથે જ નવકાર મંત્રના જાપ ચાલુ થઈ જાય. રસ્તામાં પણ ખપ પૂરતી જ વાતચીત કરે અને બધાને પણ નવસ્મરણ સંભળાવે પછી જ બીજી વાતો કરજો એમ પણ કહે. ૧૯૯૮ માં બ્લડ પ્રેશરની બીમારી થઈ અને ડૉકટરે રોજ એક ગોળી ફરજીયાત લેવાની આપી. ચોમાસા પછી સગામાંથી એક જણ શત્રુંજયની નવ્વાણું યાત્રા કરાવતા હતાં. તો એમને પણ ભાવના થઈ ગઈ. પહેલા તો પતિએ પ્રેશરની બીમારીના કારણે ના પાડી પરંતુ પોતે તેમાં અંતરાય કેવી રીતે પાડે એમ વિચારીને રજા આપી. પછી તો જાત્રા કરતાં કરતાં એમણે ગોળીઓ બંધ કરી અને દોઢ મહિનામાં ૧૦૮ જાત્રા સારી રીતે પૂર્ણ કરી. ( સાધના માટે ત્રણ પાયા Devotion, Determination, Daring)
For Personala Private use only
jamemorary.org
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૯
છઠ્ઠ કરીને સાત જાત્રા પણ કરી. ત્યારબાદ આજ સુધી તેમને ગોળીઓ લેવાની જરૂર પડી નથી અને વળી આનાથી તપ કરવાની પણ હિંમત મળી. પછી તો વીસસ્થાનક ની વીસ ઓળી ઉપવાસ થી પૂર્ણ કરી, બે ઉપધાન, બે વરસીતપ, સિધ્ધિતપ, ફરીવાર નવ્વાણું જાત્રા, માસક્ષમણ, પાર્શ્વનાથ ભગવાનના ૧૦૮ અઠ્ઠમની આરાધના હાલ ચાલી રહી છે. નવપદની વિધિ સહિત નવ ઓળી, વર્ધમાન તપની ૨૨ ઓળી અને ક્લ્યાણક વગેરે નાના, મોટા, અનેક તપ પૂર્ણ કર્યા. એમ થાય છે કે દાદા પ્રત્યે કેવો અગાધ પ્રેમ અને શ્રધ્ધા કે રોગ તો જડ મૂળ માંથી મટાડે પણ તાકાત પણ વધારે...
વર્ષીતપ લીધો ત્યારે પતિને પણ ફાગણ મહિને શરૂઆત કરાવી. તેમને ડાયાબિટીસ ખૂબ જ રહે. ભૂખ્યા રહી ન શકે, સુગરફ્રી વાપરવી પડે, ના ના કરતા ધીમે ધીમે બધુ માફક આવી ગયું અને પછી તો બિયાસણાં માં પણ મીઠાઈ વાપરતા. આખા વર્ષીતપમાં કદી પતિને ડાયાબિટીસ મપાવવો નથી પડયો. તેમના પતિ એકવાર ગાડીમાં પાંચ ભાઈબંધ સાથે રાજસ્થાનથી દર્શન કરીને આવતાં હતાં. તેઓ આગળ બેઠા હતા અને અચાનક ચલાવનાર મિત્રને ઝોકુ આવી જતાં ગાડી સામે ચઢી જતાં ટ્રક સાથે અથડાઈ. સાથેના એક મિત્રનું ત્યાં જ મૃત્યુ થયું અને બીજા બધાને ખૂબ જ વાગ્યું. પતિ પણ ત્યાં જ બેભાન બની ગયાં પણ નવકાર ગણવાનું ગાડીમાં ચાલતું હતું, પરિણામે તેમને કોઈ ગંભીર ઈજા ન થઈ. જય હો નવકાર મંત્રનો..... ભાવથી બોલજો કે
નવકાર જપને સે, સારે દુઃખ મીટતે હૈ.
વિજ્ઞાન સુખોનું Sale રે છે, ધર્મ સુખોને Share કરે છે.
For Personal & Private Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
જજે જજ (૩૦)
૧૪. અનુમોદના એક સુશ્રાવકે જીંદગીભરના ૨ દ્રવ્યના આયંબીલ (રોટલી – કરીયાતુ) ૫૦ વર્ષ પુરા થઈ ગયા છે. વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
મુંબઈના શ્રીમંત ઘરના સુશ્રાવક સવારના પ્રતિક્રમણ કરતા ૪ કલાક લાગે છે. ભરફેસરની સજ્જામાં એક એક મહાપુરૂષ ના નામ આવતા જાય અને તેમના સુકૃતોને યાદ કરીને મહાપુરૂષોને આંખ સામે ઉપસ્થિત કરીને ભાવભર્યા હૈયે વંદન કરતા જાય. વંદિત્તા સુત્રની એક એક ગાથા બોલતા જાય, અતિચારો યાદ આવતા જાય, રડતા જાય. સકલતીર્થમાં તે તે તીર્થોને નજરમાં લાવી ભાવભરી વંદના કરતા જાય. અભૂત પ્રતિક્રમણ પ્રેમ.
સુરતના સુશ્રાવક છેલ્લા ૨૮ વર્ષથી ૪ દ્રવ્યના અખંડ એકાસણા, ઠલ્લે માત્ર નિર્દોષ ભૂમી ઉપર જવાનું. સવારથી પૂજા માટે નીકળે. પોતાના એરીયાના ઘણા દહેરાસરના દર્શન, વંદન, પૂજન કરે. કુલ મળી ને રોજના ૩૫ જેટલા ચૈત્યવંદન કરે. પુરીમુઢ પચ્ચકખાણ પારે. મોટી તિથિ ઠામચૌવિહાર એકાસણું કરે છે.
ન ૧૫. અનંતની યાત્રાએ શત્રુંજય ગિરિરાજની યાત્રા કરીને પાછા ફરતા પૂર્વકર્મના ઉદયે ભયંકર એક્સીડેન્ટથયો. અંતિમ સમયે યાત્રાની વાતો, શત્રુંજય ગિરિરાજની મહાનતાની વાતો કરતાં કરતાં થયેલ અચાનક અકસ્માતમાં વિશાળ પરિવાર માંથી ચાર યાત્રિકો મોતના મુખમાં ધકેલાઈ ગયા. પરિવાર સાથે બેસીને
ખુદનું સાચું એમ નહિ ખુદાનું સાચું.
Jain Education international
na private use only
Page #33
--------------------------------------------------------------------------
________________
-- --(૩૧) નિર્ણય કર્યો કે અંતિમ સમયે શત્રુંજયની યાત્રા કરી છે, તો એમની પાછળ બેસણા કે પ્રાર્થના સભા કે પૂજા રાખવાને બદલે શત્રુંજય ગિરિરાજની સંગીત સાથે ભાવયાત્રા રાખવી છે. સવારે ૮ થી ૧૨ સુધી અને ભાવિકો ગિરિરાજના રંગે રંગાઈને અનંત કર્મોનો ક્ષય કરી શક્યા. નિમિત્ત એ જ કે પરિવારે લીધેલો ઉત્તમ નિર્ણય... કોઈના મૃત્યુ બાદ પ્રાર્થના સભા કે પૂજાને બદલે વ્યાખ્યાન કે ભાવયાત્રા ગોઠવવાથી સહુને જ્ઞાન મળે...
