SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કરતાં નિશ્ચય (શુદ્ધ પર્યાય) પ્રગટશે.-તેઓની આ માન્યતા મિથ્યા છે એમ આ ગ્રંથના ૪૬ મા પાને નીચેના શબ્દોમાં કહ્યું છે વ્યવહારથી પરપરિણતિરૂપ રાગ-દ્વેષ-મોહ ક્રોધ-માન માયા-લોભાદિ (છે, તે) અવલંબન હેય કરવું; સંસારી જીવોએ એક ચૈતન્ય આત્મસ્વરૂપવિષે અવલંબન કરવું-સર્વથા સ્વરૂપ ઉપાદેય કરવું.” [૧૨]-એ પ્રમાણે બન્ને નયોનું યથાર્થ જ્ઞાન-વ્યવહારને હેય અને નિશ્ચયને ઉપાદેય-ગ્રહણ કરવું તે બન્ને નયોનું ગ્રહણ છે, પણ વ્યવહાર નયના આશ્રયે નિશ્ચય પ્રગટે એમ માનવાથી તો બન્ને નયોનો નાશ થાય છે. સમ્યગ્દર્શન એટલે નિયત [૧૩] ઉપર પ્રમાણે પોતાના એક ચૈતન્ય આત્મસ્વરૂપ વિષે અવલંબન કરતાં સમ્યગ્દર્શન પ્રગટે છે; અને સમ્યગ્દષ્ટિ જીવન સર્વે દ્રવ્યના પર્યાયો નિયત હોય છે–એવું યથાર્થ જ્ઞાન-સ્વ તરફના પુરુષાર્થ સહિત-હોય છે, તેથી સમ્યગ્દર્શનનું એક નામ “નિયત” છે. (જુઓ. પૃ. ૪૯ છેલ્લેથી બીજી લીટી) સમ્યકત્વગુણની પ્રધાનતા [૧૪] સમ્યકત્વ ગુણની પ્રધાનતાનું કારણ (પૃ. ૧૨ માં) નીચે મુજબ આપ્યું છે “સમ્યકત્વ ગુણ છે તે પ્રધાન ગુણ છે, કેમકે સર્વે ગુણો સમ્યક્ આનાથી છે; સર્વે ગુણોનું અસ્તિત્વપણું આનાથી છે; સર્વે ગુણોનો નિશ્ચય, યથા અવસ્થિતભાવ (આનાથી) છે. નિશ્ચયનું નામ સમ્યકત્વ છે કે જ્યાં વ્યવહાર, ભેદ, વિકલ્પ નથી, અશુદ્ધતા નથી, નિજ અનુભવસ્વરૂપ સમ્યક્ છે. Please inform us of any errors on [email protected]
SR No.008229
Book TitleChidvilas
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size570 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy