Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 24
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨] નિશ્ચયનયથી સમજાવે છે. પણ હવે અત્યારે એવો કાળ આવ્યો છે કે આત્મા નિશ્ચયનયે અકર્તા છે–એમ છોડી દો, કેમ કે-જો નિશ્ચયનયથી આત્મા અકર્તા છે એમ તમે લેશો તો બીજી પ્રતિપક્ષ નય તમારા જ્ઞાનમાં ઉભી થશે અને મિથ્યાત્વ રહેશે. પણ સ્વભાવથી જુઓ તો કોઈ નયની અપેક્ષા જ નથી. જેમ કે, અગ્નિ ઉષ્ણ છે. કઈ નથી? અરે! સ્વભાવથી જ ઉષ્ણ છે. પાણી શીતળ છે. કઈ નથી ? અરે ! સ્વભાવથી જ શીતળ છે. જો નિશ્ચયનયે શીતળ છે એમ તમે લેશો તો વ્યવહારનયે ઉષ્ણ છે એમ આવી જશે. નિશ્ચયનય તો માત્ર સ્વભાવનો ઈશારો કરે છે. નિશ્ચયનયને વળગશો તો સ્વભાવ દષ્ટિમાં નહીં આવે. નિશ્ચયનયથી જો તો આવો તારો સ્વભાવ છે, એમ ન માત્ર સ્વભાવનો ઈશારો કરે છે. પણ નિશ્ચયનયની પહોંચ સ્વભાવ સુધી નથી કેમ કે વસ્તુ નયાતીત છે. અકારક, અવેદક વસ્તુનો સ્વભાવ છે. સ્વભાવ નયથી સિદ્ધ ન થાય, સ્વભાવ સ્વભાવથી જ સિદ્ધ થાય. આત્મા પર્યાયમાત્રથી ભિન્ન છે. માટે એને અનાદિ અનંત કર્તાપણું લાગુ પડતું જ નથી. આત્મા બંધનો કર્તા નથી, અને મોક્ષનો પણ કર્તા નથી. કઈ નથી ? અરે ! સ્વભાવથી જ એ તો અકર્તા છે. કોઈ નય લાગુ પડતી નથી. આ દ્રવ્યસ્વભાવ ની વાત થઈ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47