Book Title: Jain Adarsh Prasango Part 11
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 50
________________ એ ક (૪૮) જે જે પ્રભુએ એક જ પારેવાને બચાવવા જાનની બાજી લગાવી અને તીર્થકર બન્યા તો હજારો માછલાને નિઃસ્વાર્થ ભાવે બચાવનાર આ ભાગ્યશાળી શું ભાવિમાં....!! એ ૨૬. જયણાપૂર્વકનું વિશિષ્ટ કાર્ય ગત વૈશાખ સુદ ૧૦, મંગળવાર, તા. ૧-૫-૧૨ના રોજ પાયધૂની-મુંબઈ મધ્યે બિરાજમાન રાજરાજેશ્વર શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુજીની ૨૦૦મી સાલિગિરિ ઠાઠમાઠપૂર્વક ઉજવાઈ. - આ પાવન પ્રસંગે મુંબઈના ૧,૩૫,૦૦૦ જૈનોના ઘરોમાં બદામ કસાટા મીઠાઈ સબહુમાન અપાઈ. સાથે સાલગિરાના પાવન દિને સમસ્ત મુંબઈના ૮લાખથી અધિક જૈનોનું સ્વામિવાત્સલ્ય થયું. બન્ને પ્રસંગ માટે લગભગ ૭૦ હજાર કિલો બદામ કસાટા, ૩૦ હજાર કિલો બદામ કતરી, ૨પહજાર કિલો ઘઉંનો લોટ, ૨૦ હજાર કિલો ઢોકળાનો લોટ, સવા લાખ કિલો કેરી રસ, ૧ હજાર કિલો હળદર, ૧ હજાર કિલો ધાણાજીરૂ, ૩ હજાર કિલો મરચાં વગેરે વગેરે સામગ્રી મહિનાઓની જાતદેખરેખ સાથે (ઉનાળાના ૨૦ દિવસના કાળ પ્રમાણે) સંપૂર્ણપણે જયણાપૂર્વક તૈયાર કરાઈ. - ઘરમાં ઓચિંતા પાંચ-સાત મહેમાનો આવી જાય તો ય પ્રાયઃજયણા સચવાતી નથી તેવા સમયમાં સમસ્ત મુંબઈનું (જયણાને અગ્રેસરતા આપીને) સ્વામિવાત્સલ્ય કરવું એ નાની સૂની તો વાત નથી જ.સ્વામિવાત્સલ્યના લાભાર્થી માતુશ્રી ગજરાબેન ગિરધરલાલ જીવણલાલ શાહ પરિવાર તથા આ વિશિષ્ટ કાર્યમાં જોડાયેલા નામી-અનામી તમામ પુણ્યાત્માઓની અનુમોદના કરીએ છીએ. Attempt to Attend books and extend your knowledge Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52