________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [૧] દ્રવ્યસ્વભાવ”
એક દ્રવ્યસ્વભાવ અને એક પર્યાયસ્વભાવ, બન્ને સ્વભાવથી જ જેવા છે તેવા છે. દ્રવ્યસ્વભાવ એના પોતાના સ્વભાવથી જ અનાદિ અનંત જેવો છે તેવો છે. અને જ્ઞાનની પર્યાયનો સ્વભાવ અનાદિ અનંત જેવો છે તેવો છે.
શાસ્ત્રમાં અનેક પ્રકારના કથનો આવશે. જેમ કે આત્મા અશુદ્ધ નિશ્ચયનયે રાગનો કર્તા છે અને નિશ્ચયનયે વીતરાગભાવનો કર્તા છે. ભાઈ ! આ બધા વ્યવહારનયના કથનો છે એને ઓળંગી જા–આત્મા રાગને કરતો નથી અને વીતરાગભાવને પણ કરતો નથી. આત્મા તો સ્વભાવથી જ અનાદિ અનંત અકારક, અવેદક છે.
આત્મા અકારક, અવેદક છે, તો એ કઈ નયથી છે?
અરે! સ્વભાવને અનુભવવા માટે નયની અપેક્ષા લગાડો નહીં, બંધ કરી દો. વ્યવહારનયે આત્મા પરિણામનો કર્તા છે અને નિશ્ચયનયે આત્મા પરિણામનો અકર્તા છે. અરે ! આત્મા નિશ્ચયનયે અકર્તા છે કે સ્વભાવથી જ અકર્તા છે?
ન્યાય:- જો નિશ્ચયનયે આત્મા અકર્તા છે એમ તમે લક્ષમાં લેશો, તો આત્મા વ્યવહારનયે કર્તા છે, એ શલ્ય આવ્યા વિના રહેશે જ નહીં. તેથી નયથી વિચારો જ નહીં વસ્તુ નયાતીત છે. દ્રવ્યસ્વભાવ નયથી ખ્યાલમાં નથી આવતો. અનુભવમાં નથી આવતો. કેમ કે કોઈ નયથી અકર્તા છે-એમ નથી, સ્વભાવથી જ અકર્તા છે.
આ તો જે બિલકુલ અજાણ શિષ્ય છે, જેને આત્મા ત્રિકાળ અકર્તા હોવા છતાં કર્તા બુદ્ધિ થઈ ગઈ છે અને વ્યવહારનય અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com