અને ૧૬. પતિદેવ, એક સાધ્વીજી ભગવંતે જણાવેલ પ્રસંગ ખૂબ મનનીય છે. પૂ. સાધ્વીજીના શબ્દોમાં જ એ માણીએ...
મોટા શહેરમાં ચોમાસુ હતું. સંઘ ખૂબ મોટો, આરાધક વર્ગ ઘણો સારો. ઉપાશ્રય ભર્યો ભર્યો જ રહે. સામાયિક મંડળ, પ્રતિક્રમણ મંડળ, પૂજા મંડળ હોવાથી અવસરે અવસરે અનુષ્ઠાન ચાલ્યા કરે.
ઘણી આરાધક બહેનોનો નીકટથી પરિચય થયો. એકવાર ૩-૪ બહેનો સામાયિક કરી ઘરે જતાં મળવા આવી. સહેજે વાત વાતમાં પુછયું કે ધર્મિષ્ઠાબેન કેમ દેખાણાં નહિ ?
એક બેન બોલ્યા કે બહાર ગયા લાગે છે.
મારાથી બોલાઈ ગયું, “શું આરાધક શ્રાવિકા છે. મૌનપૂર્વક દરેક આરાધનામાં અનુષ્ઠાનોમાં હોય જ. વળી, મુખ હંમેશા હસતું જ હોય, કયારેક કોઈની સાથે ઉંચે અવાજે બોલતાં સાંભળ્યા નથી.”
એક બેન બોલ્યા. “ખરેખર આરાધક, સમતાધારી અને હસમુખા જ છે. પણ.. સાહેબજી! એમને એક મોટું દુઃખ
આપમતિ એપાપમત છે.
-
-
For Personal & Private Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
છે.”
“ એમને વળી શેનું દુઃખ ? '' પેલા બેન ધીમેથી બોલ્યાં, “ સાહેબજી હું બાજુમાં જ રહું છું. કોઈને કહેતાં નહિ. (અવાજ એકદમ ધીમો પડી ગયો.) અઠવાડીયામાં ૨-૩ વા૨ ધર્મિષ્ઠાબેનને એમનો પતિ ખૂબ મારે છે. પતિ ખૂબ ક્રોધી છે. ન બોલવાની ગાળો અને અપશબ્દો ઘણીવાર સાંભળ્યા છે.
૩૨
મારી આંખો એકદમ પહોળી થઈ ગઈ. સંસારની અસારતા મનમાં વધુ ને વધુ ફીટ થતી ગઈ.
પેલા બેનો તો જતાં રહ્યા પણ મારા મનમાં ગૂંચવણ ઉભી થઈ. પતિ એટલો ક્રોધી, દુઃખ આપે, મારે, અપશબ્દો અને ગાળો બોલે છતાં એ વાતની કોઈને ખબર ન પડે એવું હસતું મુખડું. કાંઈ સમજાતું નથી.
૩ દિવસ બાદ એ જ ધર્મિષ્ઠાબેન સહજ રીતે સામાયિક પારીને સત્સંગ કરવા આવીને મારી પાસે પલાંઠી લગાવીને બેસી ગયાં. દીક્ષાની ભાવના કેવી રીતે થઈ ? કેટલો પર્યાય ? શું ભણ્યાં ? પ્રસન્નતા છે ને ? ગુરુજી પ્રત્યે સમર્પિત છો ને ? સેવા ચૂકતા નથી ને ? વિગેરે એક પીઢ શ્રાવિકાને શોભે એવા ઘણા પ્રશ્નો પૂછી કાઢયાં. મનમાં ખૂબ આનંદ થયો કે અમ્માપ્રિયા જેવા શ્રાવિકાઓ પણ છે. જે ખરી માતા બનીને નિર્ભયતા-પૂર્વક અમારી કાળજી કરે છે.
યથાયોગ્ય બધાના ઉત્તરો આપ્યા. ત્યારબાદ મનમાં પેલા બેન દ્વારા ઉભી થયેલી ગૂંચવણ યાદ આવી ગઈ. આટલી આત્મીયતા થવાથી પૂછવામાં સંકોચ ન લાગતાં મેં પૂછયું, શ્રાવિકાબેન એક વાત પૂછું?
""
tr
બુધ્ધિની શુધ્ધિ તો શાશ્વતી રિધ્ધિ-સિધ્ધિ દૂર નથી.
For Personal & Private Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
૯૯૯ -(33)
પૂછોને, સાહેબ! ” તમે તો અમારા ગુરુના સ્થાને છો.”
“મેં સાંભળ્યું છે કે તમારા પતિદેવ બહુ ક્રોધી છે.” એમણે ટુંકાણમાં માં હલાવ્યું. મેં આગળ ચલાવ્યું “તે તમને ઘણીવાર અપશબ્દો બોલે છે, ગાળો પણ આપે છે.” તેઓ બોલ્યા, “હોય, સંસારમાં બધુ ચાલ્યા કરે.” આટલું બોલી પતિદેવનું ખરાબ ન દેખાય અને હું આગળ ન પૂછું એવી મોંઢા પર નારાજગી દેખાડી.
પણ મારી મનની ગૂંચવણ દૂર કરવા હું મર્યાદા ચૂકી, પૂછવાનું ચાલુ રાખ્યું, અરે મે તો સાંભળ્યું છે કે તમને તમારા પતિદેવ ખૂબ માર પણ મારે છે. એમણે કહ્યું કે હા, મારા કોઈક પાપકર્મનો ઉદય છે. બાકી મારા પતિદેવ તો ખરેખર ખૂબ ઉત્તમ છે.
માર મારવા સુધીનું કૃત્ય કરનાર પોતાના પતિદેવને ઉત્તમ માનનાર આ શ્રાવિકાને અંતરથી હું ઝૂકી પડી.
ફરી હું બોલી કે મને એ સમજાતું નથી કે તમારા પતિદેવ તરફથી તમને આટલું દુઃખ પડે છે, છતાં તમારું મુખ સદાય હસતું જ હોય છે અને તમે તેમને ઉત્તમ માનો છો. એની પાછળ રહસ્ય શું છે?
“સાહેબજી ! આજે તમે જીદે જ ચડ્યા છો તો મારે કહેવું જ રહ્યું ! સાંભળો. હું નાની હતી ત્યારથી જ મા-બાપના ખૂબ સારા સંસ્કારો, સાધુ-સાધ્વીજી ભગવંતોનો સમાગમ. ધર્મના રંગે રંગાતી ગઈ. ૧૮ વર્ષની થઈ અને એક સાધ્વીજી ભગવંતના નીકટના પરિચયથી વૈરાગ્યના રંગોથી રંગાઈ. સંયમજીવન લેવાની તાલાવેલી થઈ.
બુધ્ધિવાદી નહિ શુધ્ધિવાદી બનો.
For Personal & Private Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
--- ---- (૩૪) જે -૨૯
ઘરે આવીને ચારિત્રની ભાવનાની વાત મૂકી. બધા સભ્યો ખળભળી ઉઠ્યાં, મારા પ્રત્યેની લાગણી અને કદાચ દીક્ષા લઈ ઘરે પાછી આવે તો એવા ભયથી પિતાજીએ ખૂબ સ્પષ્ટ શબ્દોમાં ના કહી દીધી.
