Book Title: Chatrapati Shivaji Charitra
Author(s): Vaman Sitaram Mukadam
Publisher: Vaman Sitaram Mukadam

View full book text
Previous | Next

Page 627
________________ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૧૧ મું]. પ્રકરણ ૧૧ મું ૧. સુરી નારાય. ૫. “પ્રજાને માલ પ્રજાને પાછા આપો.” ૨. સાપત્ન બંધને સંચામ ૧. ઔરંગઝેબને ઉકળાટ ૩. • ભલે વિરોધી, પણ મારે એ ભાઈ છે.’ | ૭. માનખેડમાં મુગલોને મા૨, ૪ પીપાબાઈએ દીપક પ્રગટા. | ૮. આદિલશાહી ઉપર આફત, राजनाशाय. ટચ કેજી રાજ તંજાવર પહોંચ્યા અને શિવાજી મહારાજે કહેલી હકીકત પોતાના સલાહકારોને જણાવી. વ્યંકાજીના નવા માનીતા સલાહકારો તે એને ઉશ્કેરીને શિવાજી મહારાજની સામે જ રાખતાં. એના આવા સલાહકારોએ એક યુક્તિ બતાવી કે આ વખતે આદિલશાહીની કુમક માગવી અને એ કમક આપશે એટલે ધાર્યું કામ પાર પડશે. આ સલાહ લંકેજને ગળે ઉતરી.બીજી આદીલશાહી સરદારો શિવાજીના કટ્ટા વિરોધી છે એ બૅકેજી જાણતે હતો એટલે એને તે લાગ્યું કે શિવાજીની સામે થવાની આ તક આદિલશાહી જવા દેશે નહિ એટલે બૅકેજી રાજાએ બિજાપુર સુલતાનને લખી મેકહ્યું કે શિવાજી રાજા અમારા પિતાની સંપત્તિમાંથી મારી પાસેથી અરધે ભાગ માગે છે. મારા ઉપર એ ભારે દબાણ આ સંબંધમાં કરી રહ્યા છે. અમારા પિતાશ્રીએ આદિલશાહીની સેવા ઈમાનદારીથી કરીને આ સંપત્તિ સંપાદન કરી છે. એમની પછી સલ્તનતની સેવા એવીજ ઇમાનદારી અને વફાદારીથી મેં કરી છે. મારી આ વફાદારી આપ જાણે છે. આ સંપત્તિ મારી પાસે રહે એજ સલ્તનતના હિતમાં છે. શિવાજી મહારાજ મારા ઉપર અનેક પ્રકારનાં દબાણ ચલાવીને મને હેરાન કરી રહ્યા છે. એ આ સલ્તનતના કટ્ટા દુશ્મન છે અને હું આદિલશાહીને વફાદાર સરદાર છું. મારા ઉપર એમણે કરડી નજર કરી છે. એમના માગ્યાં મુજબ હું પિતાએ સંપાદન કરેલી સંપત્તિને અરધે ભાગ નથી આપતા તેથી અમારી વચ્ચે કડવાશ થઈ છે. સલ્તનતના વિરોધીને હું મારો વિરોધી માનું છું. સલ્તનતની કુમક મને મળશે એ હિંમત ઉપર તે મેં હજુ સુધી ખેંચી પકડયું છે. આવા સંજોગોમાં મારે શું કરવું તે જણાવવા મહેરબાની કરશો. ” વગેરે મતલબનો પત્ર લખી બંકાજી રાજાએ ખાસ સવાર સાથે તાકીદે બિજાપુર રવાના કર્યો. લંકેજી અને એના સલાહ આપનારાઓ તે ખાતરીથી માનતા હતા કે બિજાપુર ને શિવાજી રાજા વચ્ચે ભારે દુશમનાવટ અને વેર છે એટલે શિવાજી રાજા સામે માથું ઊંચકનારને ઉત્તેજન આપશે એટલું જ નહિ પરંતુ શિવાજીની સાથે અથડામણ આવવાની છે એટલે એ મદદ આપવા પણ તૈયાર થશે. આદિ લશાહી દરબારના સરદારેમાંના ઘણુ ખરા તે શિવાજી રાજાના કટ્ટા દુશ્મન હતા અને શિવાજીને સામને કરવાને પ્રશ્ન આવશે એટલે બહુ સહેલાઈથી મદદ આપવા તૈયાર થઈ જશે. આદિલશાહી દરબાર તરફથી બહુ ઉત્તેજન આપનારો જવાબ આવશે એવી વ્યંકાછની ખાતરી હતી અને આ પ્રકારની ખાતરી હતી માટે જ એ મદદ માટે આદિલશાહી દરબારમાં દોડ્યો હતો. આદિલશાહી દરબારમાં શિવાજી રાજાના બધા વિરોધીઓ હતા, એ માન્યતા બૅકેજીની તદ્દન સાચી હતી પણ દરબારના સરદારોએ રાજદ્વારી કુનેહ ખાઈ ન હતી. પિતાની કુમકથી સલ્તનતને કેટલો લાભ કે નુકસાન થશે તેને પૂરેપર વિચાર કર્યા સિવાય અથવા અટકળ બાંધ્યા સિવાય શિવાજી રાજ સલ્તનતને દુશ્મન છે માટે એની વિરુદ્ધમાં ગમે તે માણસને મદદ કરી બળતામાં ઘી હોમી સલ્તનતને આંચ આવે એવી જ્વાળાઓ પ્રગટાવવા તૈયાર થાય એવા આદિલશાહી દરબારના મુત્સદ્દીઓ કુનેહ વગરના થયા ન હતા. બંછ અને એના માનીતા નવા ખુશામતખોર સાથીઓને ખબર ન હતી કે શિવાજીના નામથી આદિલશાહી થરથર ધ્રૂજી રહી હતી. શિવાજી મહારાજ જેવા પ્રભાવશાળી અને બળાઆ સિંહને કોઈપણ કારણસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720