Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 26
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪] પક્ષમાં અટકી જાય છે, અનુભવ કરી શકતો નથી. હવે જે નિશ્ચયનય દ્વારા સ્વભાવનું અનુમાન કરી, અનુભવમાં ચાલ્યો જાય છે, પક્ષીતિક્રાંત થાય છે, એણે નિશ્ચયનયનો પક્ષ પણ છોડ્યો ત્યારે અનુભવ થયો. નયથી આવો છું, એવો વિકલ્પ છૂટી જાય છે. અનુભવ માટે નય સાધન જ નથી. નય માત્ર અનુમાન સુધી લઈ જાય છે, એ અનુભવ ન કરાવી શકે. જ્ઞાનની પર્યાય નિશ્ચયનયે આત્માને જાણે છે એમ વીચારતાં વ્યવહારનયથી એ પરને જાણે છે, એમ આવી ગયું. અરે ! નિશ્ચયનયથી જ્ઞાન આત્માને નથી જાણતું, સ્વભાવથી જ જાણે છે. તો કોઈ નય જ ન રહી સ્વભાવ હાથમાં આવી ગયો. આ વાત કોઈ અપૂર્વ છે. નયાતીત થવા માટેની આ વાત છે. સ્વભાવથી જ સ્વભાવ જણાય-નયથી સ્વભાવની પ્રસિદ્ધિ જ ન થઈ. નય સાધન જ નથી. જો નય સાધન હોય તો તો પક્ષીતિક્રાંત થવાના કાળે નય રહેવી જોઈએ. પરંતું ત્યારે તો કોઈ નય રહેતી નથી. માટે નય સ્વભાવની પ્રસિદ્ધિ માટેનું સાધન જ નથી. જેમ કે સૂર્ય પ્રકાશનો પૂંજ છે. કઈ નથી? અરે ! સ્વભાવથી જ સૂર્ય પ્રકાશનો પૂંજ છે. વળી પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે છે, કઈ નયથી ? અરે ! સ્વભાવથી જ પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે છે. હવે જે સ્વભાવથી જ છે, ત્યાં નય લાગુ પડતી નથી. નયો તો માત્ર શિષ્યને સમજાવવા માટે છે બહુ નયના પ્રયોગમાં જવા જેવું નથી જો જ્ઞાન નયના પ્રયોગમાં અટકશે તો બીજી પ્રતિપક્ષી નય જ્ઞાનમાં ઉભી થશે. આત્મા “નિશ્ચયનયે ” અકર્તા છે, એમાં વિકલ્પ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47