અવસરે અવસરે હું વાત મૂકતી અને પિતાજીનો આક્રોશ ઠલવાતો. ઘરનું વાતાવરણ વધુ કલુષિત થતું. તેથી હવે ચારિત્રની વાત મેં પડતી મૂકી. સાધુ-સાધ્વી ભગવંતોનો સમાગમ ઘટાડ્યો અને વૈરાગ્ય ઓસરતો ગયો.
પણ લગ્ન તો નથી જ કરવાં. અબ્રહ્મનું પાપ તો મારે નથી જ સેવવું. સંસાર તો મારે નથી માંડવો એવો ર્દઢ નિર્ધાર કરી ચૂકી હતી. ઉંમર થતાં વારંવાર ઘરના સભ્યો તરફથી વાત મુકાતી પણ મક્કમપણે હું મારી ના જ જાહેર કરતી.
આ બાજુ ઉંમર વધતી ચાલી અને સામેથી માંગાઓ આવવાના શરૂ થયાં. સમાજમાં પણ લોકો વાતો કરવા લાગ્યા કે કેમ આ છોકરીને ઘરના લોકો વળાવતાં નથી. હકીકત શું છે. વિગેરે વાતોથી ભડકેલા પિતા એક દિવસ ખૂબ જ આવેશમાં મારા પર તૂટી પડ્યાં.
તને કાંઈ ભાન છે કે નહિ? સમાજમાં અમારી ઈજ્જત તારે રાખવી છે કે નહિ ? નાનપણ થી મોટી કરી, આટલા બધા ઉપકારો કર્યા, એનો આ બદલો આપવાનો? આના કરતાં તો તું અમારા ઘરે ના આવી હોત તો સારું !!
સાથે મમ્મી, નાનીબેન, ભાઈ બધા પણ અવસરની રાહ જ જોતા હતાં. બધા પોત પોતાની તીખી ભાષામાં મને ધોઈ નાંખી. એક બાજુ હું એકલી અને બીજીબાજુ આખો પરિવાર. હવે હું હિમ્મત હારી ગઈ. તુટી ગઈ.
સમૃધ્ધિ નહિ સમાધિ માટે પુરુષાર્થ કરો. )
For Personal & Private Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
(૩૫) પિતાજીએ ફરી ગુસ્સામાં પૂછયું, “બોલ ! હવે લગ્ન માટે તૈયારને? ના પાડવા માટે હું અસમર્થ બની પણ સંસારમાં નહિ લેપાવાની ઈચ્છાવાળી હું હા પણ ના બોલી શકી. તેથી મૌન રહી.
- ઘરના સમજી ગયા કે હવે આનુ ચાલવાનું નથી. તેથી સારા મૂરતીયા સાથે લગ્ન નક્કી થયાં. ચોરીના ફેરા ફરાઈ ગયા અને અને સાહેબજી ધ્રુસ્કે ધ્રુસ્કે શ્રાવિકા રડવા લાગ્યા) હું સંસારના કાદવમાં ખૂંપી ગઈ. દિવસો, મહિનાઓ વિતતાં બે વર્ષ જોતજોતામાં વીતી ગયાં.
લગભગ ૨૬ વર્ષની મારી ઉંમર હતી, આરાધના વિગેરે સુંદર ચાલતી હતી અને સંઘમાં મોટા આચાર્ય ભગવંત પધાર્યા. સામૈયું થયું. વ્યાખ્યાન ગોઠવાયું. પતિદેવ પણ ભૂલથી એ દિવસે વ્યાખ્યાનમાં આવ્યાં.
આચાર્ય ભગવંતે સરસ રીતે ઉપદેશ આપ્યો. તેમાં બ્રહ્મચર્યનો મહિમા અને બ્રહ્મચર્યની ભયંકરતા ખૂબ ચોટદાર શૈલીમાં સમજાવી.
વ્યાખ્યાન પૂર્ણ થયું એ દિવસે સાંજે પતિદેવશ્રીને જમાડયાં પછી નિરાંતે બેઠેલા ત્યારે હું એમના પગ આગળ જઈને ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગી.
એમને મારા પર ખૂબ પ્રેમ તેથી મારું રુદન જોઈ ન શક્યાં. મને શાંત પાડી રડવાનું કારણ પૂછયું માંડ માંડ શાંત થઈ ભીના સ્વરે બોલવાનું શરૂ કર્યું.
પતિદેવ નાનપણથી ધર્મ ખૂબ ગમે, ૧૮ વર્ષે દીક્ષા લેવાની તીવ્ર ઝંખના થઈ હતી. ઘરે વાત મૂકી, પિતાજીનો ભયંકર આક્રોશ ઠલવાયો. વાત પડતી મુકાઈ. છેવટે લગ્ન તો ( મોલ, મેઈલ, મોબાઈલના યુગમાં શાંતિગઈમસાણમાં. ]
For Personal & Private Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
૯૯૯ ૯ (૩૬) નથી કરવા એવો દૃઢ નિર્ધાર કર્યો તેમાં પણ મારા પાપોદયે ન ફાવી ઘરના બધા મારા પર તૂટી પડયા. અને લગ્ન કરવા પડયાં. સંસારના કાદવમાં ખૂંપવું પડયું અબ્રહ્મના ભયંકર પાપથી અભડાઈ ગઈ.
પતિદેવ ખરી વાત એ છે કે આજે મેં અને તમે આચાર્ય ભગવંતનું વ્યાખ્યાન સાંભળ્યું, શું બ્રહ્મચર્યની મહાનતા અને અબ્રહ્મની ભયંકરતા આચાર્ય ભગવંતે દેખાડી છે. ત્યારથી મનમાં સંકલ્પ કર્યો છે કે જો આપ સંમત થાઓ તો આજથી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા આજીવનની લેવી છે.
પતિદેવ આ અભાગણી દીક્ષા તો ન લઈ શકી (આંખમાંથી ટપ-ટપ આંસુ પડવા લાગ્યા હૈયુ ભરાઈ ગયું ) અરે સંસારમાં રહીને પણ બ્રહ્મચર્ય ન પાળી શકી. હવે. હવે તો બહુ થઈ ગયું. પતિદેવ જો આપ પ્રસન્નતાપૂર્વક સમ્મતિ આપો ! સાથ આપો તો ! આપણે બન્ને સંપૂર્ણ જીવન બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કરી લઈએ....
વૈરાગ્ય અને અસરકારક રજૂઆતે પતિના હૃદયને હલાવી દીધું. છેવટે પોતે ઉચ્ચકુળના સંસ્કારી નબીરા હતા. કાચી સેકંડોમાં પતિદેવે જવાબ હકારમાં આપી દીધો.
આચાર્ય ભગવંત સાથે વાત થઈ ગઈ. સારા મુહુતે નાણ સમક્ષ ર૬ વર્ષની ઉંમરે સુખી-સંપન્ન, રૂપવાન અમે બંને પતિપત્નિએ આજીવન સંપૂર્ણ બ્રહ્મચર્ય ઉચ્ચારી લીધું.
