Book Title: Chidvilas
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 11
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કરતાં નિશ્ચય (શુદ્ધ પર્યાય) પ્રગટશે.-તેઓની આ માન્યતા મિથ્યા છે એમ આ ગ્રંથના ૪૬ મા પાને નીચેના શબ્દોમાં કહ્યું છે વ્યવહારથી પરપરિણતિરૂપ રાગ-દ્વેષ-મોહ ક્રોધ-માન માયા-લોભાદિ (છે, તે) અવલંબન હેય કરવું; સંસારી જીવોએ એક ચૈતન્ય આત્મસ્વરૂપવિષે અવલંબન કરવું-સર્વથા સ્વરૂપ ઉપાદેય કરવું.” [૧૨]-એ પ્રમાણે બન્ને નયોનું યથાર્થ જ્ઞાન-વ્યવહારને હેય અને નિશ્ચયને ઉપાદેય-ગ્રહણ કરવું તે બન્ને નયોનું ગ્રહણ છે, પણ વ્યવહાર નયના આશ્રયે નિશ્ચય પ્રગટે એમ માનવાથી તો બન્ને નયોનો નાશ થાય છે. સમ્યગ્દર્શન એટલે નિયત [૧૩] ઉપર પ્રમાણે પોતાના એક ચૈતન્ય આત્મસ્વરૂપ વિષે અવલંબન કરતાં સમ્યગ્દર્શન પ્રગટે છે; અને સમ્યગ્દષ્ટિ જીવન સર્વે દ્રવ્યના પર્યાયો નિયત હોય છે–એવું યથાર્થ જ્ઞાન-સ્વ તરફના પુરુષાર્થ સહિત-હોય છે, તેથી સમ્યગ્દર્શનનું એક નામ “નિયત” છે. (જુઓ. પૃ. ૪૯ છેલ્લેથી બીજી લીટી) સમ્યકત્વગુણની પ્રધાનતા [૧૪] સમ્યકત્વ ગુણની પ્રધાનતાનું કારણ (પૃ. ૧૨ માં) નીચે મુજબ આપ્યું છે “સમ્યકત્વ ગુણ છે તે પ્રધાન ગુણ છે, કેમકે સર્વે ગુણો સમ્યક્ આનાથી છે; સર્વે ગુણોનું અસ્તિત્વપણું આનાથી છે; સર્વે ગુણોનો નિશ્ચય, યથા અવસ્થિતભાવ (આનાથી) છે. નિશ્ચયનું નામ સમ્યકત્વ છે કે જ્યાં વ્યવહાર, ભેદ, વિકલ્પ નથી, અશુદ્ધતા નથી, નિજ અનુભવસ્વરૂપ સમ્યક્ છે. Please inform us of any errors on [email protected]

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 142