________________
નં. ૧૫૫ અ કુમારપાલના સમયને જોધપુર તાબે
રતનપુરને શિલાલેખ
રજપુતાનાની પશ્ચિમે મારવાડમાં દેશી રાજ ધપુરના તાબાનું રતનપુર ગામ છે. ગામથી બરાબર પશ્ચિમે જૂનું શિવમન્દિર છે, જેના ઘુમટમાં આ પત્થર મુકેલ છે. તેનું માપ ૪૪૧ છે અને દેવનાગરી લિપિમાં સંસ્કૃત ગદ્યમાં દશ પંક્તિને લેખ છે. પત્થર ઘણે ખરે ઠેકાણે ખવાઈ ગયો છે અને પહેલી તેમ જ સાતમી પંક્તિ વાંચી શકાતી નથી. અમાવાસ્યા (અમાસ) અને બીજા પવિત્ર દિવસે એ પ્રાણીની હિંસા ન કરવા સંબન્ધી રતનપુર ગ્રેવીસીના માલિક શ્રીપૂન પાસે જાહેરાત કાઢી હતી, તેને ઉદ્દેશીને આ લેખ છે. લેખમાં સાલ આપી નથી, પણ કુમારપાળ જેણે ઈ. સ. ૧૧૪૩ થી ૧૧૭૪ સુધી રાજ્ય કર્યું તેના સમયમાં લખાએલે છે.
૧
બા. મા. સં. ઈ. પા. ૨૦૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com