________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩]
જ્ઞાનની પર્યાયનો સ્વભાવ
આત્મા જ્ઞાતા છે. કઈ નયથી ?
અરે! સ્વભાવથી જ જ્ઞાતા છે. વ્યવહારનયે જ્ઞાન પરને જાણે છે અને નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણે છે-એમ નથી. અનાદિ અનંત જ્ઞાનની પર્યાય આત્માને જાણવારૂપે જ પરિણમે છે. એ જ્ઞાન આત્માને જ પ્રસિદ્ધ કરે છે.
કઈ નયથી જ્ઞાનમાં આત્મા જણાય અને કઈ નયથી ન જણાય ? વ્યવહારનયથી ન જણાય અને નિશ્ચયનયથી જણાય-એમ નથી. જ્ઞાન આત્માને સ્વભાવથી જ અનાદિ અનંત પ્રસિદ્ધ કરે છે. એને નયની અપેક્ષા જ નથી. સ્વભાવમાં નયન હોય અને સ્વભાવની સિદ્ધિ માટે, ‘નય ’ માત્ર અંગુલી નિર્દેશ કરે છે. અનુમાન સુધી લઈ જાય છે, બસ
તું નિશ્ચયનયે અકર્તા છો કે સ્વભાવથી જ અકર્તા છો ? હું તો સ્વભાવથી જ અકર્તા છું, પ્રભુ.
બસ, તો નયના વિકલ્પ છૂટી જશે અને તને અનુભવ થઈ જશે. અનુભવની આ વિધિ છે.
જ્ઞાનની પર્યાય નિશ્ચયનયે આત્માને જાણે છે કે સ્વભાવથી જાણે છે? -સ્વભાવથી જ જાણે છે, પ્રભુ.
અનાદિ અનંત જ્ઞાન સ્વભાવથી જ આત્માને જાણતું પ્રગટ થાય છે. સ્વભાવથી જાણતો હોય, એમાં નયની અપેક્ષા ન હોય. નય તો માત્ર સ્વભાવનો અંગુલી નિર્દેશ કરે છે. પહેલા વ્યવહારનયનો પક્ષ હતો એને નિશ્ચયનય દ્વારા સમજાવે છે, તો વ્યવહારનો પક્ષ છૂટી જાય છે ને નિશ્ચયના પક્ષમાં આવે છે. હવે કોઈ તો સ્વભાવ સુધી પહોંચી પક્ષાતિક્રાંત થઈ અનુભવ કરી લે છે અને કોઈ નિશ્ચયનયના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com