________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નામ
છે. તે છે
| [ ૫] અનુભવ ન થાય કારણ કે નિશ્ચયનયથી આત્મા અકર્તા છે એમ કહેતા, કહ્યા વગર પણ વ્યવહારનયથી કર્તા છે –એમ આવી જાય છે. એટલે આમ સાપેક્ષ સિદ્ધ કરવામાં પણ જીવ નયાતિક્રાંત થતો નથી. કારણ કે ત્રિકાળી વસ્તુ કે જે શ્રદ્ધાનો વિષય છે તે સાપેક્ષ નથી. તે તો નિરપેક્ષ જ છે.
બે નયોનો વિષય તો જ્ઞાનનું શેય છે, શ્રદ્ધાનું શ્રદ્ધેય નથી. એટલે બે નયોના આશ્રયે શ્રદ્ધા પ્રગટ થતી નથી. એટલે બે નયોના પક્ષ છોડી, ત્રિકાળ નિરપેક્ષ સ્વભાવનું અવલંબન લેતા શ્રદ્ધા સમ્યફ થાય છે કારણ કે શ્રદ્ધા એકાંતિક જ હોય છે. અને શ્રદ્ધા સમ્યક થતાં જ્ઞાન સમ્યક થાય છે અને સમ્યજ્ઞાન સ્વભાવથી અનેકાંતિક હોવાથી બે નયોના વિષયને, જેમ છે તેમ, પક્ષપાત રહિત, જાણે છે.
આ રીતે જ્ઞાની બે નયોના જ્ઞાતા છે. પણ અજ્ઞાની બે નયોના વિકલ્પનો કર્તા છે.
માટે અજ્ઞાનીએ પ્રાથમીક પ્રમાણ-નયથી અભ્યાસ કર્યા પછી દ્રવ્યસ્વભાવને સ્વભાવથી અને પર્યાયસ્વભાવને સ્વભાવથી જ જોવાનો અભ્યાસ કરવો જોઈએ. નયોનો સહારો છોડી દેવો જોઈએ. એટલે સ્વભાવગ્રાહી જ્ઞાનથી જ, સ્વભાવનો અનુભવ થાય. નયસાપેક્ષથી અનુભવ ન થાય. પરંતુ અનુભવ થયા પછી પરસ્પર બે નયો સાપેક્ષ છે એવું જ્ઞાન જરૂર થાય. આ રીતે નયાતિક્રાંત થતા, નયોનો જ્ઞાતા થાય છે.
નયાતિક્રાંત થવા પહેલા નયનો જ્ઞાતા થઈ શકતો નથી પણ નય વિકલ્પોની કર્તબુદ્ધિ રહી જાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com