________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪] નય સ્વતંત્ર રીતે વસ્તુને કોઈ ધર્મથી વિશિષ્ટ સમજતો ય નથી અને કહેતો ય નથી.
ભાવાર્થ- ફરસી ચલાવવામાં એ જરૂરી નથી કે તે કોઈ બીજા હથિયારની અપેક્ષા રાખીને જે છેદનક્રિયા કરે, પરંતુ નયનો પ્રયોગ સ્વતંત્ર થઈ શકતો નથી. કોઈ વિશેષ અપેક્ષા વિના નય પ્રયોગ થઈ શકતો નથી. નયપ્રયોગમાં વિશેષ અપેક્ષા અને પ્રતિપક્ષ નયની સાપેક્ષતા આવશ્યક છે. તેથી છેદનક્રિયામાં ફરસીની જેમ નય સ્વતંત્ર નથી, પરંતુ વિવક્ષા અને પ્રતિપક્ષ નથી તે પરતંત્ર છે. જે નયે અપેક્ષા વિના અને પ્રતિપક્ષ નયની સાપેક્ષતા વિના પ્રયુક્ત થાય છે તેને નય જ કહેવો ન જોઈએ અથવા મિથ્યાનય કહેવો જોઈએ. નય સાપેક્ષ જ હોય. નય નિરપેક્ષ ન હોય. અને સ્વભાવ નિરપેક્ષ જ હોય, સાપેક્ષા હોય નહીં. એટલે સાપેક્ષ નયથી નિરપેક્ષ સ્વભાવની પ્રાપ્તિ થતી નથી.
આ રીતે નય સાપેક્ષ જ હોય કેમ કે “નિરપેક્ષ નયા મિથ્યા” એવું શાસ્ત્રનું વચન છે. માટે નિશ્ચયનયથી હું અકર્તા છું –એમ એક નયનો જ પક્ષ કરે તો એ તો મિથ્યા એકાંત થઈ ગયું માટે, “સાપેક્ષ નયા સમ્યક” હોવાથી, નિશ્ચયથી અકર્તા છું તો વ્યવહાર કર્તા છું – એમ લેવામાં નય જ્ઞાન તો સમ્યક્ થઈ ગયું પરંતુ સાપેક્ષતામાં આવવાના કારણે અર્થાત નયજ્ઞાનમાં આવવાના કારણે, નિરપેક્ષ સ્વભાવથી દૂર થઈ ગયો. નયજ્ઞાનથી સ્વભાવની પ્રાપ્તિ નથી થતી. કેમ કે સ્વભાવ, સ્વભાવથી જ નિરપેક્ષ છે. નયને સમ્યક કરવા ગયો, તો સ્વભાવથી દૂર થઈ ગયો અને સ્વભાવમાં આવ્યો, તો નયપક્ષ સ્વયં સહજ અસ્ત પામી જાય છે.
નયનું પ્રતિપાદન સરખું કરવા સાપેક્ષથી વાત કરવી જ જોઈએ. નહીં તો એકાંત થઈ જાય. અને સાપેક્ષ કરવા જતાં આત્માનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com