________________
-----(૪) ૯-૯-૦૯-૪૨૯-૯-૯ અને મને જોઈને એમને દાઝ ચડી. આટલા દિવસનો બધો જ બળાપો મારા પર કાઢવા માટે જૈન ધર્મની વિરૂદ્ધમાં બધાની વચ્ચે જ જેમ તેમ બોલવા માંડયા, “આ જૈનો બસ માત્ર પૈસા ખર્ચો કરે, ખાધા-પીધા કરે, ભણવાનું ય બાજુ પર મૂકીને ધરમના પૂંછડા બની ને જીવે...”
એ જેમ જેમ બોલતા ગયા તેમ તેમ મારો આવેશ વધતો ગયો, પણ હું શું કરી શકું ? હું માત્ર ૧૨-૧૩વર્ષનો વિદ્યાર્થી એ ૪પ વર્ષના આખી સ્કુલના મેડમ.. પ્રીન્સીપાલના પત્ની. છતાં મારો મિજાજ ગયો, મેં હિંમત કરીને મોઢા પર કહી દીધું કે “મેડમ. તમારે મને જે કહેવું હોય તે કહો, પણ મારા ધર્મની વિરુદ્ધમાં કશું બોલવાનું નહિં. મારાથી એ સહન નહિં થાય.”
આ પણ એમનું ઘોર અપમાન હતું, એમની સામે આજ સુધી બધા “હા જી જ કરનારા આવ્યા હતા, જયારે મારા જેવા નાનકડા વિદ્યાર્થીએ એમની સામે આજે માથું ઉચક્યું હતું.
એ પણ ગુસ્સે થઈ ગયા. “તું મને કોણ અટકાવનારો... હું જે ઈચ્છું તે બોલું. તારા જેવો છોકરો મને સંભળાવી જાય, એ કદી હું સહન નહીં કરું...”
એ દિવસે તો ભારેલા અગ્નિ સાથે બધા છૂટા પડ્યા, પણ મને લાગ્યું કે આ વાત આટલેથી અટકવાની નથી. મેડમ પોતાના અપમાનનો બદલો લેશે જ, મને નક્કી હેરાન કરશે જ....
અને મારી ધારણા સાચી પડી. બીજા દિવસે કલાસમાં પહોંચ્યો, મારી બેંચ પર બેઠો, કલાસ ટીચરનો પીરીયડ શરુ થયો, ત્યાં જ નીચેથી પટાવાળો આવ્યો, “સંભવ કોણ છે... ( અંતિમ સમયે સ્વજન નહિ આત્માની સમજણ કામ આવશે. )
Jain Education interratura
Porrersenaraivate USE OTTY
www.patremorary.org