Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 405
________________ ૩૮૮ ચેપને મહાપુરુષોનાં ચરિત હે જિનેશ્વર ! તમે જ્યવંતા વ. દુજેય કામદેવને દૂર કરેલ હેવાથી વૃદ્ધિ પામેલા પ્રતાપવાળા ! આ ભવ-સમુદ્રમાં ડૂબતા શરણ વગરના મનુષ્યને તમે જ શરણ છે. અંધકાર -સમૂહને દૂર કરનાર સૂર્યબિંબ સરખા અજ્ઞાન-અંધકાર દૂર કરનાર તમારા દર્શનથી જેઓ પ્રતિબંધ પામ્યા નથી, તેઓને ફરી વિધ કદી થતો નથી. પાર વગરના સંસાર-સમુદ્રમાં છો ત્યાં સુધી જ ભ્રમણ કરે છે કે, જ્યાં સુધી આપના નયનના અવલોકનના વિષય બન્યા નથી. વિષયરૂપી પાશમાં ફસાએલા રાગરૂપી શિકારીથી હણાતા હરણસરખા જીવોને માત્ર તમા રથી જ મોક્ષ થવાને છે. જેઓ તમારાં વચનામૃતને કર્ણ જલિથી “ઘુટ ઘુટ” કરીને પાન કરતા નથી, તેઓ વિષયતૃષ્ણાના કલેશથી શેષાએલા નકકી વિનાશ પામશે. અજ્ઞાન--અંધકારને દૂર કરનાર હે જિનચંદ્ર! કુમુદ-મંડલની જેમ નિર્મળ કેવલજ્ઞાન વડે ઉજવલ એવા આપ મને પ્રતિબંધ કરે. નષ્ટ કરેલા યુદ્ધના કારણે પ્રચંડ પ્રતાપના પ્રસરવાળા કરેલા અપૂર્વ વિક્રમથી પૂજિત એવા શાસનને તમે વીતરાગ હોવા છતાં પણ પ્રવર્તા. હે જિનચંદ્ર! આ પ્રમાણે પૃથ્વીતલમાં ચાલતા, કમલ ઉપર સંચરતા આપના ચરણોને ફરી ફરી નમન કરીએ છીએ.” આ પ્રમાણે સુરેન્દ્ર ગ્રહ-નક્ષત્રના ઇન્દ્રાદિકથી પૂજિત જિનચંદ્રને વંદન કરીને વિવિધમણિજડિત હોવાથી આશ્ચર્યકારી સિંહાસન પર બેઠેલા, હર્ષથી વિકસિત હજારે નેત્રોથી જેવાતા હજારો સામાનિક દેવે સાથે સભામાં બેઠેલા ઈન્દ્રમહારાજા બોલવા લાગ્યા કે–સૌધર્મ દેવલેકમાં નિવાસ કરનારા “હે સુરભો ! આ જગદ્ગુરુના દૌર્યાતિશય તરફ નજર કરે કે, જેમણે મહાઅભિગ્રહ સ્વરૂપ પ્રતિમા અંગીકાર કરેલી છે અને તેમાં દેવે, અસુરે, યક્ષો, રાક્ષસે, ભુજગપતિ, ભૂતસમુદાયે આવીને ગમે તેવા ઉપસર્ગો કરે, તે પણ પ્રભુના ધ્યાનને લગાર પણ ચલાયમાન કરવા સમર્થ થઈ શકતા નથી. કદાચ દૂર કરેલાં ઝરણું અને સુકાઈ ગએલી નદીઓવાળા, ભુજંગેની ફણાની મણિ એના કિરણેથી અરુણુવર્ણવાળા વિશાળ પાતાલને કદાચ ઉપર સ્થાપન કરી શકાય, કદાચ ઉછળેલા સમુદ્રના વલયથી તૂટેલા ઊંચા પર્વતના સમૂહવાળું અને આકાશમાંથી છૂટીને નીચે પડતા ગ્રહમંડળવાળું આકાશમંડળ નીચે પાતાલમાં સ્થાપન કરી શકાય. ( ખંડિત ગાથા ) કદાચ નિર્મલ ગુફાઓ અને શિખર-સમૂહવાળો અડેલ મેરુપર્વત કંપાયમાન થાય અને તે કારણે દેવમિથુનો ત્રાસ પામી જાય, તે પણ ત્રિભુવનના દૌર્યની તુલના કરનાર જિનેન્દ્રને આ જગતમાં સુરેન્દ્રો કે અસુરેન્દ્રો અણુ-પ્રમાણ પણ ધ્યાનમાર્ગમાંથી ચલાયમાન કરવાને સમર્થ બની શક્તા નથી. ત્યાર પછી ઈન્દ્રના મુખમાંથી નીકળેલ, વીર ભગવંતના હૈયે પ્રભાવતિશયરૂપ ગુણ-કીર્તનરૂપ વચન સાંભળીને કપ પામેલે અને તે કારણે ભયંકર ભ્રકુટી કરતે, ઈન્દ્ર સમાન અદ્ધિવાળે, મિથ્યાત્વઅંધકારથી વિવેકરહિત બનેલે “સંગમક” નામને એક દેવ કહેવા લાગ્યું કે– હે સ્વામી ! વિવિધ વ્યાધિ-વેદના ઉત્પન્ન થવાના કારણભૂત દુઃખની બહુલતાવાળા, વૃદ્ધાવસ્થામાં જર્જરિત થવાના કારણે ઉપહાસ કરવા લાયક, અકાલ-અકરમાતું મરણ પામવાના સ્વભાવવાળા, પરાભવ ઉત્પન્ન થવાના કારણે દુઃખની બહુલતાવાળા, કમાગત-વારસામાં મળેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490