SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ અને નાગિલા સમાન વર્તમાનની આ શાસનપ્રેમી શ્રાવિકાને લાખ લાખ ધન્યવાદ... શું તમે તમારા સંતાનને શ્રમણ બનાવી શકશો..? છેવટે શ્રવણ તો બનાવી જ શકશો ને... | ૫. સંઘ એ જ સર્વસ્વ નારણપુરા વિસ્તાર. સાંજના સાતનો સમય. ગુરૂદેવ ! જલ્દી મારા ઘરે પધારો. માતુશ્રીની તકલીફ વધી રહી છે. ગમે ત્યારે શ્વાસ મૂકી દેશે. માંગલિક સંભળાવીને પાછો ફર્યો અને સમાચાર આવ્યા કે તેમના માતૃશ્રી ચાલ્યા ગયા. અંતિમ સમયે. ગુરૂભગવંતનું માંગલિક સાંભળવાનું એક જોરદાર પુણ્ય કામ કરી ગયું. સંઘના કાર્યોમાં અદમ્ય ઉત્સાહપૂર્વક લાભ લેનાર એ ભાગ્યશાળી ... જિનાલય-પાઠશાળા માટે ખૂબ દોડધામ કરનાર એ પુણ્યશાળી.. આવતીકાલે સવારે સંઘની સ્થાપનાની જાહેરાત બોર્ડ ઉપર પૂર્વેથી થઈ ચૂકેલ છે અને એમના જમાતૃશ્રી અચાનક માંદગી આવતા પૂર્વની સંધ્યાએ ચાલ્યા ગયા. કાલે સંઘસ્થાપના કરવી કે કેમ...? ભાગ્યશાળીએ ગુરૂભગવંતને અને સંઘને જણાવ્યું કે તમે સહેજ પણ ચિંતા ને શોક ન રાખતા. અંતિમ સમયે માતૃશ્રીની સેવાનો લાભ ખૂબ મળ્યો. એમના નિમિત્તે સંઘ સ્થાપના બંધ ન જ રહેવી જોઈએ. આવતીકાલે સંઘ સ્થાપના નવકારશી પૂર્ણ થયા બાદ જ હું તમામ સગા-સંબંધીને માતૃશ્રીની ચિરવિદાય અંગેની વાત કરીશ. રાત્રે મોડે સુધી એ ભાગ્યશાળીએ સંઘ સ્થાપનાના જરૂરી કાર્યો સહુની સાથે રહીને થાંભલાધે છે કેથા ભલા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005435
Book TitleJain Adarsh Prasango Part 11
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2012
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy