Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 29
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૭] પણ આવતો નથી. સ્વભાવથી જ જાણનારો જાણવામાં આવી રહ્યો છે તો સ્વભાવ જ લક્ષમાં આવે છે અને જ્યારે સ્વભાવ લક્ષમાં આવે છે ત્યારે નયના વિકલ્પ છૂટી જાય છે અને સ્વભાવ સ્વભાવપણે અભેદ અનુભવમાં આવે છે. “સમય” ની વ્યાખ્યા કરી કે જાણવું અને (આત્માને) જાણવારૂપે પરિણમવું... સ્વભાવથી જ છે અનાદિ અનંત, કોઈ નય લાગુ ન પડે. જો નય લગાડીશ તો સ્વભાવથી દૂર થઈ જઈશ અને જો સ્વભાવથી જોઈશ તો નય દૂર થઈ જશે. આ નયથી દૂર થવાની વાત ચાલી રહી છે. નયથી સમજવાની તને ટેવ પડી ગઈ છે, તેથી વિકલ્પ ઉત્પન્ન થયા વગર રહેતા નથી. “નિશ્ચયનયે અકર્તા છું” તો વ્યવહારનય કર્તા છું એમ આવી જ જાય, ખબર ન પડે. તેથી હું “નિશ્ચયનયે' અકર્તા નથી સ્વભાવથી જ અકર્તા છું. હું વ્યવહારનયે તો અકર્તા નથી જ, પણ નિશ્ચયનયે પણ અકર્તા નથી. હું તો સ્વભાવથી જ અકર્તા છું. નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણે છે? નિશ્ચયનયે” જ્ઞાન આત્માને જાણતું જ નથી. અરે ! આ શું કહો છો? હા, સ્વભાવથી જ જ્ઞાન આત્માને જાણતું પરિણામી રહ્યું છે. હિંમતનગરમાં ફરમાવ્યું હતું, દ્રવ્યસ્વભાવ અનાદિ અનંત જ્ઞાનમાં જણાયા કરે છે અને જ્ઞાન અનાદિ અનંત આત્માને જાણ્યા જ કરે છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47