સાધ્વીજી ભગવંત ર૬ વર્ષે ભર યુવાન વયે જે પતિદેવે મને શીલરત્નની ભેટ આપી તે પતિદેવ હવે જો પત્થરોથી મારે તો પણ તેની સામે મારે ન જોવાય.
બોલો ! સાધ્વીજી ભગવંત ! હવે તો મારા પતિદેવ
પ્રમાદ જાય તો પ્રભુનો પ્રસાદ થાય.
For Personal & Private Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
૯૯૦૯૯(૩૭) ઉત્તમ ખરા કે નહિ! તે મને મારે તો પણ હું પ્રસન્ન રહી શકું કે નહિ.
હું તો આ અનુમોદનીય કથની સાંભળી આશ્ચર્યચકિત થઈ ગઈ. બંનેની ગુણ ગરિમા પ્રત્યે મારુ હૈયુ નમ્ર બની ગયું.
હાથ જોડી પગે પડવાની વ્યવહારિક ક્રિયા મારા સાધુવેશના કારણે હું ના કરી શકી. કમાલ છે શુભ-દેષ્ટા અને સહિષ્ણુ એ પરમ શ્રાવિકાને!! કમાલ છે પત્નીને ધર્મમાં સહાયક બનનાર પતિદેવ ને !!
ક ૧૭. આપત્તિમાં ધર્મ દઢતા વહુની ધર્મદઢતાનો પ્રસંગ સાસુના શબ્દોમાં વાંચીએ..
ઈન્ટીરીયર ડીઝાઈનર નું ભણેલી, મારી વહુ રીના, જયારે કુંવારી હતી ત્યારે આર્કિટેક્ટની ઓફિસમાં અંધેરી ઈન્ટર્નશીપ કરતી હતી. પ્રસંગ છે ર૬ જુલાઈ ૨૦૦૫ના ધોધમાર વરસાદનો જન્મથી જ કયારેય પણ કંદમૂળ ચાખ્યું નથી. એ દિવસે ખૂબ વરસાદ હતો. બપોરના ૨, ૨.૩૦ વાગ્યાની આસપાસ, એની મમ્મીનો ભારે વરસાદમાં વહેલા નીકળી જવાનો ફોન આવતાં ઓફિસમાંથી નીકળી. સાથે બધા જ સ્ટાફના લોકો પણ નીકળી ગયા. ધીરે ધીરે વરસાદની માત્રા વધી રહી હતી. બસ માટે રાહ જોતા હતા પણ ઘણી વાર સુધી બસ ન આવતાં, સહારા રોડ પર આવી બસ પકડી બસમાં બેઠા. થોડો એવો નાસ્તો જે ઘરેથી લાવી હતી, તે બધાને થોડો થોડો આપી દીધો. પાણીનું સ્તર ખૂબ વધી ગયું હતું. બસ આગળ વધવાનું નામ જ લેતી ન હતી. તો બધાએ બસમાંથી ઉતરી, ચાલીને હાઈવે પહોંચવાનું નક્કી કર્યું. પાણી ગળા ( સંસારમાં સાક્ષીભાવ અને ધર્મમાં સમર્પણભાવ ઉત્તમ. )
For Personal & Private Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
(૩૮)
જ સુધી આવી ગયું હતું. આગળ વધવું ખૂબ જ મુશ્કેલ થઈ પડ્યું. જીવનું જોખમ લાગતું હતું. બધાએ પાછા ઓફિસમાં જ રાત રોકાવવાનો નિર્ણય કર્યો. ઓફિસ પાછા ફરતી વખતે રસ્તામાં વડાપાંઉવાળો દેખાયો. ઓફિસના સ્ટાફ જે અજૈન(મરાઠી, સાઉથઈન્ડીયન, વૈષ્ણવો હતાં, તે લોકોએ પોતાની માટે વડાપાંઉ, બટાકાવડા લઈ લીધા. પણ યાદ આવ્યું કે રીના તો જૈન છે આ બધુ નહિ ખાય. એટલે એની માટે સૂકો ચેવડો લીધો. જેમ તેમ કરીને ૭ વાગ્યે પાછા ઓફિસે પહોંચ્યા. ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં ઓફિસ હતી. આજુબાજુ કારખાના પણ બંધ, બધુ બંધ હતું, ઓફિસમાં ન લાઈટ ચાલુ કે ન ફોન ચાલુ. થોડીવાર રહીને બધા વડાપાંઉ ખાવા લાગ્યા અને રીના માટે ચેવડો આપ્યો. ચેવડામાં લસણની વાસ આવી. રીનાએ કહ્યું આ મને નહિં ચાલે. બધા લોકો વિચારમાં પડી ગયા. હવે શું કરવું... પછી રીનાને સમજાવવા લાગ્યા કે તારે કાંઈક તો ખાવું જ પડશે. ખાઈશ નહિં તો આટલી બધી ભીની થઈ છે તો ઠંડીથી મરી જઈશ. ખાધા વગર ગરમી કેવી રીતે આવશે.. રીના પર આ વાતની કોઈ અસર ના પડી. બધા એને મસ્તીમાં કહેવા લાગ્યા કે... દેખ, અંધેરા હો ગયા હૈ, ભગવાન ભી નહિ દેખ રહે હૈ, તું ખાલે, વરના મર જાયેગી... પણ રીના ને જિનાજ્ઞા પર શ્રધ્ધા અતૂટ એટલે ટસ ની મસ ન થઈ. બધા સમજાવતા હતાં એટલી વારમાં જ અચાનક દરવાજા પર કોઈક આવ્યું જોયું તો ચા વાળો હતો. પણ ઓફિસમાંથી તો કોઈએ ઓર્ડર આપ્યો ન હતો. પાછળથી ખબર પડી કે એ છોકરો નવો હતો અને બીજા કોઈને ચા આપવાની હતી ને ભૂલથી અહીં આવી ગયો હતો. બધાએ કહ્યું કે ચા રાખીને જા અને
( સંવેદનશીલ અને સહનશીલ બનશો તોસમાધિશીલ બનશો.)
lain
sare
e
rs -
----
--
----
-
-----
jamemoraty.org
Page #41
--------------------------------------------------------------------------
________________
૯૯૯૯૯૯(૩૯) ૯૯૯૯૯ રીનાને આવીને કહ્યું, તું જલ્દી સે ચાય પી લે.. થોડા અચ્છા રહેગા.. એટલા બધા જણા વચ્ચે ચા ના એક-બે ઘૂંટડા જ આવ્યા. પણ સારું લાગ્યું. હજી પણ બધા વડાપાંઉ ખાવાની રટ લગાડીને બેઠા હતાં. અચાનક સાડા નવ વાગ્યે ફરી પાછા દરવાજે ટકોરા પડયાં. એક છોકરો કાંઈ ખાવાનું લઈને ઉભો હતો. બધાએ પૂછયું, કિસને ભેજા.. ક્યા હૈ.. છોકરો કહે, પતા નહિં, શેઠને બોલા ઉપર ઓફિસમેં પુલાવ દે કે આ... આ બાજુ બધા ખુશ થઈને પુલાવ લઈને અંદર આવ્યા. ખોલીને જોયું તો સાદો ભાત જીરામાં વઘારેલો. બાકી બીજુ કાંઈ ન હતું. અને બધા જોરથી બોલી ઉઠયા રીના... તું યે ખા સકતી હૈ.. ઈસમેં કુછ ભી નહિ હૈ.... ના પ્યાઝ... ના ગાજર... યે તો જૈન હૈ. ... બધા ખુશ થઈ ગયા. સાથે સાથે આશ્ચર્ય પણ પામ્યા કે આફિસની નીચેની ઓફિસમાં કયારેય પણ જૈન ખાવાનું બનતું નથી. તો આજે અચાનક જૈન પુલાવ...
