Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 43
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | [ ૨૧] આમ સ્વભાવના આશ્રયથી નયોના વિકલ્પ છુટી સીધો અનુભવ થઈ શકે છે. નયાતીક્રાંત થવાની આ વિધિ છે. જેમકે અગ્નિ ઉષ્ણ છે. કઈ નયે? અરે! સ્વભાવથી જ અગ્નિ ઉષ્ણ છે. એને કહેવા કોઈ નયની અપેક્ષા નથી, આમ તમે નયોના વિકલ્પોને ઓળંગી એકદમ સ્વભાવની સન્મુખ થાઓ તો વિકલ્પ છૂટી અનુભવ થાય. ગઈકાલે દ્રવ્યસ્વભાવને પ્રસિદ્ધ કરનારી નિશ્ચયનયના વિકલ્પોને દ્રવ્યસ્વભાવની મુખ્યતાથી ઓળંગી જવાની વાત કરી હતી.. આજે બીજું પડખું વ્યવહારનયનું છે. પર્યાયો સ્વભાવથી જ ક્રિયાવંત છે. ક્રિયાના કારક સ્વભાવથી જ પર્યાયમાં છે. ત્યાં હવે તમે કહો કે આત્મા વ્યવહારનયે પર્યાયને કરે છે તો એ વાત બરાબર નથી. પર્યાય સ્વભાવથી જ એના કારકથી પરિણમે છે. એને વ્યવહારથી આત્મા કર્તા છે એવો જે ઉપચાર આવતો હુતો એને ઓળંગી પર્યાયને પર્યાયના સ્વભાવથી જુઓ. પર્યાયને નયથી ન જુઓ. અરે! પર્યાયનો કર્તા પર્યાય નિશ્ચયનયે છે એમ પણ ન જુઓ. કેમ એમાં શું દોષ આવે છે? – અરે! એનો પ્રતિપક્ષ ઊભો થાય છે. આત્મા વ્યવહારનયે પર્યાયને કરે છે એ મોટો દોષ આવી પડે છે. આ ખુબ ભયંકર દોષ છે? પર્યાયમાં ક્રિયા થયા જ કરે છે પર્યાયનો સ્વભાવ જ કર્તાપણું છે. જેમ દ્રવ્યનો સ્વભાવ અકર્તાપણું છે. એ કઈ નયથી અકર્તાપણું છે? એમ નહીં. સ્વભાવથી જ અકર્તા છે. એમ પર્યાય કઈ નથી કર્તા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47