Book Title: Chidvilas
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 11
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કરતાં નિશ્ચય (શુદ્ધ પર્યાય) પ્રગટશે.-તેઓની આ માન્યતા મિથ્યા છે એમ આ ગ્રંથના ૪૬ મા પાને નીચેના શબ્દોમાં કહ્યું છે વ્યવહારથી પરપરિણતિરૂપ રાગ-દ્વેષ-મોહ ક્રોધ-માન માયા-લોભાદિ (છે, તે) અવલંબન હેય કરવું; સંસારી જીવોએ એક ચૈતન્ય આત્મસ્વરૂપવિષે અવલંબન કરવું-સર્વથા સ્વરૂપ ઉપાદેય કરવું.” [૧૨]-એ પ્રમાણે બન્ને નયોનું યથાર્થ જ્ઞાન-વ્યવહારને હેય અને નિશ્ચયને ઉપાદેય-ગ્રહણ કરવું તે બન્ને નયોનું ગ્રહણ છે, પણ વ્યવહાર નયના આશ્રયે નિશ્ચય પ્રગટે એમ માનવાથી તો બન્ને નયોનો નાશ થાય છે. સમ્યગ્દર્શન એટલે નિયત [૧૩] ઉપર પ્રમાણે પોતાના એક ચૈતન્ય આત્મસ્વરૂપ વિષે અવલંબન કરતાં સમ્યગ્દર્શન પ્રગટે છે; અને સમ્યગ્દષ્ટિ જીવન સર્વે દ્રવ્યના પર્યાયો નિયત હોય છે–એવું યથાર્થ જ્ઞાન-સ્વ તરફના પુરુષાર્થ સહિત-હોય છે, તેથી સમ્યગ્દર્શનનું એક નામ “નિયત” છે. (જુઓ. પૃ. ૪૯ છેલ્લેથી બીજી લીટી) સમ્યકત્વગુણની પ્રધાનતા [૧૪] સમ્યકત્વ ગુણની પ્રધાનતાનું કારણ (પૃ. ૧૨ માં) નીચે મુજબ આપ્યું છે “સમ્યકત્વ ગુણ છે તે પ્રધાન ગુણ છે, કેમકે સર્વે ગુણો સમ્યક્ આનાથી છે; સર્વે ગુણોનું અસ્તિત્વપણું આનાથી છે; સર્વે ગુણોનો નિશ્ચય, યથા અવસ્થિતભાવ (આનાથી) છે. નિશ્ચયનું નામ સમ્યકત્વ છે કે જ્યાં વ્યવહાર, ભેદ, વિકલ્પ નથી, અશુદ્ધતા નથી, નિજ અનુભવસ્વરૂપ સમ્યક્ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 142