ત્યારે બધાને એ જ વિચાર આવ્યો અને બોલી ઉઠ્યા કે રીના... તેરે ભગવાન ને હી તેરે લીયે યે ભેજા હૈ. વરના અપને આપ વો હોટલવાલા ઐસે ખાના ભેજે ઔર વો ભી જૈન... હેટ્સ ઓફ ટુ યોર જૈન ધર્મ... અને આમ રીનાની શ્રધ્ધા જોઈને આજે પણ એ અજૈન મિત્રો જૈન ધર્મના વખાણ કરતાં થાકતાં નથી. જૈનમ્ જયતિ શાસનમ્. રાત્રી ભોજનનું પાપ ન છોડી શકનાર રીનાની કંદમૂળ ત્યાગની ભાવનાની અનુમોદના...
૧૮. ડાયાલિસીસ કેન્સલ વડોદરામાં નિઝામપુરામાં ઉષાબહેનના ઘરે શ્રી આદીશ્વર ભગવાનનું ઘર દહેરાસર છે. તેમને આઠ-દસ વર્ષથી
ઈચ્છાનું દમન નહિ શમન કરો.
Jain Educato
rratura
Personal & Private use only
Page #42
--------------------------------------------------------------------------
________________
છે કે એક કલાક ૯(૪૦) ડાયાબિટીસ હતો. ધીમે ધીમે ડાયાબિટીસ વધવા લાગ્યો. ડૉકટરે રીપોર્ટ કઢાવવાના કહ્યા રીપોર્ટમાં કીડની ફેઈલ છે તેમ આવ્યું. બે કીડની ફેઈલ આવવાથી ડૉકટરે ડાયાલિસીસ કરાવવાનું કહ્યું. ડાયાલિસીસ કરાવવાનું નિયમિત ચાલુ થઈ ગયું. તે સમયમાં તેમણે ખૂબ જ હિંમત પૂર્વક લોગસ્સના નિયમિત જાપ શરૂ કર્યા. જાપના પ્રભાવે છ મહિના પછી ડાયાલિસીસ બંધ થઈ ગયું. અત્યારે તે બધે હરે ફરે છે. દહેરાસરનું બધુ જ કામ જાતે કરે છે. સવારે ચાર વાગ્યે ઉઠે છે. આજની તારીખે પણ તેમના લોગસ્સ ચાલુ છે. ડૉકટરને પણ નવાઈ લાગી કે લાખોમાં આવો એક કેસ જોવા મળે છે.
ન ૧૯અઠ્ઠમનો પ્રભાવ વિજયભાઈ આણંદ રહે છે. તેમના ઘરમાં તેમની પત્નિ, ચાર પુત્રી અને એક પુત્ર છે. તેમને ડાયાબિટીસ હતો. ધીમે ધીમે તેમને પગમાં દુઃખાવો થવા લાગ્યો. શરીર સુકાવા માંડ્યું. ડૉકટરને બતાવ્યું, પરંતુ કશું નિદાન થતું ન હતું. કમાવવાની જવાબદારી તેમના માથે હતી. બાથરૂમ જાય તેમાં લોહી આવવા લાગ્યું. ત્યારબાદ તેમને વડોદરા લાવવામાં આવ્યા. ડૉકટરને બતાવ્યું તો ડૉકટરે કહ્યું કે કાં તો કીડની ખરાબ થઈ ગઈ હશે. ? અથવા તેમને કેન્સર હશે. તાત્કાલિક હોસ્પીટલમાં દાખલ કરો. વડોદરા સ્ટર્લીગમાં તેમને દાખલ કર્યા. ઘરમાં બધા ગભરાઈ ગયા. હવે શું થશે? તેવામાં તેમની દિકરી પૂર્વીને એકાએક અઠ્ઠમ કરવાનો વિચાર આવ્યો. અઠ્ઠમ કરીને જાપ શરૂ કરી દીધા. અને આશ્ચર્ય બધા જ રીપોર્ટનોર્મલ આવ્યા. માત્ર કિડની ઉપર સોજો હતો. પણ ધીમે ધીમે તે પણ સારૂ થઈ ગયું. હવે ડાયાબિટીસ પણ નોર્મલ આવે છે. અત્યારે (અશ્રધ્ધા અને અંધશ્રધ્ધાનેછે આત્મશ્રધ્ધા તરફ આગળ વધો.)
For Personal & Private Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
૪૯ ૯ ૯૦૯૨૯ (૪૧) ૯ કલાક ત્રીજે માળ રહે છે. લિફ્ટ છે નથી. તો પણ ભગવાનની સેવા પૂજા કરવા જાય છે.'
- ૨૦. દુઃખમાં સમતા |
અરવિંદભાઈ રેલ્વેમાંથી ઉતરવા જતા પગ ચૂકી ગયા અને પાટા બાજુ પડયા. હાથ અધ્ધર થઈ ગયા. એ જ સમયે ટ્રેન ઉપડી. સતત નવકાર ગણતા રહ્યા. પૂરા અઢાર ડબ્બા પસાર થઈ ગયા. ધર્મ પ્રત્યે અતૂટ શ્રધ્ધા હતી. ટ્રેન ગયા પછી અન્ય વ્યકિતઓએ પ્લેટફોર્મ ઉપર સુવાડ્યા. ડાબો હાથ છૂટો પડી ગયો હતો. બધા કપડાં લોહીવાળા થયા હતા. સમતાભાવ રાખી સર્વેને તેમની પુત્રીનો નંબર આપ્યો. મને આ હોસ્પિટલમાં લઈ જજો વિગેરે માર્ગદર્શન આપતા રહ્યા. આવી ભયંકર પરિસ્થિતિમાં પણ બોલ્યા કે ભગવાને ડાબો હાથ લઈ લીધો. જમણો હાથ મજબૂત છે. મારી પુત્રી આવે તે પહેલા લોહીવાળા કપડાં ફાડી નાખો નહી તો તે બેભાન થઈ જશે. સર્વેના આંખમાં આંસુ હતા. તેઓ નવકાર સ્મરણ કરતા હતા. આજે ડાબો હાથ નથી. ત્યારબાદ પત્નીની માંદગી આવતા ખૂબ જ સેવા કરી. પત્નીને પણ હસતા મોએ વિદાય આપી. આજે ૬૫ વર્ષની ઉંમરે એકલા રહી સમતાભાવથી ધર્મમય જીવન ગુજારે છે.આ વર્ષે પાલીતાણા ચોમાસું કરવા ગયા છે. ધન્યવાદને પાત્ર છે. અઘરા દુઃખો સમતા ભાવથી સહન કરી શકવાની તાકાત ધર્મથી જ મળે તેનું જીવંત ઉદાહરણ છે. જીવનમાં નાના દુઃખો સામેથી સહન કરવાની ટેવ પાડશો તો અંત સમયે દુઃખમાં પણ સમાધિ રાખી શકીશું. (૧) જમવાની થાળી તૈયાર હોય, ભૂખ જોરદાર લાગી હોય, અન્યની ખૂબીઓને વખાણી ન શàતોખામીઓને વખોવા નહી.)
