Book Title: Chatrapati Shivaji Charitra
Author(s): Vaman Sitaram Mukadam
Publisher: Vaman Sitaram Mukadam

View full book text
Previous | Next

Page 567
________________ પાટ પ્રકરણ ૭ મુ 3. છે. શિવાજી ચરિત્ર થઈ હતી. પિતાની મતલબ હાંસલ કરવા માટે, ધારેલું શ્રેય કરવા માટે, બીજી સત્તાઓ સાથે સલાહ મસલત કરવા અને બીજી સત્તાઓનો સહકાર સાધવાની જરૂર પડે છે તે લાભકારક રીતે રાજગાદીવાળે રાજા કરી શકે એમ પણ ઘણાઓએ અનુભવ્યું. એક રાજગાદી વગરને પ્રભાવશાળી સરદાર અમુક કત્ય ઉત્તમ હેતુથી કરે અને તેજ કય તેવાજ હેતુથી એક રાજગાદીવાળે રાજા કરે તે તેના પરિણામમાં બહુ ફેર પડે છે એવું મહારાજે અનુભવ્યું હતું. તે વખતે મહારાષ્ટ્રમાં અનેક હિંદુ સરદારો પોતપોતાની જાગીરમાં પોતાની સત્તા ભોગવી રહ્યા હતા પણ તે બધા છૂટાછવાયા, છત્ર વગરના હતા. એવા બધા સરદારના શૌર્યને ઉપયોગ ઘણી વખતે એક નહિ તે બીજી મુસલમાન સત્તાને મજબૂત કરવામાં થયો હતો. તેથી જે એક જબરું હિંદુરાજ્ય સ્થાપવામાં આવે તે છૂટાછવાયા, પિતાની જાગીર સંભાળીને બેસી રહેલા હિંદુ સરદારોને એવા છત્ર નીચે સંગઠિત કરી તેમની હિંમત, મઈ, મુત્સદ્દીપણું તથા શૌને ઉપયોગ હિંદુત્વરક્ષણના કામમાં થાય તેથી હિંદુત્વરક્ષણ માટે ગાદી સ્થાપવાની શિવાજી મહારાજને ખાસ આવશ્યકતા જણાઈ. ઘણાં વરસેથી મુસલમાની જુલમી સત્તા નીચે મહારાષ્ટ્રની હિંદુ પ્રજા કચડાઈ રહી હતી, તદ્દન નમાલી અને નિર્માલ્ય બની ગઈ હતી, પણ એમનામાં હિંદુત્વને અંગારે પૂરેપુરે બુઝાઈ ગયો નહતો એની ખેળ કરી મહારાજે એ અંગારાને ફેંકી હિંદુત્વની જ્યોતિ મહારાષ્ટ્રના હિંદુઓમાં જાગ્રત કરી. એમનામાં હિંદુત્વ અને રાષ્ટ્રને ન જુસ્સો પેદા કરી માવળાઓની એક બહુ શક્તિવાળી અને પ્રભાવશાળી પ્રજા તૈયાર કરી હતી. તેમનો લાભ હિંદુત્વરક્ષણ માટે લઈ નવી સત્તા સ્થાપન કરવાનો વિચાર મહારાજે કર્યો અને એ પ્રજાના ગુણોનો વિકાસ હિંદુરાજ્યસત્તા હેય તે સુંદર થઈ શકે એવું મહારાજને લાગ્યું તેથી વિધિપૂર્વક ગાદી સ્થાપવાના મહારાજના નિશ્ચયને પુષ્ટિ મળી. વિધિપૂર્વક રાજ્યાભિભૂક કરાવવાનો વિચાર તે મહારાજ ઘણાં વરસોથી જ કરી રહ્યા હતા, પણ સિંહાજી મહારાજ જીવતા હતા ત્યાં સુધી પોતાને રાજ્યાભિષેક કરાવવા એ તૈયાર ન હતા. સિંહા રાજા ગુજરી ગયા પછી એમણે પોતાના નામના સિક્કા પડાવ્યો અને રાજ્યાભિષેકને ગંભીરપણે વિચાર કરવા લાગ્યા. મહારાજ આ વિચાર કરી રહ્યા હતા તેવામાં જ પરિસ્થિતિ બદલાઈ અને મહારાજ મુગલ શહેનશાહના દરબારમાં આગ્ર ગયા. આગ્રેથી પાછા ફર્યા પછી એમણે પિતાને રાજા તરીકે જાહેર કર્યા હતા અને રાજ્યાભિષેક કરાવવાની તૈયારીઓ કરવા માંડી હતી. મહારાજ રાજ્યાભિષેકને વિચાર કરી રહ્યા હતા અને તે માટે મસલતો ચાલી રહી હતી તે દરમિયાનમાં એમને એવી ખાતરી થઈ કે રાજ્યાભિષેક થયાથી જ હિંદુસત્તા બરાબર જામશે અને હિંદુ પ્રજાને બચાવ ધાર્યા મુજબ થઈ શકશે. શિવાજી મહારાજના મતને અનુકુળ, એમનાં કૃત્યને કે આપનાર, એમની ધર્મ અને દેશ સેવા માટે એમને વખાણનાર, એમને હિંદુ ધર્મના તારણહાર માની એમના પડતા બેલ ઝીલનાર અને અનેક કારણોને લીધે એમને પૂજ્ય માનનારા ઘણા હતા. તે બધા એક છત્ર નીચે ભેગા થાય તે હિંદુઓનું જબરું બળ જામે અને તે બધું રાજ્યગાદી સ્થાપવામાં આવે તે જ બને એમ હતું. મહારાજ એક સાધારણ સરદાર જ રહે તે એ હિંદુઓનું બળ એકઠું કરી શકે એમ ન હતું. રાજા અને રાજગાદી એ નામે તે વખતે ઘણું સરદારેનું બળ એકઠું કરવા માટે ખાસ જરૂરનાં હતાં એવી મહારાજની અનુભવથી ખાતરી થઈ હતી. વિધિ પ્રમાણે રાજ્યાભિષેક કરાવી ગાદી સ્થાપન કરવાના સંબંધમાં મહારાજની પૂરેપુરી ખાતરી થઈ ગયા પછી એમણે એ સંબંધમાં પોતાના સગાં, સ્નેહી, સરદારો વગેરેના અભિપ્રાયો જાણ્યા. માતા જીજાબાઈ પૂજ્ય ગુરુ રામદાસસ્વામી તથા પિતાને પૂજ્ય એવા સંત. મહંતે અને સરદાર સ્નેહીઓ તથા અમલદાર અધિકારીઓએ રાજ્યાભિષેક સમારંભ કરાવી ગાદી સ્થાપન કરવાથી હિંદુત્વને અનેક રીતે લાભ થવાનો છે એમ જણાવ્યું અને રાજ્યાભિષેક સમારંભ ભારે દબદબાથી ઉજવવાની મહારાજને વિનંતિ કરી. જુલમી સત્તામાંથી પ્રજાને છોડાવવાના હેતુથી અને હિંદુત્વ ઉપર થતા અત્યાચારો અટ 67 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720