Book Title: Jain Adarsh Prasango Part 11
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 47
________________ * -(૪૫) એ એક છે. કેરી ખાધા પછી એંઠી છાલ ફેંકવી પડે. એટલે એમાં આપણી લાળ જવાથી ૪૮મિનિટ પછી અસંખ્યાતા સંમૂર્છાિમ પંચેન્દ્રિય જીવો પેદા થાય. કેટલાય સમય સુધી સતત જીવોત્પતિ અને મરણ ચાલે માટે હું આવી છાલવાળી કેરી નહિ ખાઉં. ” કાર્યકર્તાને ખ્યાલ આવ્યો કે ધર્મની સમજણ મનને સાચે જ હૃદયમાં ઉતારી કહેવાય. હવે પછી કાયમ કેરીને છાલ ઉતારીને પછી જ છોકરાઓને પીરસવા માટે રસોઈયાને સમજાવ્યું. ૨૮. અનુમોદના | હાર્ટએટેક બાદ નવજીવન મળતાં ૫૧ કરોડની સાધર્મિક ભક્તિનો સંકલ્પ કરી પૂર્ણતાના આરે પહોંચેલ કલ્પેશ વી.શાહની ખૂબ ખૂબ અનુમોદના... ચેતવણી | ઘીની ટોયલીમાં પોતુ રાખનાર ચેતજો કેમકે રોટલી પર પોતુ ફેરવ્યા બાદ રોટલીનો લોટ પોતા સાથે ઘીમાં પાછો જાય છે. આવુ વારંવાર કરવાથી એક દિવસમાં ઘણો લોટ ટોયલીમાં જાય તો તે ટોયલીનું ઘી બીજે દિવસે અભક્ષ્ય થાય. - ૨૫. જીવદયા ધર્મ સાર વિ. સં. ૨૦૬૮ ગિરધરનગર ચૈત્રી ઓળીની આરાધના કરાવવાની થઈ. ઓળી દરમ્યાન એક અજાણ્યા ભાગ્યશાળી મળવા આવ્યા. નામ હતું એમનું સંજયભાઈ. એમણે વંદન કર્યા. પૂછયું કે ગુરૂદેવ ! એક ખાસ પ્રયોજનથી આવ્યો છું. આપને અનુકૂળતા હોય તો વાત કરી શકું? સંમતિ લઈ એમણે વાતની શરૂઆત કરી. ( ઉત્તમના વખાણ એ પર્વની ઉત્તમ ખાણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52