Book Title: Hemchandracharya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Motichand Girdharlal Kapadia

View full book text
Previous | Next

Page 205
________________ (૧૨) ૫૫. કુમારપાળના વડિલોનો ઉલ્લેખ હેમચંદે દ્વયાશ્રયમાં કર્યો છે. ઇડીયન એન્ટીકરી. સદર. ૫. ૨૩૨-૨૩૫, ૨૬૭. એના પ્રથમ વાકયમાં આપણે વાંચીએ છીએ કે ક્ષેમરાજનું પોતાનું વલણ સંન્યાસ તરફ હેવાથી એણે સ્વેચ્છાથી રાજ્યત્યાગ કર્યો. પ્રભાવ ચરિત્ર ૨૨ ૩૫૪-૩૫૫ આ વંશવૃક્ષને વિભાગ આપે છે જે થાશ્રયસાથે મળતો આવે છે. इतः श्रीकृष्णभूपालबंधुक्षे(क्ष)त्रशिरोमणिः । देवप्रसाद इत्यासीत् प्रसाद इव संपदाम् ।। ३५४ ॥ तत्पुत्रः श्रीत्रिभुवनपाल: पालितम(स)वृतः । कुमारपालस्तत्पुत्रो राज्यलक्षणलक्षितः ॥ ३५५ ॥ મેરૂતુંગ પ્રબંધચિંતામણ પૃ. ૧૬૧માં જરા જુદા પડે છે. એ નીચેને ક્રમ આપે છે (૧) ભીમ પહેલો. (૨) હરિપાલ. (૩) ત્રિભુવનપાલ. (૪) કુમારપાળ. માત્ર એક એના જ પુસ્તકમાં એવો ઉલ્લેખ છે કે કુમારપાળને વડિલ ચૌલાદેવી નામની નાયિકાને પુત્ર થતા હતા. આ ઉલલેખ જે કે પછવાડેના (Later) લેખકમાં પ્રથમ વખત પ્રાપ્ત થાય છે, છતાં કદાચ તે સાચો હોય કારણ કે એનાથી સિદ્ધરાજનો કુમારપાળ તરફને તિરસ્કાર સાદી રીતે ખુલાસાવાર સમજાઈ જાય છે. આ સંબધમાં હેમચંદ્ર તદ્દન ચૂપ છે, છતાં એ હકીક્ત વિશેષ અર્થસચક નથી; કારણ કે એ પિતાને આશ્રય આપનાર અધ્યક્ષને હલકા કુળને કહી શકે નહિ. જિનમંડન કુમારપાળચરિત્ર પૃ. ૮ માં કહે છે કે ભીમની વૃદ્ધ સ્ત્રી ચકુલાદેવી ક્ષેમરાજની મ તા થતી હતી અને ક્ષેમરાજે પોતાના નાના ભાઇના સ્નેહ ખાતર રાજ્યગાદીને ત્યાગ કર્યો. એ પૃ. ૪૩ માં વંશવૃક્ષ બરાબર હેમચંદ્રના કહેવા પ્રમાણે જ આપે છે અને છેવટ ઉમેરે છે કે કુમારપાળની માના કાશ્મીરની પુત્રી (કાશ્મીરા દેવી) હતી. કોઈ નામ વગરનો અતિહાસિક ઉલ્લેખ (ભાંડારકર રિપોર્ટ ૧૮૮૩-૮૪ નં. ૧૧) એમ કહે છે કે તે મહરાજ જયસિંહની બહેન થતી હતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254