Jain Education internauonar
For Personaruvate use only
Page #44
--------------------------------------------------------------------------
________________
ત્યારે ૧૦ મિનિટ નવકાર ગણીને પછી જમવા બેસવું. (૨) ભયંકર ગરમીમાં ઘરમાં આવ્યા બાદ ૧૦ મિનિટ પંખો
ચાલુ કરવો નહિં. (૩) જમતાં કોઈ વસ્તુનો બરાબર સ્વાદ ન હોય તો પણ તે
અંગે બોલવું નહિ. આવા નાના નિયમો આજથી જ ચાલુ કરી શકશોને..!
૨૧. જીનવાણી શ્રવણનો ચમત્કાર ૨૨વર્ષની એ યુવતી. નામ હતું નિશા. એકદમ નાસ્તિક હતી. ધર્મમાં બીલકુલ રસ નહીં. કોઈ દિવસ ભગવાનનું મુખ પણ જોવા ન જાય તેની મમ્મી એકદમ ધર્મિષ્ઠ: મા સેવા-પૂજા કરે અને ગુરૂવંદન પછી જ નવકારશી પાળે, જયારે દીકરી તદ્દન વિરોધી. હરવું ફરવું, ખાવું-પીવું અને મોજ-મજા કરવી. બસ એ જ એની જીંદગી. મમ્મી ઉપાશ્રયનું નામ દે કે તરત જ ચીડ કરે. તે તેની માને કહેતી કે જયારે તું ઉપાશ્રય જાય ત્યારે ચાવી બાજુમાં આપીને જવી, જેથી ચાવી લેવા પણ ઉપાશ્રયમાં આવવું ન પડે.
એક દિવસ એવું બન્યું કે તેની મમ્મી ઉપાશ્રય જતાં ઉતાવળમાં ચાવી બાજુમાં આપવાનું ભૂલી ગઈ. તેથી ચાવી લેવા નિશાએ ઉપાશ્રય જવું પડયું. તે વખતે સાધુ ભગવંતનું વ્યાખ્યાન ચાલતું હતું. નિશા ચાવી લઈને પાછી ફરતી હતી ત્યારે ગુરુદેવના એ શબ્દો.. શું આ માનવ જન્મ વેડફવા માટે મળ્યો છે....? સાંભળીને નિશા અચાનક જ ઉભી રહી ગઈ અને તેને થયું કે લાવને આવી જ છું તો વ્યાખ્યાન સાંભળું અને તે બેસી ગઈ. પછી જેવું વ્યાખ્યાન પુરૂ થયું અને તેને મનમાં ( દીકરાને બેટસમેન નહિ બેસ્ટમેન બનાવજો.
or personala Private Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
૪૩
વિચાર આવ્યો કે વ્યાખ્યાન કેટલું સરસ હતું ... મેં આટલા વર્ષોમાં આવા કેટલાય વ્યાખ્યાન ગુમાવ્યા. તેણે નક્કી કર્યું કે હું કાલે પણ વ્યાખ્યાન સાંભળવા આવીશ. બસ વ્યાખ્યાનથી તેની આખી જીંદગી બદલાઈ ગઈ. પછી તો રોજ-રોજ વ્યાખ્યાન સાંભળવા આવે અને નાસ્તિક માંથી આસ્તિક બની ગઈ. તેને હવે આ સંસારમાં રસ ન રહ્યો. સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગ્યો.
ન
મનમાં દિક્ષા લેવાનું નક્કી કર્યું. પણ તેના લગ્ન નક્કી થઈ ગયા હતા અને લગ્નની ખરીદી અને તૈયારીઓ પણ થઈ ગઈ હતી. તે લગ્નના આગલા દિવસે ભાગી ગઈ. બધી બાજુ શોધખોળ કરતા કયાંય તેનો પત્તો ન લાગ્યો. આવેલી જાન પાછી ગઈ. પછી બે દિવસ રહીને નિશા ઘરે પાછી આવી. ક્યાં ગઈ હતી? તે પ્રશ્ન પૂછતાં જ નિશાએ જવાબ આપ્યો કે સાધ્વીજી મ. સા. જોડે ગઈ હતી. કારણ કે મારે લગ્ન કરવા નથી. મારે દિક્ષા લેવી છે. મારે આ સંસારમાં પડવું નથી. જો હું તમને પહેલા મારા દિક્ષાના ભાવ જણાવતી તો તમે મને ના જ પાડતા. અને જબરજસ્તી મારા લગ્ન કરાવતા. મારી પાસે આના સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. બસ પછી તો નિશા સંયમ પંથે જવા આગળ ને આગળ વધતી ગઈ. અને અંતે દિક્ષા લીધી.
બસ, એક જ વ્યાખ્યાને તેને નાસ્તિકમાંથી આસ્તિક બનાવી મોક્ષમાર્ગ સુધી પહોંચાડી. ખરેખર આપણાં ધર્મમાં જીનદર્શન કરતાં પહેલાં જિનવાણી શ્રવણને વધારે મહત્વ અપાયું છે.
અકબર બાદશાહ યુધ્ધભૂમિમાં પણ ગુરૂભગતને જોડે લઈ જતાં, યુધ્ધભૂમિમાં રોજ જિનવાણીશ્રવણ કર્યા બાદ જ
બીજાને જાણકારી આપજો પણ જાકારો ન આપતા.
For Personal & Private Use Only
www.jainellbrary.org
Page #46
--------------------------------------------------------------------------
________________
જ. :-
-(૪૪) લડાઈ કરવા જતા. તો આપણે જૈન રોજ વ્યાખ્યાનશ્રવણતો કરીશું જ ને !!
અ૨૨. જિનાલય રીક્ષા સેવા વિ. સં. ૨૦૬૮ નું ચાતુર્માસ શ્રી મિરાંબીકા જૈન સંઘમાં થયું. વર્તમાનમાં વૃધ્ધ શ્રાવક-શ્રાવિકાઓને જિનાલય જવા આવવામાં ઘણી વાર તકલીફ પડતી હોય છે. ઘણાંને ચાલવાની તકલીફ હોય છે, તો કોઈકના દિકરા-વહુને ધંધા કે રસોડાને લીધે સમય નથી હોતો. સંઘના કેટલાક ભાવિકોએ આ અંગે વિચારણા કરી પોતાના જ સંઘના એક જૈન શ્રાવક કે જેને રિક્ષા ચલાવવાનો ધંધો હતો, તેને વાત કરી. સવારના ૭ થી ૧૦ દરમ્યાન સંઘ માંથી તમારા પર જેનો ફોન આવે તેને સરનામું પૂછી, એમના ઘરેથી રીક્ષામાં બેસાડી તમારે દહેરાસર મુકી જવાના. એમની આરાધના પૂર્ણ થયા બાદ પાછા ઘરે મુકી આવવાના. આના માટે એમને મહિને અમુક રકમ નક્કી કરી આપી છેલ્લા ત્રણ વર્ષથી ઘણાંય વૃધ્ધોના આશિર્વાદ એ ભાવિકોને મળી રહ્યા છે. જાગૃત સંઘોની આરાધકોની આરાધના વધે તેની જાગૃતિ અંગે ધન્યવાદ.
