Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 39
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૭ ] છે. આમ પર્યાય પોતાના કર્તાભોક્તા ધર્મને કદી પણ છોડતી નથી. પર્યાયના આવા સ્વભાવને જાણવાનો નિષેધ નથી, પણ એમાં હું પણાનો નિષેધ છે. હું તો જ્ઞાયક છું. સ્વભાવથી જ અકારક ને અવેદક છું. હું પણું અહીં આવ્યું તો, દ્રવ્યસ્વભાવને જાણતાં જાણતાં, પર્યાયના કર્તા ભોક્તા ધર્મો જેમ છે એમ જણાઈ જાય છે. આત્મા વ્યવહારથી કર્તા ભોક્તા નથી. એ તો પર્યાય સ્વભાવ જ છે. કર્તા ભોક્તા ધર્મો પર્યાયમાં સ્વભાવથી જ છે. ધમાં તો માત્ર પર્યાયના ધર્મોને જાણે છે. વ્યવહારનયે પણ હું કર્તા ભોક્તા નથી. એ તો પર્યાયમાં સ્વભાવથી જ કર્તા ભોક્તા ધર્મ છે. આત્મા વ્યવહાર નયે કર્તા ભોક્તા છે-એમ ન લે અને પર્યાયનો કર્તા પર્યાય નિશ્ચયનયે છે–એમ પણ ન લે! પર્યાય સ્વભાવથી જ દિયાવંત છે એમ જાણ ! કોઈ જ નયપક્ષ ઊભો નહીં થાય. પર્યાય જણાય એ પણ સ્વાભાવિક છે. એવી જ કોઈ સ્વાભાવિક સ્વચ્છતા છે. એના જાણપણાનો (જણાવાપણાનો) નિષેધ નથી. પ્રથમ નિષેધ કરાવ્યો કેમકે પર્યાયમાં જ આત્મબુદ્ધિ હતી. હવે તો આત્માને જાણતાં જાણતાં પર્યાય એના ધર્મો સહિત જેમ છે એમ જણાય છે. પ્રશ્ન:- આત્મા રાગને કયા નયે કરે છે? ઉત્તર- અરે! એમ નથી. એ તો એ સમયની પર્યાયની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47