________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૭ ] છે. આમ પર્યાય પોતાના કર્તાભોક્તા ધર્મને કદી પણ છોડતી નથી.
પર્યાયના આવા સ્વભાવને જાણવાનો નિષેધ નથી, પણ એમાં હું પણાનો નિષેધ છે.
હું તો જ્ઞાયક છું. સ્વભાવથી જ અકારક ને અવેદક છું. હું પણું અહીં આવ્યું તો, દ્રવ્યસ્વભાવને જાણતાં જાણતાં, પર્યાયના કર્તા ભોક્તા ધર્મો જેમ છે એમ જણાઈ જાય છે.
આત્મા વ્યવહારથી કર્તા ભોક્તા નથી. એ તો પર્યાય સ્વભાવ જ છે. કર્તા ભોક્તા ધર્મો પર્યાયમાં સ્વભાવથી જ છે. ધમાં તો માત્ર પર્યાયના ધર્મોને જાણે છે. વ્યવહારનયે પણ હું કર્તા ભોક્તા નથી. એ તો પર્યાયમાં સ્વભાવથી જ કર્તા ભોક્તા ધર્મ છે.
આત્મા વ્યવહાર નયે કર્તા ભોક્તા છે-એમ ન લે અને પર્યાયનો કર્તા પર્યાય નિશ્ચયનયે છે–એમ પણ ન લે! પર્યાય સ્વભાવથી જ દિયાવંત છે એમ જાણ ! કોઈ જ નયપક્ષ ઊભો નહીં થાય.
પર્યાય જણાય એ પણ સ્વાભાવિક છે. એવી જ કોઈ સ્વાભાવિક સ્વચ્છતા છે. એના જાણપણાનો (જણાવાપણાનો) નિષેધ નથી. પ્રથમ નિષેધ કરાવ્યો કેમકે પર્યાયમાં જ આત્મબુદ્ધિ હતી. હવે તો આત્માને જાણતાં જાણતાં પર્યાય એના ધર્મો સહિત જેમ છે એમ જણાય છે.
પ્રશ્ન:- આત્મા રાગને કયા નયે કરે છે?
ઉત્તર- અરે! એમ નથી. એ તો એ સમયની પર્યાયની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com