Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 30
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આ FUNCTION (ક્રિયા) અનાદિ અનંત ચાલુ જ છે. આ વસ્તુસ્થિતિ નો સ્વીકાર કરી લે તો અનુભવ થશે. ખરેખર તો “નિશ્ચયનય” નો જે પક્ષ-વિકલ્પ છે તે સ્વભાવના ઓથે ગળે છે અને સ્વભાવનો “આશ્રય” લેતા એ પક્ષ ટળી જાય છે. અને નયાતિક્રાંત થાય છે. “નિશ્ચયનય” પક્ષીતિક્રાંત કરાવી, આનંદની પ્રાપ્તિ કરાવી ચાલી જાય છે. ઉભી કયાં રહે છે? જ્યાં પોતે સ્વભાવની સન્મુખ થાય છે, ત્યાં નિશ્ચયનયનો પક્ષ પણ ઉત્પન્ન થતો નથી. નયપક્ષ તો પરાશ્રિત છે. વ્યવહારનય તો પરાશ્રિત છે જ પણ નિશ્ચયનય પણ પરાશ્રિત જ છે. વિકલ્પ માત્ર પરાશ્રિત જ હોય અને સ્વાશ્રિત ન હોય. (મનના સંગવાળો વિકલ્પ હોવાથી પરાશ્રિત જ છે. ) અતીન્દ્રિય જ્ઞાન આત્માને નિશ્ચયનયથી જાણતું નથી પરંતુ સ્વભાવથી જાણે છે. એમાં નયનું શું કામ આવ્યું? જ્ઞાન સ્વભાવથી જ આત્માને જાણે છે. એમ ખ્યાલમાં આવ્યું એનું નામ “જ્ઞાનની પર્યાયનો નિશ્ચય-અનુભવમાં પ્રગટ થાય છે. જ્ઞાયક નથી ત્યમ પર તણો, જ્ઞાયક તો જ્ઞાયક છે” બસ પરને જાણવાનો પક્ષ હતો તે છૂટી ગયો. જ્ઞાયક પરને જાણતો નથી એટલું કહ્યું-જ્ઞાયક જ્ઞાયકને જાણે છે એવો નિશ્ચયનય છે–એમ ન લીધું. નિશ્ચયનયથી જ્ઞાયક જ્ઞાયકને જાણે છે એમ નહીં પરંતુ જ્ઞાયક તો જ્ઞાયક છે, બસ. જ્ઞાનની પર્યાય સ્વભાવથી જ આત્માને જાણ્યા કરે છે. એમાં નયની કોઈ જરૂરત જ નથી. આબાળગોપાળ સૌને આત્મા સદાકાળ અનુભવમાં આવી રહ્યો છે. “સદાકાળ ” અર્થાત્ સ્વભાવથી જ જ્ઞાન આત્માને જાણી રહ્યું છે. પણ વ્યવહારથી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47