________________
જજના - - ૪(૨૪) જનક જજ જ
૮. પુત્રીને બદલે પુત્ર પ્રાપ્તિ ] સુરતના અનિષાબહેનના જીવનમાં થયેલ ચમત્કાર એમના જ શબ્દોમાંવાંચીએ
મારે એક બેબી છે. તેના જન્મ બાદ બે વર્ષ પછી મારે ડીલીવરી સમય હતો. બધા કહેતા કે તારે બીજી પણ બેબી છે. પાંચમા છઠ્ઠા મહિને હું અને મારા પતિદેવ એક દરગાહ પાસેથી પસાર થતા હતા ત્યારે એક મૌલવીએ મને કહ્યું કે તમારે પેટમાં બેબી જ છે. બધા કહે છે કે એ મૌલવીની વાત સાચી હોય છે. મૌલવીએ સંપૂર્ણ વિશ્વાસ સાથે કહ્યું હતું કે તમારે ૧૦૦ ટકા બેબી છે. સોનોગ્રાફી કરાવી ચેક કરી શકો. હું સાચો જ છું.
હું અને મારા પતિદેવ થોડા ઢીલા પડી ગયા કારણકે હું મારા સાસરામાં એકની એક જ પુત્રવધુ છું. એટલે મારા સાસુ સસરા પુત્રને વધારે ઝંખતા હતાં. પછી મેં એમને કહ્યું, “તમે ચિંતા ન કરો. આ દિકરીનો દિકરો હું કરીશ.” અને ત્યારથી અમે બંન્ને એ ખૂબ ધર્મ કરવાનું ચાલુ કર્યું. ચોમાસુ બેસતાં મારે છઠ્ઠો મહિનો બેઠો. બે ટાઈમ પ્રતિક્રમણ તેમજ સવારે આદીશ્વર ભગવાનના મોટા ફોટા સામે પાંચ વાગ્યામાં દિપક-ધૂપ સાથે નવ સ્મરણ નો જાપ કરતી. ત્યારથી મારા પતિદેવે રોજ એક સામાયિક કરવાનો નિયમ કર્યો.
અને ત્યાર પછી અમને ધાર્મિક ચમત્કારો મહિને મહિને મળવા લાગ્યા. જે ઉડે ઉડે પ્રેરણા આપતા હતા કે તમારે બાબો છે. અને મેં ડીલીવરી સુધી સતત મારા નવસ્મરણ ગણવાના ચાલુ રાખ્યા. સાથે સાથે સળંગ ચૌવિહાર પણ કર્યા. તેના પ્રભાવે ૩,૭00 ગ્રામ વજનના નિરોગી શરીરવાળા એક દેદીપ્યમાન પુત્ર ને મેં જન્મ આપ્યો. ( સંસારની ધૂમકમાણી એમરતી વખતની ધૂળ કમાણી છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org