Book Title: Chatrapati Shivaji Charitra
Author(s): Vaman Sitaram Mukadam
Publisher: Vaman Sitaram Mukadam

View full book text
Previous | Next

Page 637
________________ પ્રકરણ ૧૧ મું] છે. શિવાજી ચરિત્ર અવ્યવસ્થિત કરી નાંખી. સંતાજીએ પિતાના લશ્કરને વ્યવસ્થિત કરવાના ઘણા પ્રયત્ન કર્યા પણ બૅકેજીના લશ્કરના હુમલા એવા સખત હતા કે સંતાજી પિતાનું લશ્કર વ્યવસ્થિત ન કરી શક્યો. આખરે બાકી રહેલું લશ્કર પિતાની સાથે લઈ સંતાજીએ નાસવા માંડયું. વૅકેજીએ એની ૧ માઈલ સુધી પૂઠ પકડી. સંતાજીને નાસતો જોઈ લંકેજ થોભી ગયું અને આખા દિવસનો થાક બહુ ભારે થઈ પડ્યો હતો એટલે લંકેજનું લશ્કર થાકને લીધે આરામમાં પડયું. વિજયનો આનંદ હતે. સંતાજીના નાસી જવાથી બેંકે અને તેનું લશ્કર નિર્ભય બની ગયું હતું. દુશ્મનને ભય કે ચિંતા ન રહી, વળી બધા લથપોથ થયેલા હતા એટલે ઊંધી ગયા. આ વ્યંકેજીના મારાને લીધે પોતાને નાસવું પડયું એ સંતાજીના મનમાં સાલ્યા કરતું હતું. પોતાની જિંદગીમાં આ બહુ ભારે માનહાનિ લાગી. “આ પરાજયનો કાળો ડાઘ દુર કર્યા સિવાય જીવવું એ તે નાકકટ્ટા થઈને મહાલવા જેવું છે. આ ડાધ ભૂસી નાંખવો અથવા રણમાં પ્રાણની આહૂતિ આપવી એ એક જ માર્ગ હવે ખુલે છે.” આ વિચાર કરતે સંતાજી પોતાની ટુકડી સાથે રસ્તામાં થંભ્યો. એણે પોતાના લશ્કરને પાછું વ્યવસ્થિત કર્યું, શૂર ચડાવ્યું, તેજ બનાવ્યું અને મારતે ઘોડે એ (સંતાજી) પોતાના લશ્કરને પાછો લઈ આવ્યો. એણે બેંકના ઊંઘમાં ઘેરતા લશ્કર ઉપર છાપો માર્યો. સંતાઇના માણસોએ વ્યકાળના માણસોની કતલ શરૂ કરી. હજારો માણસને કાપી નાંખ્યા. બેંકોજીના માણસેએ નાસવા માંડ્યું. સંતાજીએ બૅકેજીના ૩ નામીચા સરદારને ગિરફતાર કર્યા. બૅકેજીનું લશ્કર હાર્યું અને આ વાગડપુરની લડાઈમાં શિવાજી મહારાજને જય થયો. આ લડાઈમાં શિવાજી મહારાજના સેનાપતિના હાથમાં લંકેજી રાજાના બહુ સુંદર અને મજબૂત ૧૦૦૦ ઘેડા, મેટા મેટા ક્ષમિયાના, તંબુઓ, રાવટીઓ વગેરે સામાન આવ્યો. ૩. “ભલે વિરોધી હોય, પણ મારે એ ભાઈ છે. ” - શિવાજી મહારાજ તેરગલ આગળ છાવણ નાંખીને પાડ્યા હતા ત્યાં રઘુનાથપંતને સાથેની લડાઈને વૃત્તાંત દર્શાવનાર પત્ર મળ્યો. આ પત્રમાં રઘુનાથપતે બનેલી બધી હકીકતનું વિગતવાર વર્ણન કર્યું હતું. હવે લંકેજી સાથે શું કરવું તેના સંબંધમાં મહારાજની સૂચનાઓ પણ માગી હતી રઘુનાથપંતનો પત્ર વાંચી મહારાજ બહુ વિચારમાં પડયા. “બૅકેજીએ આ બહુ ખરાબ પગલું લીધું. સુત્રી રાજનાથ એ વાક્ય યાદ આવ્યા વગર નથી રહેતું. એણે ન કરવા જેવું કર્યું પણ મારે તો મોટા ભાઈ તરીકેની જવાબદારી ભૂલવી ન જોઈએ. આ બાબતમાં બહુ ઊંડો વિચાર કર્યા પછી શિવાજી મહારાજે બે પત્રો લખ્યા. એક પત્ર લંકેજી રાજાને અને બીજો રઘુનાથ પંતને. આ વખતે બૅકેજીએ જે વર્તન કર્યું હતું તે સંબંધમાં નીચેની મતલબનો પત્ર મહારાજે બૅકેજી રાજાને લખ્યો હતો. પત્રની શરૂઆતમાં મહારાજ કર્ણાટકમાં કેમ આવ્યા અને આવ્યા પછી શું શું બન્યું અને એને સમજાવવાના અનેક પ્રયત્નો કર્યા છતાં એ ન સમજો અને મહારાજની પીઠ ફરી એટલે એણે તોફાને શરૂ કર્યા વગેરે બાબતે પત્રની શરૂઆતમાં જણાવ્યા પછી મહારાજે લખ્યું કે મેં મારો મુકામ ત્યાંથી ઉપાડયા પછી એટલે મારી પીઠ કરી કે તરત જ તમે તમારા મુસલમાન સરદારની સલાહથી તેફાન કરવા મંડ્યાની મને ખબર મળી હતી. મારા સરદાર સાથે તમે આખરે યુદ્ધ કર્યું એ પણ મારા જાણવામાં આવ્યું છે. લડાઈની પૂરેપુરી હકીકત મને મળી છે. લડાઈનો આખો ચિતાર મારી નજર આગણ ખડો થાય છે. તમારું આવું વર્તન જોઈ મને ભારે ખેદ થયો છે. તમને તમારા રાજ્યના ડાહ્યા અને મુત્સદ્દી માણસોએ તમારા હિતની શિખામણ તમને આપી હતી તે શિખામણે તમે પગ તળે કચરી, એશિખામણો તરફ તમે જરાએ ધ્યાન ન આપ્યું એટલું જ નહિ પણ એના ઉપર ઠંડે મગજે વિચાર કરવાની સભ્યતા પણ તમે ન બતાવી. તમારા રાજ્યની તમારે હાથે બરબાદી કરાવનાર દુર્મીઓની જાળમાં તમે ફસાયેલા છો અને તેમની મેરલી ઉપર નાચી Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720