- ૨૩. મારે કેરી ખાવી નથી |
અરે મનન.. તું કેમ કેરી નથી ખાતો? શું તારે કેરીનો ત્યાગ છે ? ” એક સંસ્થામાં યુવાનને જમતાં જમતાં પ્રશ્ન પૂછયો. યુવાન કહે “ના સાહેબ ! મારે કેરી ત્યાગ નથી.” કાર્યકર્તાએ પૂછયું કે તો પછી બે દિવસથી તું કેરી પીરસવા આવે ત્યારે કેમ લેતો નથી?
મનન કહે, “આ કેરી છાલ સાથે આપવામાં આવે (દીકરાને સંસા૨વર્ધકનહિ સંસ્કા૨વર્ધકશિક્ષણ આપજો.)
Jain Education internauonat
For Personal & Private Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
* -(૪૫) એ એક છે. કેરી ખાધા પછી એંઠી છાલ ફેંકવી પડે. એટલે એમાં આપણી લાળ જવાથી ૪૮મિનિટ પછી અસંખ્યાતા સંમૂર્છાિમ પંચેન્દ્રિય જીવો પેદા થાય. કેટલાય સમય સુધી સતત જીવોત્પતિ અને મરણ ચાલે માટે હું આવી છાલવાળી કેરી નહિ ખાઉં. ”
કાર્યકર્તાને ખ્યાલ આવ્યો કે ધર્મની સમજણ મનને સાચે જ હૃદયમાં ઉતારી કહેવાય. હવે પછી કાયમ કેરીને છાલ ઉતારીને પછી જ છોકરાઓને પીરસવા માટે રસોઈયાને સમજાવ્યું.
૨૮. અનુમોદના | હાર્ટએટેક બાદ નવજીવન મળતાં ૫૧ કરોડની સાધર્મિક ભક્તિનો સંકલ્પ કરી પૂર્ણતાના આરે પહોંચેલ કલ્પેશ વી.શાહની ખૂબ ખૂબ અનુમોદના...
ચેતવણી | ઘીની ટોયલીમાં પોતુ રાખનાર ચેતજો કેમકે રોટલી પર પોતુ ફેરવ્યા બાદ રોટલીનો લોટ પોતા સાથે ઘીમાં પાછો જાય છે. આવુ વારંવાર કરવાથી એક દિવસમાં ઘણો લોટ ટોયલીમાં જાય તો તે ટોયલીનું ઘી બીજે દિવસે અભક્ષ્ય થાય.
- ૨૫. જીવદયા ધર્મ સાર
વિ. સં. ૨૦૬૮ ગિરધરનગર ચૈત્રી ઓળીની આરાધના કરાવવાની થઈ. ઓળી દરમ્યાન એક અજાણ્યા ભાગ્યશાળી મળવા આવ્યા. નામ હતું એમનું સંજયભાઈ. એમણે વંદન કર્યા. પૂછયું કે ગુરૂદેવ ! એક ખાસ પ્રયોજનથી આવ્યો છું. આપને અનુકૂળતા હોય તો વાત કરી શકું? સંમતિ લઈ એમણે વાતની શરૂઆત કરી. ( ઉત્તમના વખાણ એ પર્વની ઉત્તમ ખાણ છે.
For Personal & Private Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
“અહીંથી એક કિ.મી. દૂર વર્ષો જૂની મિલનું કંપાઉન્ડ છે. ઘણાં વર્ષોથી મિલ બંધ પડી છે. તાજેતરમાં એ મિલ કોઈ બિલ્ડરને વેચાઈ છે. મને સમાચાર મળ્યા, આ મિલમાં હવે શોપીંગ સેન્ટરો વિગેરે બનવાનું છે. મિલમાં વર્ષો જુનો પાણીનો હોજ છે, જેમાં સેંકડો માછલા ખેલકૂદ કરી પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. આ હોજની જગ્યાએ શોપીંગ સેન્ટર બનવાનું હોવાથી આ હોજ હવે પૂરી દેવામાં આવશે. પરંતુ સેંકડો માછલાઓનું શું? બિલ્ડરને માછલાની જીંદગીની ન પડી હોય તે સમજાય, પરંતુ મને વિચાર આવ્યો કે મારે આ માછલાઓને કોઈ પણ રીતે બચાવવા છે. પૂજય શ્રી ! આપ એક વાર સમય કાઢી જો ત્યાં પધારો અને નજર નાખી શકો તો સારું ! હું બધું મારી રીતે કરુ પરંતુ શાસ્ત્ર વિરુદ્ધ કોઈ કાર્ય ન થાય તે આપ જ જણાવી શકો તે માટે આપ પધારો એવી મારી નમ્ર વિનંતી છે.”
ચૈત્ર સુદ તેરસના દિવસે મીલનો હોજ જોવા જવાનું થયું. ઢગલાબંધ માછલાઓનું જીવન આજે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતું હતું. ૨૦,૦૦૦થી અધિક માછલાઓની ગણતરી હતી. પૂછતાં જણાવ્યું કે ગુરૂદેવ ! માછીમારો કે જેને માછલા પકડવાનો જ ધંધો છે, તેમનો સંપર્ક ચાલુ છે. માછીમારો કહે છે કે અમારો ધંધો પકડીને વેચી મારવાનો છે, આ રીતે બચાવવાનો નહિ. છતાં મેં એમને વધુ પૈસા આપવાની વાત કરી, માંડ માંડ તૈયાર કર્યા છે. માછીમારો જાળ નાખી આ માછલાઓને જાળમાં પકડશે અને તુરંતજ જોડે સીન્ટેક્ષના મોટા ટાંકાઓમાં તેમને ટ્રાન્સફર કરવામાં આવશે. એ ટાંકાઓના પાણીમાં તેમનું જીવન બચી જશે. મોટી ટ્રકોમાં આવા સીન્ટેક્ષના
જીવનનો અંત છે પણ જીવનો અંત નથી.
Jain Education internauonar
orfersonal Private use-omy
www.jamendrary.org
Page #49
--------------------------------------------------------------------------
________________
- - - ૪૯(૪૭) - - ટાંકાઓમાં પાણી અને માછલા ભરી ભરીને નર્મદાની કેનાલ કે જે લગભગ ૨૦-૩૦ કિ.મી. દૂર છે, ત્યાં પાણીમાં માછલાઓને મૂકવામાં આવશે. ટ્રકોની આગળ પાછળ અમારા માણસો સ્કુટરો પર હશે. જેથી રસ્તામાં કયાંય એ માછલા વેચી ના મારે. નર્મદાની કેનાલમાં શરૂઆતમાં થોડા માછલા નાખ્યા પછી એ જીવે છે કે કેમ? એ જોવામાં આવશે. આવી જશે તો સળંગ ૪-૫ મહિના આ કાર્ય ચાલુ રહેશે. અને આ યોજના બધા માછલા નર્મદાની કેનાલમાં મુકી દઈશું. આ રીતે ૨૦,૦૦૦ થી વધુ માછલાના જીવન બચી જશે.
