Book Title: Chaityavandanmahabhashyam
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 16
________________ વગેરે બોલે. આપ જેમ આપના ચિત્રની પૂજાથી પ્રસન્ન થયા તેમ મૂર્તિપૂજાથી ભગવાન (ભગવાનના સેવક દેવો) ભક્ત ઉપર પ્રસન્ન થાય છે. માટે ભગવાનની મૂર્તિની પૂજા એ પથ્થરની પૂજા નથી, કિંતુ ભગવાનની પૂજા છે. મૂર્તિની અભિષેક આદિથી ભક્તિ કરતાં, વંદન-નમસ્કાર કરતાં, સ્તુતિ આદિ કરતાં ભક્તના મનમાં તો એમજ હોય છે કે હું ભગવાનની ભક્તિ, વંદન-નમસ્કાર કે સ્તુતિ કરું છું. એટલે મૂર્તિની ભક્તિ, વંદનનમસ્કાર કે સ્તુતિથી ભગવાનની જ ભક્તિ, વંદન કે સ્તુતિ થાય છે. પથ્થરની મૂર્તિમાં મંત્રોચ્ચાર આદિ શાસ્ત્રોક્ત વિધિ કર્યા બાદ એ મૂર્તિ ભગવાન બની જાય છે. આ વિષયને આપણે એક વ્યાવહારિક દૃષ્ટાંતથી સમજીએ. યુવતિ લગ્ન પહેલાં કન્યા કહેવાય છે. લગ્નવિધિ થયા પછી એ યુવત વધૂ બની જાય છે. લગ્ન પહેલાં જે યુવતિ કન્યા કહેવાતી હતી અને બધા જેને કન્યા રૂપે જ જોતા હતા તે જ યુવત ગ્નિવિધિ બાદ કોઈની વધૂ બની જાય છે અને બધા તેને વધૂ રૂપે જુએ છે. તેમ અહીં પથ્થરની મૂર્તિ પણ મંત્રોચ્ચાર આદિથી અધિવાસના થતાં ભગવાન બની જવાથી પૂજનીય બની જાય છે. કાગળના ટુકડા ઉપર રૂપિયાની છાપ લાગ્યા પછી તે કાગળનો ટુકડો રહેતો નથી. તેને કોઈ બાળકના હાથમાં ન આપે. કારણ કે બાળક તેને કાગળ સમજે. તેમ અજ્ઞાન લોકો મૂર્તિને પથ્થરનો ટુકડો સમજે. કાપડનો ટુકડો કહેવાતું વસ્ત્ર દેશનો ત્રિરંગી ઝંડો બને છે ત્યારે કાપડનો ટુકડો મટીને જનવંદનીય ધ્વજ બની જાય છે. રજપૂત તલવારને લોઢાનો ટુકડો ન માને. કારણ કે તેની કિંમત સમજે છે. એને મન અમૂલ્ય વસ્તુ છે. તે બધું જતું કરશે, પણ તલવાર નહિ જવા દે. કારણ કે રક્ષણ કરનાર છે. તેમ અજ્ઞાન લોકો મૂર્તિને પથ્થરનો ટુકડો માને. પણ સમજુ લોકો પથ્થરનો ટુકડો ન માને, કિંતુ દેવ માને. ભગવાનની પૂજા એટલે એમના ગુણી આત્માની પૂજા કે ભગવાન ગુણોના સમૂહ રૂપ છે. એટલે ભગવાનની પૂજા એટલે એમના શરીરની નહિ, કિંતુ એમના ગુણી આત્માની પૂજા. જ્યારે ભગવાન સાક્ષાત્ વિદ્યમાન હોય ત્યારે પણ એમના ગુણીઆત્માની પૂજા થાય છે. પણ એમનો આત્મા દેખાતો નથી એટલે બાહ્ય શરીરના માધ્યમ દ્વારા એમના આત્માની પૂજા થાય છે. તેવી રીતે શરીર સહિત ભગવાન વિદ્યમાન ન હોય ત્યારે તેમની મૂર્તિના માધ્યમથી તેમના ગુણી આત્માની પૂજા થાય છે. એટલે મૂર્તિપૂજા એ ખૂદ ભગવાનની પૂજા છે. પ્રશ્ન :- મૂર્તિ જડ છે. આથી જેમ માટીની ગાયને દોહવાથી દૂધ ન મળે તેમ જડમૂર્તિની પૂજાથી ચેતનને કશો લાભ ન થાય. ઉત્તર :- જેમ પથ્થરની ગાય દૂધ ન આપે તેમ ગાયનું નામ પણ દૂધ ન આપે. આથી ભગવાનનું નામ પણ ન લેવું જોઈએ. મૂર્તિના વિરોધીઓ લોગસ્સ વગેરે સૂત્રમાં ભગવાનના નામનું કીર્તન કરે છે. જેઓ મૂર્તિસમક્ષ ક્રિયા કરતા નથી, પણ ઈશાન ખૂણા

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 452