________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[દ્રવ્ય-સંગ્રહ પહેલાં પ્રકારનું ભેદજ્ઞાન- જીવ પોતાના ગુણો અને પર્યાયોથી એક છે-અભિન્ન છે; તથા પરદ્રવ્યો, તેના ગુણો અને પર્યાયોથી અત્યંત જુદો છે-ભિન્ન છે. અર્થાત્ જીવ સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળે અને સ્વભાવે પદ્રવ્યના દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવથી અત્યંત જુદો છે. તેથી તે અપેક્ષાએ પર દ્રવ્યો, તેના ગુણો, પર્યાયો સાથેનો સંબંધ માત્ર વ્યવહારનયેસંયોગરૂપ-કે નિમિત્તરૂપ છે એવું જ્ઞાન કરાવવામાં આવે છે.
આ દષ્ટિએ, પરદ્રવ્યો સાથેનો સંબંધ અસભૂત-અસત્ય હોવાથી તે સંબંધનું જ્ઞાન કરાવનારા નયને વ્યવહારનય કહેવામાં આવે છે અને જીવના દ્રવ્ય-ગુણો પર્યાયો પોતાના હોવાથી, પરથી ભિન્ન બતાવવા “નિશ્ચયનય' કહેવામાં આવે છે.
(૧૦) બીજા પ્રકારનું ભેદશાન- પણ આટલું જ ભેદજ્ઞાન કરવાથી સમ્યગ્દર્શન-શાન થતું નથી કેમકે અનાદિથી જીવની પર્યાય “અશુદ્ધ' છે, તેને પોતામાં થતી હોવાની અપેક્ષાએ “નિશ્ચયનય” નો વિષય કહે છે, તોપણ તેને જ દ્રવ્યના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપથી ભિન્ન બતાવવા માટે તથા ગુણભેદ અને પર્યાયભેદને આશ્રયે રાગ ઉત્પન્ન થતો હોવાથી તે ગુણભેદોને શુદ્ધ પર્યાયોને તથા અશુદ્ધ પર્યાયોને-તેનો આશ્રય છોડાવવા માટે “વ્યવહાર' કહેવામાં આવે છે. અને જીવદ્રવ્યનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ કે જે ધ્રુવ છે તેને “નિશ્ચય” કહેવામાં આવે છે. કેમકે તેને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com