Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 11
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧] * પ્રથમ પ્રવેશ દ્વાર * નમઃ સમયસારાય અધ્યાત્મ યુગ પ્રવર્તક સ્વાનુભવપ્રેરણામૂર્તિ પરમ ઉપકારી પરમ પૂજ્ય સદ્દગુરુદેવશ્રી કાનજીસ્વામીએ આ કાળમાં તીર્થ (મોક્ષમાર્ગ ) સ્થાપ્યું. એ સ્થપાયેલા તીર્થની સુરક્ષા કરનાર, પૂજ્યગુરુદેવશ્રીના અનન્ય ભક્ત, શુદ્ધાત્મવેદી, સિદ્ધાંત બોધરસિક, સૂક્ષ્મ અધ્યાત્મ રહસ્યોના ઉદ્દઘાટક, સુક્ષ્માતિસૂક્ષ્મ હઠીલાં શલ્યોના સુપ્રસિદ્ધ ચિકિત્સક, અધ્યાત્મ જગતના સુપ્રસિદ્ધ શિરમૌર પ્રવક્તા પૂજ્યશ્રી લાલચંદભાઈના મુખારવિંદ માંથી ઝરેલાં બે ગૂઢ રહસ્યો... (૧) દ્રવ્યસ્વભાવ (૨) પર્યાય સ્વભાવની અતિઅપૂર્વ અદ્દભુત પરમામૃતમય ભેટ આત્માર્થીઓને અર્પતા અતિ હર્ષ થાય છે. વિશ્વના દરેક પદાર્થની જેમ આત્મવસ્તુ દ્રવ્ય-પર્યાયાત્મક હોવાથી અનેકાંતિક છે. તેને સમજાવવા માટે ભગવાનની તથા તદઅનુસારિણી સંતોની વાણી દ્વિનયાશ્રિત હોય છે. આમ સમજાવવા તથા સમજવા માટે નયોનો પ્રયોગ હોય છે. પરંતુ આત્માનુભવ નયાતિક્રાંત હોવાથી નયો દ્વારા જ વસ્તુને જાણવા અટકતા સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં નયચક્રના આધારથી પં. શ્રી ટોડરમલજીએ ફરમાવ્યું છે કે તત્ત્વના અવલોકન સમયે શુદ્ધાત્માને યુક્તિથી અર્થાત્ નય, પ્રમાણ વડે પહેલા જાણ; આરાધના સમયે નહીં કારણ કે અનુભવ પ્રત્યક્ષ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47