નવાઈ એ હતી કે એમની સાથે આ કાર્યમાં સંભાળવામાં બીજું કોઈ જ નહિ. પોતાના ધંધાના સમયમાં ધંધો ઓછો વત્તો કરીને સ્વયં એકલા જ આખું કાર્ય ઉપાડયું. બે ચાર બહુ ડાહ્યા (?) લોકોએ તો જીવદયાના પૂંછડા વેદિયા જેવા પણ કહ્યા. પરંતુ નિશ્ચય હતો કે એકલા પણ આખું કાર્ય કરવું જ છે.
બધી વાતો સાંભળતા એમ લાગ્યું કે આજે પણ આવા સજ્જનો, જીવદયા પ્રેમીઓ જે કાર્ય કરી રહ્યા છે તે ધન્યવાદને પાત્ર છે. મેં ખૂબ અનુમોદના કરી અને એમને હિંમત આપી કે તમારી ભાવના ખૂબ અનુમોદનીય છે. તકલીફો વચ્ચે પણ આ કાર્યમાં પાછા નહિ પડતા.પ્રેરણાથી એમનો આત્મવિશ્વાસ ખૂબ વધ્યો. અને ૪-૫ મહિને ફોટા લાવીને એમણે આ કાર્ય કેવી રીતે પાર પાડ્યું તે બતાવ્યું સંપતિનો ભોગ તો આપ્યો જ પરંતુ સમયનો ભોગ આપનાર આવા જીવદયા પ્રેમી આત્માને લાખ લાખ ધન્યવાદ...!
પૂર્વ ભવમાં મેઘરથ રાજાના ભાવમાં શ્રી શાંતિનાથ
Always Find Kind Mind
For Personal & Private Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
એ ક (૪૮) જે જે પ્રભુએ એક જ પારેવાને બચાવવા જાનની બાજી લગાવી અને તીર્થકર બન્યા તો હજારો માછલાને નિઃસ્વાર્થ ભાવે બચાવનાર આ ભાગ્યશાળી શું ભાવિમાં....!!
એ ૨૬. જયણાપૂર્વકનું વિશિષ્ટ કાર્ય
ગત વૈશાખ સુદ ૧૦, મંગળવાર, તા. ૧-૫-૧૨ના રોજ પાયધૂની-મુંબઈ મધ્યે બિરાજમાન રાજરાજેશ્વર શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુજીની ૨૦૦મી સાલિગિરિ ઠાઠમાઠપૂર્વક ઉજવાઈ.
- આ પાવન પ્રસંગે મુંબઈના ૧,૩૫,૦૦૦ જૈનોના ઘરોમાં બદામ કસાટા મીઠાઈ સબહુમાન અપાઈ. સાથે સાલગિરાના પાવન દિને સમસ્ત મુંબઈના ૮લાખથી અધિક જૈનોનું સ્વામિવાત્સલ્ય થયું.
બન્ને પ્રસંગ માટે લગભગ ૭૦ હજાર કિલો બદામ કસાટા, ૩૦ હજાર કિલો બદામ કતરી, ૨પહજાર કિલો ઘઉંનો લોટ, ૨૦ હજાર કિલો ઢોકળાનો લોટ, સવા લાખ કિલો કેરી રસ, ૧ હજાર કિલો હળદર, ૧ હજાર કિલો ધાણાજીરૂ, ૩ હજાર કિલો મરચાં વગેરે વગેરે સામગ્રી મહિનાઓની જાતદેખરેખ સાથે (ઉનાળાના ૨૦ દિવસના કાળ પ્રમાણે) સંપૂર્ણપણે જયણાપૂર્વક તૈયાર કરાઈ.
- ઘરમાં ઓચિંતા પાંચ-સાત મહેમાનો આવી જાય તો ય પ્રાયઃજયણા સચવાતી નથી તેવા સમયમાં સમસ્ત મુંબઈનું (જયણાને અગ્રેસરતા આપીને) સ્વામિવાત્સલ્ય કરવું એ નાની સૂની તો વાત નથી જ.સ્વામિવાત્સલ્યના લાભાર્થી માતુશ્રી ગજરાબેન ગિરધરલાલ જીવણલાલ શાહ પરિવાર તથા આ વિશિષ્ટ કાર્યમાં જોડાયેલા નામી-અનામી તમામ પુણ્યાત્માઓની અનુમોદના કરીએ છીએ. Attempt to Attend books and extend your knowledge
For Personal & Private Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
શાહ ગુણવંતભાઇ પુનમચંદ (વડુ) શાહ કોકીલાબેન ગુણવંતભાઇ(વડુ) શ્રી પાલિતાણા ચાતુર્માસ તથા શ્રી સમેતશિખરજી યાત્રાની વ્યવસ્થા ભાર
ગુણવંતભાઈ પી. શાહ (વડુવાળા)
બી/૪, સ્થાપના ફ્લેટ, અંકુર જૈન દહેરાસર સામે,અંકુર, ના૨ણપુરા, અમદાવાદ-૧૩. (મો. ૯૮૯૮૧૪૨૦૩૩)
ત્રિદિવસીય ધ્યાન શિબિ૨ : તા. ૧૩-૧૪-૧૫ જાન્યુઆરી(ઉતરાયણ) ઉનાળુ વેકેશન શિબિ૨ : ૧૨ થી ૨૨ વર્ષના યુવાનો માટેની શિબિર તા. ૨૮-૪-૨૦૧૩ થી ૫-૫-૨૦૧૩ બંન્ને શિબિરો માટે સંપર્ક :
કૃશાંત ઃ ૮૦૦૦૯૭૩૦૭૬ મીતેશભાઈ : ૯૪૨૭૬૧૩૪૭૨
Page #52
--------------------------------------------------------------------------
________________ પંન્યાસ ભq૨વિશ્વ ગણ તથા મુનિ યોગી૨ríવિજયની બાલિકા શિખાનીપરિવારને શુભાશિષ સ્વ. શીખાબકુલકુમાર આધ્યાત્મયોગી, પ. પૂ. આ. શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ. સા. ની આજ્ઞાવર્તી/ પૂ. સાધ્વીજી શ્રી હીરશ્રીજી મસા. (સંસારી પહો ફઈમ. સા.) પૂ. સાધ્વીજી શ્રી હીતપ્રજ્ઞાશ્રીજી મ. સા. (સંસારી પો બેન મ. સા.) પૂ. સાધ્વીજી શ્રી હીતરઢિાતાશ્રીજી મ. સા. ની પ્રેરણાથી સ્વ. શીખા બકુલકુમાર ની (ઉ. 4 વર્ષ) આત્મલ્યાણાર્થે શાહ વાડીલાલ ચુનીલાલ (થરાદવાળા). - પરિવારના શ્વજિનેન્દ્ર Printed By: Ashish Shah : 9879088678 For Personal & Private Use Only www.jainelibrary.o