________________
ગ્રંથ અને ગ્રંથકાર
સમાં દુનિયાની મુસાફરી, યોગિનીકુમારી ભા. ૨-એક ઇટાલિયન ગ્રંથ પરથી સૂચિત, વગેરે વગેરે ધ્યાન ખેંચે છે.
અને બીજી સામાન્ય કૃતિઓમાં અજોજી ઠાકર ભા. ૨, તાતી તત્વાર મધ્યકાલીન ભારતનું રાજપૂતજીવનનું ચિત્ર દોરતું પુસ્તક-સુલતાના રઝિયા, સંગ્રામ ક્ષેત્ર (છેલ્લી લડાઈનો ખ્યાલ આપતું), હષિકેશચંદ્ર ભા. ૪ વગેરે રસદાયક જણાશે.
જુના લોકસાહિત્યમાં કથાવાર્તાનાં પાંચ છ પુસ્તક પ્રસિદ્ધ થયાં છે; કચ્છની જુની વાર્તાઓ, કાઠિયાવાડની દંતકથાઓ, કાઠિયાવાડની જુની વાર્તાઓ-ભા. ૨, ગુજરાત કાઠિયાવાડ દેશની વારતા-ભા ૩, શેરડી શૌર્યકથાઓ, સોરઠી વિરાંગનાઓ, વગેરે, પણ તેમનું વાચન રા. મેઘાણી સંપાદિત “રસધાર'ના પાંચ ભાગના પ્રકાશન પછી ફિકકું થઈ પડે છે.
ઐતિહાસિક સંશોધનના નમુના તરીકે ગુજરાત સાહિત્ય સભાના રજત મહોત્સવ પ્રસંગે દી. બા. કેશવલાલભાઈનો “યુગ પુરાણનાં ઐતિહાસિક તો” એ નિબંધ જેમ કિંમતી તેમ મૌલિક છે અને ઈ. સ. ના પહેલા સિકાની સમાજસ્થિતિ પર તે સારો પ્રકાશ પાડે છે. ખુશી થવા જેવું છે કે એ લેખ ઈગ્રેજીમાં બિહાર ઓરિસ્સા રીસર્ચ સોસાઈટીના જર્નલમાં હમણું પ્રકટ થયો છે, તેથી તે બહોળો વંચાઈને વિ૬ વર્ગનું વિશેષ ધ્યાન ખેંચશે.
સંશોધનની સાથે જેને આપણે સંયોગીકરણ-synthesis કહીએ, એટલે કે ઉપલબ્ધ સાધનોને સારી રીતે વાંચી તપાસી તેને વ્યવસ્થિત રીતે સંયોજી એક રસમય અને વિશ્વસનીય પુસ્તક રજુ કરવામાં આવે, એ જાતનું પાટનગર અમદાવાદ'નું પુસ્તક છે. લગભગ પણ રોકાપર લખાયેલા મગનલાલ વખતચંદના પુસ્તકને અને અમદાવાદ ગેઝીટીઅર, જે બંને અત્યાર સુધી રેફરન્સનાં પુસ્તકપણુ અપ્રાપ્ય જેવાં હતાં, તેનું આ પુસ્તકે સ્થાન લીધું છે; એટલું જ નહિ પણ એ ગ્રંથમાં જે ઉણપ અને દોષ હતા તે આમાંથી દૂર થઈ, સદરહુ પુસ્તક સ્થાયી ઉપયોગનું તેમ તે વાંચતાં આનંદ અને જ્ઞાન પ્રાપ્ત થાય એવું સરસ બન્યું છે.
જેને કાચી સામગ્રી-સાધન પુસ્તક source book કહીએ એ પ્રકારનું ગુર્જર ફૈબસ સભાએ પ્રસિદ્ધ કરેલું રા. નર્મદાશંકર દ્વિવેદી સંપાદિત ગુજરાતનાં અતિહાસિક સાધનો' નામક પુસ્તક છે, અને અભ્યાસીને તે ખચિત મહત્વનું થઈ પડશે. ડે. સર જીવણજી જમશેદજી મેદીએ, સોસાઈટી
૧૪