Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 20
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૦] “જેટલા નય છે તેટલા શ્રુતજ્ઞાનરૂપ છે; શ્રુતજ્ઞાન પરોક્ષ છે અનુભવ પ્રત્યક્ષ છે; તેથી શ્રુતજ્ઞાન વિના જે જ્ઞાન છે તે પ્રત્યક્ષ અનુભવે છે. તેથી પ્રત્યક્ષપણે અનુભવતો થકો જે કોઈ શુદ્ધ સ્વરૂપ આત્મા તે જ જ્ઞાનકુંજ વસ્તુ છે, એમ કહેવાય છે.” પૂ. ભાઈશ્રીએ પરમ કરૂણા કરી ફરમાવ્યું કે, “હે ભવ્યો! અમારો આશય તો, બધા નયાતીત થાઓ, પરમાનંદને પામો એટલો છે. તેથી સ્વભાવ પ્રાપ્તિની રીત નયોથી જુદી છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ આ રહસ્ય પત્ર નં. ૧૮૦ વર્ષ ૨૪ મું, ૨૦૮, મુંબઈ મહા વદ-૩૧૯૪૭ - માં દર્શાવ્યું છે. “અનંતા નય છે, એકેક પદાર્થ અનંતગુણથી અને અનંત ધર્મથી યુક્ત છે. એકેક ગુણ અને એકેક ધર્મ પ્રત્યે અનંત નય પરિણમે છે; માટે એ વાટે પદાર્થનો નિર્ણય કરવા માગીએ તો થાય નહીં; એની વાટ કોઈ બીજી હોવી જોઈએ. ઘણું કરીને આ વાતને જ્ઞાની પુરુષો જ જાણે છે; અને તેઓ તે નયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન વર્તે છે; જેથી કોઈ નયનું એકાંત ખંડન થતું નથી, અથવા કોઈ નયનું એકાંત મંડન થતું નથી, જેટલી જેની યોગ્યતા છે, તેટલી તે નયની સત્તા જ્ઞાની પુરુષોને સંમત હોય છે. માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવા મનુષ્યો નય” નો આગ્રહ કરે છે, અને તેથી વિષમફળની પ્રાપ્તિ હોય છે, કોઈ નય જ્યાં દુભાતો નથી એવા જ્ઞાનીના વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જેણે જ્ઞાનીના માર્ગની ઇચ્છા કરી હોય, એવા પ્રાણીએ નાદિકમાં ઉદાસીન રહેવાનો અભ્યાસ કરવો; કોઈ નયમાં આગ્રહ કરવો નહીં અને કોઈ પ્રાણીને એ વાટે દુભાવવું નહીં, અને એ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47