________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૯] પર્યાય સ્વભાવથી જ ક્રિયાવંત છે તો આત્મા ઉપચારથી પર્યાયને કરે એ ક્યાં આવ્યું? તો દષ્ટિ સીધી અકર્તા સ્વભાવ ઉપર ગઈ તો કર્તાધર્મનો પણ જ્ઞાતા થઈ ગયો.
-ક્રિયા ન કરવી એ દ્રવ્યનો સ્વભાવ. -ક્રિયા કરવી એ પર્યાયનો સ્વભાવ. -બન્નેને જાણવું એ જ્ઞાનનો (જ્ઞાતાનો) સ્વભાવ.
પર્યાયને સ્વભાવથી જુઓ તો વ્યવહારનયે આત્મા કર્યા છે એ ઉપચાર નીકળી જશે. ઉપચારને ઓળંગે તો અનુભવ થાય.
૧. “આત્મા સ્વભાવથી જ અકર્તા છે” –અહીં નિશ્ચયનયે આત્મા અકર્તા છે એનો નિષેધ થયો.
૨. “પર્યાય સ્વભાવથી જ કર્તા છે.” –અહીં વ્યવહારનયે આત્મા કર્તા છે એનો નિષેધ થયો–બન્ને નય ઓળંગી ગયો. સાક્ષાત્ જ્ઞાતા થઈ ગયો–બસ સ્વભાવમાં આવી ગયો. દ્રવ્યસ્વભાવમાં બેઠો બેઠો પર્યાય સ્વભાવને જાણી લે છે.
દ્રવ્યસ્વભાવને નિશ્ચયનયે નક્કી કરવા ગયો તો સ્વભાવ દૂર રહી ગયો. દ્રવ્યસ્વભાવને સ્વભાવથી જ જ્યાં નક્કી કર્યો તો નિશ્ચયનય દૂર થઈ ગઈ.
આત્માને વ્યવહારથી કર્તા કહ્યો તો પર્યાય સ્વભાવ ખ્યાલમાં ન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com