________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૪] નયથી વસ્તુની સિદ્ધી કરે છે તો વિકલ્પોનો કર્તા બને છે. નયોથી ભિન્ન સ્વભાવથી વસ્તુને સિદ્ધ કરો તો નયના વિકલ્પ રહિત જ્ઞાન પ્રગટ થાય છે, જે દ્રવ્યસ્વભાવને તો જાણે છે પણ પર્યાય સ્વભાવ પણ જેમ છે તેમ એમાં જણાઈ જાય છે. જ્ઞાન વિકલ્પ વિનાનું “મધ્યસ્થ' થયું. વિકલ્પમાં પક્ષપાત હતો એટલે કે રાગ-દ્વેષ હતાં, ક્રમે ક્રમે જાણતો હતો. નયોથી છૂટું પડેલું જ્ઞાન દ્રવ્ય-પર્યાયના સ્વભાવને અક્રમે જાણે છે. બન્ને નયોનો જ્ઞાતા છે, કોઈ નયપક્ષ ગ્રહણ કરતો નથી.
દ્રવ્યથી પર્યાય ન થાય, પર્યાયના સ્વભાવથી પર્યાય થાય છે. ઉત્પાદ–વ્યય સમયે સમયે થયા જ કરે છે. આ બે સ્વભાવની વાત છેલ્લી છે. જેનો મર્મ પામતા પક્ષાપતીકાંત થઈ અનુભવ થાય છે; સાક્ષાત્ જ્ઞાતા થાય છે.
સમયસાર ગાથા ૧૪૩ “પક્ષીતિક્રાંતનું (પક્ષને ઓળંગી ગયેલાનું) શું સ્વરૂપ છે? એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા હવે કરે છે:
નયય કથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ છે, નયપક્ષ કંઈ પણ નવ ગ્રહે, નય પક્ષથી પરિહીન તે. ૧૪૩.
ગાથાર્થ- [ નયપક્ષપરિદિન] નયપક્ષથી રહિત જીવ, [ સમય પ્રતિવર્લં] સમયથી પ્રતિબદ્ધ થયો થકો (અર્થાત્ ચિસ્વરૂપ આત્માને અનુભવતો થકો ) [યો: ] [નયયો:] નયોના [ મળત] કથનને [વવત્ત તુ કેવળ [નાનાતિ] જાણે જ છે (1) પરંતુ [ નય પસં] નયપક્ષને [ વિવિ પિ] જરાપણ [સ્થતિ ] ગ્રહણ કરતો નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com