________________
- - - ૪૯(૪૭) - - ટાંકાઓમાં પાણી અને માછલા ભરી ભરીને નર્મદાની કેનાલ કે જે લગભગ ૨૦-૩૦ કિ.મી. દૂર છે, ત્યાં પાણીમાં માછલાઓને મૂકવામાં આવશે. ટ્રકોની આગળ પાછળ અમારા માણસો સ્કુટરો પર હશે. જેથી રસ્તામાં કયાંય એ માછલા વેચી ના મારે. નર્મદાની કેનાલમાં શરૂઆતમાં થોડા માછલા નાખ્યા પછી એ જીવે છે કે કેમ? એ જોવામાં આવશે. આવી જશે તો સળંગ ૪-૫ મહિના આ કાર્ય ચાલુ રહેશે. અને આ યોજના બધા માછલા નર્મદાની કેનાલમાં મુકી દઈશું. આ રીતે ૨૦,૦૦૦ થી વધુ માછલાના જીવન બચી જશે.
નવાઈ એ હતી કે એમની સાથે આ કાર્યમાં સંભાળવામાં બીજું કોઈ જ નહિ. પોતાના ધંધાના સમયમાં ધંધો ઓછો વત્તો કરીને સ્વયં એકલા જ આખું કાર્ય ઉપાડયું. બે ચાર બહુ ડાહ્યા (?) લોકોએ તો જીવદયાના પૂંછડા વેદિયા જેવા પણ કહ્યા. પરંતુ નિશ્ચય હતો કે એકલા પણ આખું કાર્ય કરવું જ છે.
બધી વાતો સાંભળતા એમ લાગ્યું કે આજે પણ આવા સજ્જનો, જીવદયા પ્રેમીઓ જે કાર્ય કરી રહ્યા છે તે ધન્યવાદને પાત્ર છે. મેં ખૂબ અનુમોદના કરી અને એમને હિંમત આપી કે તમારી ભાવના ખૂબ અનુમોદનીય છે. તકલીફો વચ્ચે પણ આ કાર્યમાં પાછા નહિ પડતા.પ્રેરણાથી એમનો આત્મવિશ્વાસ ખૂબ વધ્યો. અને ૪-૫ મહિને ફોટા લાવીને એમણે આ કાર્ય કેવી રીતે પાર પાડ્યું તે બતાવ્યું સંપતિનો ભોગ તો આપ્યો જ પરંતુ સમયનો ભોગ આપનાર આવા જીવદયા પ્રેમી આત્માને લાખ લાખ ધન્યવાદ...!
પૂર્વ ભવમાં મેઘરથ રાજાના ભાવમાં શ્રી શાંતિનાથ
Always Find Kind Mind
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org