Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 40
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates [ ૧૮ ] પોતાની યોગ્યતા (સ્વભાવ) છે. એ પર્યાયનો વિભાવ સ્વભાવ છે તો રાગ થયો. પર્યાય સ્વભાવથી થયો છે. અરે ! ત્યાં તો નયના વિકલ્પથી જ્ઞાન છુટી ગયું! એકલો ‘જ્ઞાતા ’ થઈ ગયો. નયના વિકલ્પથી છુટી એકલું જ્ઞાન રહી ગયુંસ્વભાવને જાણવામાં નયની જરૂરત નથી, પરંતુ નયાતીત જ્ઞાનની જરૂરત છે. '' ,, બન્ને સ્વભાવને જાણતાં જાણતાં મોક્ષ થાય ૧. નિશ્ચયનયથી નિરપેક્ષ દ્રવ્યનો સ્વભાવ. ૨. વ્યવહારનયથી નિરપેક્ષ પર્યાયનો સ્વભાવ. બન્ને નયોના વિકલ્પોને ઓળંગી ગયો તો સાક્ષાત્ જ્ઞાતા થઈ ગયો ! પર્યાય પર્યાયથી થાય એમ હું જાણું પણ પર્યાય મારાથી થાય એમ હું ન જાણું કેમકે પર્યાય સ્વભાવથી જ પરિણમી રહી છે. કારણ કે પર્યાય સત્ છે. પર્યાયને વ્યવહારે જાણું પણ પર્યાયને વ્યવહારે કરું નહી. -સ્વભાવથી સમજતાં વિકલ્પ છુટી જાય છે. -નયથી સમજતાં વિકલ્પ રહી જાય છે. જ્ઞાનને સ્વભાવ તરફ લઈ જાઓ તો વિકલ્પ નહી ઉઠે. સ્વભાવમાં અપેક્ષા લગાડશો તો વિકલ્પ ઉઠશે, સ્વભાવ હાથમાં નહીં આવે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47